હવે આતંકી કાર્યવાહીને માનશે યુદ્ધ ! પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે લીધો મોટો નિર્ણય
પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી માનવામાં આવી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જો હવે કોઈ આતંકવાદી હુમલો થાય છે, તો તેને યુદ્ધ ગણવામાં આવશે અને ભારત તે મુજબ જવાબ આપશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. છેલ્લી બે સતત રાત્રિઓમાં, પાકિસ્તાને ડ્રોનથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને હવામાં જ નિષ્ફળ બનાવવામાં આવ્યો. આ દરમિયાન, ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે જો ભારત સામે આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે અને તેનો જવાબ પણ યુદ્ધની જેમ આપવામાં આવશે. પાકિસ્તાનને મળશે જડબાતોડ જવાબ સરકારના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત હવે પાકિસ્તાન દ્વારા કરવામાં…







