ગુજરાતી રંગભૂમિને મોટો આઘાત: દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું 76 વર્ષે નિધન

ગુજરાતી રંગભૂમિ અને નાટ્ય જગતમાં એક મોટો ખોટો પહોંચ્યો છે. જાણીતા અને દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું 76 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. તેઓ ઉત્તરાખંડ પ્રવાસ દરમિયાન અચાનક સ્વર્ગસ્થ થયા, જેના કારણે સમગ્ર કલાજગતમાં શોકનું માહોલ પેદા થયું છે. રાજુ બારોટ બાળપણથી જ નાટકો અને રંગભૂમિમાં અભિનય કરતા આવ્યા હતા. તેમના જીવનકાળમાં તેમને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર સહિત અનેક સન્માન પ્રાપ્ત થયા છે. તેમના નિધનથી ગુજરાતી નાટ્યમંચને હાલમાં ગહન શોક ઘેરી છે. હાર્ટ એટેક યુવાન અને વૃદ્ધ બંને માટે ખતરો ગુજરાતમાં છેલ્લા સમયથી હાર્ટ એટેકના અચાનક કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. માત્ર વૃદ્ધો નહીં, પણ નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. અનેક પ્રસંગોમાં જોવા મળ્યું છે કે કોઈ રમત…

કેરળમાં બર્ડ ફ્લૂનો ફફડાટ: કાગડાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ, આરોગ્ય વિભાગે જાહેર કરી હાઈ-એલર્ટ એડવાઈઝરી

દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ફરી એકવાર એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂના ભણકારા વાગી રહ્યા છે. કેરળના અલાપ્પુઝા જિલ્લામાં કાગડાઓના અચાનક થતા મૃત્યુ બાદ કરવામાં આવેલા લેબોરેટરી પરીક્ષણોમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસની પુષ્ટિ થઈ છે. આ ઘટનાના પગલે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. અલાપ્પુઝાના કેટલાક વિસ્તારોમાં જોખમ વધુ પ્રાપ્ત માહિતી અનુસાર, અલાપ્પુઝા જિલ્લાની બે ગ્રામ પંચાયતોમાં કાગડાઓમાં આ ઘાતક વાયરસ મળી આવ્યો છે. સામાન્ય રીતે મરઘાં અને બતકમાં જોવા મળતો આ વાયરસ હવે કાગડાઓ અને જંગલી પક્ષીઓમાં જોવા મળતાં વન્યજીવ પ્રેમીઓ અને આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા ફેલાઈ છે. પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક દેખરેખ વધારી દીધી છે. પાણીના સ્ત્રોતોને લઈને ખાસ ચેતવણી આરોગ્ય વિભાગે જારી કરેલી એડવાઈઝરીમાં ખુલ્લા પાણીના સ્ત્રોતો જેમ કે તળાવ, કુવા…

ગાંધીનગર જિલ્લામાં ટાઈફોઈડના વધતા કેસ વચ્ચે કોંગો ફિવરનો પ્રથમ કેસ નોંધાયો, જાણો વિગત

ગાંધીનગર જિલ્લામાં ટાઈફોઈડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તે વચ્ચે હવે કોંગો ફિવરનો પહેલો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. પિંડારડા ગામમાં કોંગો ફિવર પોઝિટિવ આવેલા દર્દીને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કોંગો ફિવરનો કેસ મળતા આરોગ્ય વિભાગ સક્રિય કોંગો ફિવરનો કેસ સામે આવતા જ જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. ▪️ પિંડારડા ગામમાં આરોગ્ય વિભાગની બે ટીમો તૈનાત ▪️ ગામમાં સર્વેલન્સ કામગીરી, ફોગિંગ અને દવા છંટકાવ શરૂ ▪️ પશુપાલન વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યો, કારણ કે કોંગો ફિવર પ્રાણીઓ અને ટિક્સ જેવા જંતુઓ દ્વારા ફેલાય છે આ પગલાંનો હેતુ સંક્રમણને વધુ ફેલાતું અટકાવવાનો છે. ટાઈફોઈડ અને કોંગો ફિવરથી ડબલ એલર્ટ ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં…

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં વધારો, 1 બાળકનું શંકાસ્પદ મોત

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં ટાઈફોઈડના કુલ 152 કેસ નોંધાયા છે, જ્યારે એક બાળકનું શંકાસ્પદ મોત થયાની ચર્ચાએ રાજકીય અને વહીવટી સ્તરે ગરમાવો સર્જ્યો છે. કોંગ્રેસ દ્વારા ટાઈફોઈડના કારણે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ મીતી પરીખે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે બાળકનું મોત ટાઈફોઈડથી થયું નથી. આ મુદ્દે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જો કાર્યવાહી ન થાય તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. પાણીના સેમ્પલમાં કોઈ વાંધાજનક તત્વ નથી: કમિશનર કોંગ્રેસના દાવા પર પ્રતિક્રિયા આપતા મનપા કમિશનર જે.એન. વાઘેલાએ જણાવ્યું હતું કે ટાઈફોઈડથી કોઈ મૃત્યુ થયું નથી.…

ગાંધીનગરમાં ટાઈફોઈડના 113 કેસ, આરોગ્ય વિભાગ સક્રિય

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના 113 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમામાંથી 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ દર્દીઓની સારવાર સિવિલ હોસ્પિટલ અને 29 અર્બન હેલ્થ સેન્ટરમાં ચાલી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓપીડી શરૂ કરવામાં આવી છે અને ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો દ્વારા 20,800 થી વધુ ઘરોમાં તપાસ ચાલુ છે. ટાઈફોઈડનાં કેશો વધતા પગલાં: શહેરના સેક્ટર 24, 26 અને 28માં 67 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય થયું. મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યું છે. પાણીના ક્લોરીનેશન અને પાણી પાઈપલાઇનની લીકેજ દૂર કરવા માટે તપાસ ચાલુ છે. મુખ્‍યમંત્રીની સમીક્ષા: પ્રદૂષિત પાણી અને ખોરાકના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તેમના નિવાસસ્થાને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી. અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી રોગચાળાને નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં લેવા…

દિલ્હી-એનસીઆર ધુમ્મસમાં ઢંકાયું, હવાની ગુણવત્તા ગંભીર સ્તરે; AQI જાણો

દિલ્હી-એનસીઆરમાં આજે ભાદરભરી ધુમ્મસની જાડી પડછાયા અને હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. સવારથી જ દૃશ્યતા ખૂબ ઓછી રહી, અને લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થયો. NCR પર પણ ગાઢ ધુમ્મસ છવાયેલો છે, જેના કારણે રસ્તા અને હવાઈ ટ્રાફિક પર અસર પડી રહી છે. AQIની હાલની સ્થિતિ: દિલ્હી માટે એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અનુસાર બુધવારે સવારે રાજધાનીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 383 નોંધાયું, જે “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં આવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ની આગાહી પ્રમાણે, હવાની ગુણવત્તા આગળ પણ ગંભીર સ્તરે પહોંચી શકે છે, જે શ્વસન સંબંધી દર્દીઓને વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. વિભાગવાર AQI: અલીપુર: 327 આનંદ વિહાર: 452 અશોક વિહાર: 411 આયા નગર: 321 બવાના: 307…

નીતિન ગડકરીની ચેતવણી: દિલ્હીની હવા હલાહલ જેવી, પરિવહન ક્ષેત્ર જવાબદાર

દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદૂષણની સ્થિતિ માત્ર સામાન્ય નાગરિકો માટે નહીં, પરંતુ સત્તાના શિખર પર બેઠેલા નેતાઓ માટે પણ ગંભીર ચિંતાનું કારણ બની રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં દિલ્હીની ઝેરી હવા અંગે પોતાની વેદના વ્યક્ત કરી છે. ગડકરીએ જણાવ્યું, “બે દિવસ દિલ્હી શહેરમાં રહેતાં મને ગળામાં ઈન્ફેક્શન થઈ ગયું. આખું શહેર આ પ્રદૂષણથી પીડાઈ રહ્યું છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ સ્થિતિ ખુબજ ચિંતાજનક છે અને સીધી અસર નાગરિકો અને હવા સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં કામ કરતા લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. પરિવહન ક્ષેત્રની જવાબદારી ગડકરીએ સ્વીકાર્યું કે દિલ્લીની કુલ પ્રદૂષણમાં 40% ફાળો પરિવહન ક્ષેત્રનો છે. તેમણે જણાવ્યું કે ઇંધણની આયાત ઘટાડવી, ગ્રીન એનર્જી તરફ વળવું, ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક…

દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર: આનંદ વિહારમાં AQI 415, માત્ર BS-6 વાહનોને જ પ્રવેશની મંજૂરી

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં ઝેરી સ્મોગની ઘેરી ચાદર છવાઈ ગઈ છે. ખાસ કરીને પૂર્વ દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 415 નોંધાતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. પ્રદૂષણને કાબૂમાં લેવા માટે દિલ્હી સરકારે કડક પગલાં જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર હવે દિલ્હીમાં માત્ર BS-6 શ્રેણીના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. જૂના અને વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે પીયુસી (Pollution Under Control) પ્રમાણપત્ર વગરના વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને કારણે શહેરભરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાના વાહનોના પીયુસી સર્ટિફિકેટ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી જ પેટ્રોલ…

દિલ્હી-એનસીઆરમાં શ્વસન કટોકટી: અનેક વિસ્તારોમાં AQI 500ની નજીક, GRAP-4 લાગુ

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ભયાનક સ્તરે પહોંચી ગઈ છે. ધીમી પવનની ગતિ, સ્થિર હવામાન અને પ્રદૂષકોના વિખેરાવના અભાવને કારણે રવિવારે રાજધાનીમાં આ વર્ષની સૌથી ખરાબ હવા ગુણવત્તા નોંધાઈ છે. ઘણા વિસ્તારોમાં AQI 500ની નજીક પહોંચી જતા લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. સવારથી જ ઘુમ્મસ અને ઝાકળની જાડી ચાદર છવાઈ હતી, જેના કારણે દૃશ્યતા ઘટી ગઈ હતી. લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા અને આંખોમાં બળતરા તથા શ્વસન તકલીફની ફરિયાદો વધી છે. દિલ્હી માટેની એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ મુજબ, રવિવારે સવારે સરેરાશ AQI 462 નોંધાયો હતો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. દિલ્હીના વિસ્તારોમાં AQI સ્થિતિ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના સવારે 7 વાગ્યાના ડેટા મુજબ: ક્રમ વિસ્તાર AQI (સવારે 7 વાગ્યે) 1 અલીપુર 439 2…

દિલ્હીમાં હવા ‘ગંભીર’: પ્રદૂષણ વધતાં GRAP-IV લાગુ, 50% કર્મચારીઓ WFH પર, જાણો વિગત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી જતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આજે સાંજે 6 વાગ્યે દિલ્હીની હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ઘટીને 441 પર પહોંચી ગયો, જેને ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CAQM (Commission for Air Quality Management) દ્વારા તાત્કાલિક અસરથી GRAP Stage-IV હેઠળ કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 50% કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, GNCTD હેઠળની તમામ સરકારી કચેરીઓ તેમજ દિલ્હીમાં કાર્યરત તમામ ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓને હવે ઘરેથી કામ (WFH) કરવાની સૂચના આપવામાં આવી છે. આ પગલું વાહન વ્યવહાર ઘટાડીને પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે લેવામાં આવ્યું છે. શાળાઓમાં હાઇબ્રિડ મોડ લાગુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને કારણે દિલ્હીની…