ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં વધારો, 1 બાળકનું શંકાસ્પદ મોત

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં ટાઈફોઈડના કુલ 152 કેસ નોંધાયા છે, જ્યારે એક બાળકનું શંકાસ્પદ મોત થયાની ચર્ચાએ રાજકીય અને વહીવટી સ્તરે ગરમાવો સર્જ્યો છે.

કોંગ્રેસ દ્વારા ટાઈફોઈડના કારણે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ મીતી પરીખે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે બાળકનું મોત ટાઈફોઈડથી થયું નથી. આ મુદ્દે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જો કાર્યવાહી ન થાય તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

પાણીના સેમ્પલમાં કોઈ વાંધાજનક તત્વ નથી: કમિશનર
કોંગ્રેસના દાવા પર પ્રતિક્રિયા આપતા મનપા કમિશનર જે.એન. વાઘેલાએ જણાવ્યું હતું કે ટાઈફોઈડથી કોઈ મૃત્યુ થયું નથી. હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 113 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા સઘન સર્વેલન્સ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કમિશનર મુજબ ગાંધીનગર શહેરમાં અત્યાર સુધીમાં આશરે 75 હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. જ્યાં પાણીની લાઈન લીકેજની માહિતી મળી હતી ત્યાં તાત્કાલિક સુધારણા કરવામાં આવી છે. શહેરમાંથી કુલ 43 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં કોઈપણ પ્રકારનું વાંધાજનક તત્વ મળ્યું નથી.

શહેર કોંગ્રેસ પ્રમુખનો આરોપ
ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલે જણાવ્યું હતું કે જ્યાં ડ્રેનેજ અને પાણીની લાઈનો ભેગી થઈ ગઈ છે, તે વિસ્તારોમાં તાત્કાલિક સ્વચ્છ પાણી માટે ટેન્કરો પૂરા પાડવા જોઈએ. જો 12 કલાકમાં મનપા દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો જીએમસી ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. તેમણે પાણીના કારણે બાળકનું મૃત્યુ થવું દુઃખદ અને ગંભીર મુદ્દો હોવાનું જણાવ્યું.

ટાઈફોઈડથી બચવાના ઉપાયો
– દિવસ દરમિયાન ચોખ્ખું અને ઉકાળેલું પાણી પીવું
– તાવના લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી
– ફ્રિજમાં લાંબા સમયથી પડેલો ખોરાક ટાળવો
– બહારનો ખોરાક અને ઠંડા પીણાંનું સેવન ન કરવું
– ઘરમાં બનાવેલો શુદ્ધ અને તાજો ખોરાક લેવો
– વધુ મસાલેદાર અને તળેલો ખોરાક ટાળવો
– પેકેજ્ડ ફૂડનું સેવન શક્ય તેટલું ટાળવું

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…