Mehsana : મહેસાણામાં RTO અને પોલીસની કડક કાર્યવાહી, સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ સામે બોલાવી તવાઈ

મહેસાણામાં પોલીસ અને RTO દ્વારા સંયુક્તપણે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ અત્યારે કાયદાના સંકજામાં આવ્યા છે. 11 વાલીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વાલીઓએ કાયદાનું પાલન ના કરતા તેમના સગીર બાળકોને વાહન ચલાવવા આપ્યું હોવાનું સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી પોલીસ અને RTO દ્વારા વાલીઓ પર તવાઈ :- પોલીસ અને RTO દ્વારા સંયુક્તપણે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવમાં શાળાઓ પાસે ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં સગીર વયના બાળકો વાહન ચલાવતા હોવાનું સામે આવ્યું. જેના બાદ પોલીસે આ સગીરના વાલીઓને બોલાવ્યા. અને તેમને સવાલ…

જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર, નવા જંત્રીના દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ

ગુજરાતમાં નવા જંત્રીના દર લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે. જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. 6 હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે. બીજી તરફ 1700 સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા તો જંત્રીના દર લાગુ કરવા અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે અને મુખ્યમંત્રી જંત્રી દર લાગુ કરવા અંગે આખરી નિર્ણય લેશે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી એપ્રિલ મહિનામાં લાગુ થઈ શકે છે ભાવ :- ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ રહેલી છે. જેમાં જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે. 11000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી. જેમાં 6000 જેટલી અરજીઓ…

Ahmedabad : શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવવાના મુડમાં! જૂની પેન્શન યોજના લઈને પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો

રાજ્યના શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવવાના મુડમાં છે. જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલબોર્ડના શિક્ષકોએ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવા છતા તેનો અમલ કરવામાં આવ્યો નથી તેને લઈને હવે શિક્ષકો પણ નારાજ થયા છે. આ પણ વાચો :- Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ માગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના શિક્ષકોએ આ મામલે પોસ્ટકાર્ડ અભિયાન શરુ કર્યું છે. આ પોસ્ટકાર્ડ અભિયાન થકી વિરોધ નોંધાવ્યો છે. શિક્ષકોએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને એક અઠવાડિયા સુધી પોસ્ટકાર્ડ લખી જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરશે. શિક્ષકોનું કહેવું છે કે, રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ પણ જુની પેન્શન…

Vadodara : વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત, સરકારે જ નર્મદા નિગમની કચેરી કરી સીલ

વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત થઈ છે. વડોદરામાં સરકારી કચેરીને સરકારે જ સીલ મારવું પડ્યું છે. ડભોઈ કોર્ટના આદેશ બાદ નર્મદા નિગમની કચેરીએ સીલ લાગ્યું છે. ડભોઈ કોર્ટે ખેડૂતોને નાણાં ન ચૂકવતા મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ડભોઈ કોર્ટે 30 કરોડ ખેડૂતોને ચૂકવવા આદેશ કર્યો છે. આ પણ વાંચો :- Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે જમીન સંપાદન મામલે ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી સરકાર સામે કાનૂની લડત લડી રહ્યા હતા. આખરે ખેડૂતોની 34 વર્ષની લડત રંગ લાવી છે. મળતી વિગત મુજબ 1989માં નર્મદા નિગમે ડભોઈની આસપાસ 6 ગામોની જમીન સંપાદિત કરી હતી. અને 1991માં 543 ખેડૂતોને 23 રૂપિયા ચો. ફૂટ ભાવે આ જમીનનું…

Surat : સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા, સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ

સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. હિંદુ યુવતીના નગ્ન ફોટા પાડીને તેણીને બ્લેકમેઇલ કર્યા બાદ વારંવાર રેપ કરનાર આરોપીને કોર્ટે બળાત્કારના ગુનામાં તકસીરવાર ઠેરવ્યો હતો. અને ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ એક લાખનો દંડ કરતો હુકમ કર્યો હતો. આ પણ વાંચો :- Surat : સુરતમાં ક્રેન તૂટી પડતા દુર્ઘટનાં સર્જાઈ, એક શ્રમિકનું મોત, 1ની હાલત ગંભીર આ કેસની વિગત મુજબ વેસુ વિસ્તારમાં રહેતી તેમજ ધો. ૧૨માં અભ્યાસ કરતી સગીરાની મુલાકાત સ્કૂલમાં જ અભ્યાસ કરતા અને ઘોડદોડ રોડ ઉપર ડિવાઇન સ્કૂલની પાસે લવલી પાર્કમાં રહેતા અશદ અલ્તાફ વિરાની તેમજ આર્યન મહેતાની સાથે થઈ હતી. આ દરમિયાન સગીરા અને અશદ વચ્ચે પ્રેમ થયો હતો અને અશદે સગીરાના નગ્ન ફોટા પાડીને તેને બ્લેકમેઇલ કરવાનું…

Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી

ગુજરાત વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રીનું મોટુ એલાન કર્યું છે. સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર ડૉક્ટર્સની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. જેમાં વિધાનસભામાં ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં 1900 ડૉક્ટરની ભરતી કરવામાં આવશે. આ પણ વાંચો :- Dhoraji : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા આ બાબતે ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 1900થી વધુ ડૉક્ટરની ભરતી કરવામાં આવનાર છે. જેમાં વર્ગ-1ની 1100થી વધુ જગ્યા ભરાશે. અને વર્ગ-2ની 800 જગ્યા ભરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં આ ભરતીને લઇ દેખાડા કરવામાં આવ્યા હતા. આ પણ વાંચો :- Mehsana : સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા…

gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગને લઈને આજથી હડતાળની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા મુજબ અનેક વખત સરકારને તેમના પ્રશ્નોને લઈને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પરંતુ તેમની વારંવારની રજૂઆત બાદ પણ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ના લેવાતા મહાસંઘ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ પણ વાંચો :- gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ આરોગ્યકર્મી મહાસંઘ જિલ્લા કક્ષાએ કલેક્ટર, DDOને આવેદનપત્ર આપશે. તેમજ 18 અને 19 માર્ચે સાંસદો અને ધારાસભ્યોને આવેદન પાઠવશે. આરોગ્ય કર્મચારીઓ પોતાના આવેદન પત્રમાં ગ્રેડ પે, ટેક્નિકલ ગ્રેડમાં સમાવેશ સહિતની માંગણીઓ મંજૂર કરવા સરકારને રજૂઆત કરી છે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી તેમના પ્રશ્નોનોનો ઉકેલ ના…

Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”

ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારને સ્થાન ન આપવાનો વિવાદ જાણે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે,બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે,ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી એ BJPની નીતિ છે. આ પણ વાંચો :- Vadodara : વડોદરામાં ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, હત્યા કરાઈ હોવાની આશંકા તેઓએ જણાવ્યું હતું કે, સરકારે કલા અને સંસ્કૃતિને જીવંત રાખનાર કલાકારોનું સન્માન કર્યું. ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન ન આપ્યું. સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે તેમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું. તો બીજી તરફ અભિનેતા વિક્રમ ઠાકોરને લોકગાયક કીર્તિદાન ગઢવીનું સમર્થન મળ્યું છે. તેઓએ વિધાનસભામાં વિઝિટ માટે ન બોલાવતા વિક્રમ ઠાકોરની નારાજગીને…

gandhinagar : ગુજરાત સરકારને મળી અરજીઓ, એપ્રિલમાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા

રાજ્ય સરકારે જંત્રીના દરમાં વધારો કર્યો હતો. ત્યાર બાદ એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના સેવાઈ રહી છે. કારણ કે, 11000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી. જેમાં 6000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડા માટેની છે. CM કક્ષાએ અંતિમ નિર્ણય બાદ નવા દર જાહેર થઈ શકે છે. આ પણ વાંચો :- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ એક શહેરમાંથી 1000 જેટલી અરજી આવેલી છે. જેમાં 800 વાંધા અરજીઓ આવી છે. મોટા ભાગે જંત્રી દરમાં વિસંગતતા હોવાની અરજીઓ છે. સૂચિત જંત્રીદર સામે વાંધા અરજી દાખલ કરવામાં આવી છે. જે કેટલી યોગ્ય છે અને જંત્રીદરમાં કેટલી વિસંગતતા છે તેની સમીક્ષા કરવા કલેકટર…

Rajkot : રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર થયો કડવો અનુભવ, હકાભા ગઢવીને તંત્રને કરી આ અપીલ

રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીને કડવો અનુભવ થયો છે. લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતાં કહ્યું કે, સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમના ફરજ પ્રત્યે ગંભીર નથી. ડોકટર ગમે તે સમયે હોસ્પિટલમા આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સરકારી હોસ્પિટલમાં ડોકટરોની આવી કામગીરીના કારણે સરકારની છબી ખરડાઈ છે. આ પણ વાંચો :- Patan : હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગનો સપાટો, પાટણમાં ઘી બનાવતા બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરાયા હકાભા ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું કે, ડોક્ટરોની દાદાગીરી એટલી બધી વધી છે કે તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી. 15 દિવસ પહેલા તેમની બહેનનો અકસ્માત થયો હતો. બહેનના અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન વખતે તેમને કડવો અનુભવ થયો. હકાભા ગઢવીએ વધુમાં કહ્યું કે જો…