ગુજરાતમાં બેવડી ઋતુની અસર: સવારે ગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ

ગુજરાતમાં હાલ હવામાનમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે તો બપોરના સમયે તાપમાન વધતા ગરમીનો અનુભવ થાય છે. રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હોવા છતાં, શિયાળો આ વર્ષે નરમ રહ્યો હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાન રાજ્યના અનેક શહેરોમાં આજે નોંધાયેલું સૌથી નીચું તાપમાન નીચે મુજબ છે: – નલિયા – 14.3°C – કેશોદ – 15.3°C – રાજકોટ – 15.5°C – ભૂજ – 17.4°C – ડીસા – 17.1°C – વડોદરા – 18.4°C – ગાંધીનગર – 18.8°C – ભાવનગર – 18.6°C – અમદાવાદ – 19.7°C આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં સવાર-સાંજ ઠંડક હોવા છતાં કડકડતી ઠંડીનો અભાવ છે. શિયાળો ‘નરમ’ કેમ રહ્યો? હવામાન…

રાજ્યમાં ફરી માવઠાનો ખતરો: 22 થી 27 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની શક્યતા

ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો ખતરો તોળાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, અને આ વચ્ચે માવઠાની આગાહી ખેડૂતોમાં ચિંતાનું કારણ બની છે. ગુજરાતમાં વરસાદની શક્યતાઓ – સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. – રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વાદળછાયું વાતાવરણ અને ભેજવાળા પવનની શક્યતા દર્શાવી છે. – ડિસેમ્બર મહિનામાં વરસેલા માવઠાથી ખેડૂતોને નુકસાન થયું હતું, અને ફરી વરસાદ પડવાને કારણે ઘઉં સહિતના પાકને નુકસાન થવાની આશંકા છે. ઉત્તર ભારત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં હાલ તીવ્ર ઠંડી છવાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન…

ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત, કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું

ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કેશોદમાં 8.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે કેશોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન કેશોદ – 8.1°C કંડલા એરપોર્ટ – 8.6°C નલિયા – 9.2°C અમરેલી – 9.4°C દીવ – 10.3°C ડીસા – 11°C ભુજ – 12.4°C મહુવા – 12.5°C પોરબંદર – 13.6°C અમદાવાદ – 14.5°C વેરાવળ – 14.5°C ઠંડીના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ગરમ કપડાંનો સહારો લેવો પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડીના નવા રેકોર્ડ ઉત્તર ભારતમાં ઠંડી સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. અનેક પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ છે, જ્યારે મેદાન વિસ્તારોમાં ગાઢ…

ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસનો કહેર, અનેક વિસ્તારોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે

ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગગડી ગયું છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જ્યારે પહાડી વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. લદ્દાખના દ્રાસમાં તાપમાન માઈનસ 14.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. રવિવારે સવારે પંજાબ અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા 50 મીટરથી પણ ઓછી રહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઠંડા પવનોએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીથી લઈને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ સુધી લોકોને પરેશાન કર્યા છે. આસામના ગુવાહાટીમાં પણ ઠંડીની અસર જોવા મળી છે, જ્યારે આંદામાન અને…

‘ચક્રવાત સેન્યાર’નું સંકટ ઘેરાયું: દક્ષિણી રાજ્યોમાં ભારે વરસાદની રેડ અલર્ટ ચેતવણી,આગામી 48 કલાક અત્યંત નિર્ણાયક

મલેશિયા અને મલક્કા સ્ટ્રેટ વિસ્તારમાં સર્જાયેલું નીચું દબાણ ક્ષેત્ર ઝડપથી મજબૂત બની રહ્યું છે અને હવે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા બુલેટિન મુજબ, આગામી **48 કલાકમાં આ સિસ્ટમ ચક્રવાતી તોફાન ‘સેન્યાર’**માં પરિવર્તિત થવાની ખૂબ જ ઊંચી શક્યતા છે. ચક્રવાત ‘સેન્યાર’ વિશે મહત્વની વિગતો ચક્રવાતમાં રૂપાંતરણ – 25 નવેમ્બરે ડિપ્રેશન – 26 નવેમ્બરે ચક્રવાત ‘સેન્યાર’ (નામ UAE દ્વારા – અર્થ: સિંહ) પવનની ગતિ – હાલ: 65 કિમી/કલાક – શક્ય તીવ્રતા: 80–100 કિમી/કલાક તોફાનનો સંભવિત માર્ગ – હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ, 26 નવેમ્બર પછી તોફાન બે માર્ગોમાંથી કોઈ એક લઈ શકે છે: – તમિલનાડુ–આંધ્રપ્રદેશ કિનારો તરફ આગળ વધવું – ઉત્તર તરફ વળી ઓડિશા–બાંગ્લાદેશ તરફ જવું – ચોક્કસ માર્ગ અંગેની સ્પષ્ટતા આજ…

વરસાદનું જોર ઘટ્યું છતાં અરબી સમુદ્રની સિસ્ટમ હજુ સક્રિય, આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં મૂશળધાર માવઠાનો અંદાજ

ગુજરાતમાં ચોમાસા બાદ પણ મેઘરાજાની કૃપા યથાવત છે. છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે, છતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે અરબી સમુદ્રની સિસ્ટમ હજી સક્રિય છે અને ફરીથી વરસાદી માહોલ સર્જી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, “હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. તેના કારણે આગામી બે દિવસ 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.” ‘મોન્થા’ વાવાઝોડાનો પ્રભાવ આંધ્ર પ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે ત્રાટકેલું ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ હવે કમજોંર બન્યું છે, પરંતુ તેની અસર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી રહી છે. આ વિસ્તારોમાં પણ…

દક્ષિણ ભારતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાત સહિત ઉત્તર ભારતમાં વાતાવરણ રહેશે સૂકું

ભારતના દક્ષિણ રાજ્યો માટે આગામી દિવસો ભારે વરસાદ લઈને આવી રહ્યા છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલું હવામાન તંત્ર દેશના દક્ષિણ ભાગ માટે પડકારરૂપ બનવાનું સંકેત આપે છે. બીજી તરફ, ગુજરાત અને ઉત્તર ભારત માટે હાલ કોઈ મોટી ચેતવણી આપવામાં આવી નથી. અરબ સાગરમાં ચક્રવાતની શક્યતા: શું છે હાલની પરિસ્થિતિ? – દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. – આગામી 48 કલાકમાં તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે (18–19 ઓક્ટોબર દરમિયાન). – 20 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ડિપ્રેશન કે પછી સાયક્લોનિક સ્ટોર્મમાં પણ ફેરવાઈ શકે છે. – હાલના IMDના અનુમાન મુજબ, આ ચક્રવાત ઓમાન કે સોમાલિયા તરફ આગળ વધે તેવી સંભાવના છે, એટલે કે ભારતના કિનારાથી લેન્ડફોલ થવાની શક્યતા ઓછી છે. ક્યા…

નવરાત્રીમાં મેઘરાજાની ખલેલ: બંગાળની ખાડીના ડિપ્રેશનને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં નવરાત્રિની ધૂમજમાળી વચ્ચે મેઘરાજા પણ બિનમુલાકાતી મહેમાનની જેમ આવી ગયા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બંગાળની ખાડી પર સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે નર્મદા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ ધ્યાને રહેવાની જરૂરિયાત છે. શું છે હવામાનમાં પરિવર્તનનું કારણ? હાલે દક્ષિણ બંગાળની ખાડી અને મધ્ય મ્યાનમાર વિસ્તારમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે, જે 25 સપ્ટેમ્બરે નીચા દબાણ (Low Pressure) માં પરિવર્તિત થયું છે. આ સિસ્ટમ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને 26 સપ્ટેમ્બરે ડિપ્રેશનનું સ્વરૂપ લેશે એવી શક્યતા છે. 27 સપ્ટેમ્બરના આસપાસ આ સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરી શકે છે, જેને કારણે ગુજરાત પર ચોમાસાની પાછલી જોરદાર અસર જોવા મળી…