મધ્ય પૂર્વ તણાવ વચ્ચે LPG સિલિન્ડરના ભાવમાં વધારો, ઘરેલુ ગેસ ₹60 મોંઘો; જાણો નવા દર

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે દેશમાં LPG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધતા સામાન્ય લોકો સાથે વેપારીઓ પર પણ તેનો સીધો અસર જોવા મળી શકે છે.

નવી જાહેર થયેલી કિંમતો મુજબ 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો કરવામાં આવ્યો છે. નવા દરો આજથી અમલમાં આવ્યા છે અને તેલ કંપનીઓની સત્તાવાર વેબસાઇટ પર પણ અપડેટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે એપ્રિલ 2025 પછી ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં આ પહેલો વધારો ગણાય છે.

મુખ્ય શહેરોમાં નવા ભાવ
નવી કિંમતો મુજબ હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામનો ઘરેલુ LPG સિલિન્ડર ₹853માંથી વધીને ₹913 થયો છે. કોલકાતામાં તેની કિંમત ₹879માંથી વધીને ₹939 થઈ છે. જ્યારે ચેન્નાઈમાં અગાઉ ₹868.50માં મળતો સિલિન્ડર હવે ₹928.50 થયો છે.

ઘરેલુ ગેસ સિવાય કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરમાં ₹115નો વધારો કરવામાં આવ્યો છે. નવા દર મુજબ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹1,883 થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં તે ₹1,835 થઈ છે. કોલકાતામાં તેની કિંમત ₹1,990 સુધી પહોંચી છે અને ચેન્નાઈમાં ₹2,043.50 થઈ ગઈ છે.

હોટલ-રેસ્ટોરન્ટ પર પડી શકે અસર
કોમર્શિયલ ગેસના ભાવ વધવાથી હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન તેમજ નાના ખાદ્ય વ્યવસાયો પર સીધી અસર પડી શકે છે. જેના કારણે ખાણી-પીણીની વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સરકારનું આશ્વાસન
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકોને આશ્વાસન આપ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અથવા LPGની કોઈ અછત નથી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે સરકારનું મુખ્ય ધ્યાન નાગરિકોને સ્થિર અને સસ્તું ઊર્જા પુરવઠો ઉપલબ્ધ કરાવવાનું છે.

IOCએ અછતના દાવા નકાર્યા
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ પણ દેશમાં ઇંધણની અછત અંગે ચાલી રહેલા કેટલાક દાવાઓને ખોટા ગણાવ્યા છે. કંપનીના જણાવ્યા મુજબ ભારત પાસે હાલ વિવિધ સ્ત્રોતોમાંથી પૂરતો ઊર્જા પુરવઠો ઉપલબ્ધ છે. સૂત્રો મુજબ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં સંભવિત વિક્ષેપ અંગે ચર્ચા હોવા છતાં ભારત ઊર્જા પુરવઠા મામલે મજબૂત સ્થિતિમાં છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગાંધીનગર સ્થાપનાદિન: ગુજરાતની રાજધાનીએ પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન સિટીની ગૌરવગાથા : Magnificent

ગાંધીનગર સ્થાપનાદિન 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરે પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન અને મોડર્ન સિટી તરીકે ઉજવી રહી છે ગૌરવપૂર્ણ સફર  ગાંધીનગર સ્થાપનાદિન: 61 વર્ષની ગૌરવમય સફર, ગ્રીન અને સ્માર્ટ કેપિટલ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત  ગાંધીનગર સ્થાપનાદિન, ગાંધીનગર 61 વર્ષ, ગુજરાતની રાજધાની, Gandhinagar News, Green City Gujarat, Smart City Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગર આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરીને વિકાસ, હરિયાળી અને સુઆયોજિત શહેરી આયોજનના અનોખા પ્રતીક તરીકે ઉજવણી કરી રહી છે. દેશના સૌથી સુવ્યવસ્થિત અને હરિયાળા શહેરોમાં સ્થાન ધરાવતું ગાંધીનગર આજે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી વિકાસના કારણે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું આદર્શ શહેર બની ગયું છે. ગાંધીનગરની સ્થાપના ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે કરવામાં આવી હતી. શહેરનું આયોજન આધુનિક…

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…