ભારતમાં અગ્નિવીર બનવા નેપાળમાં આંદોલન, ગોરખા ભરતી ફરી શરૂ કરવાની માંગ
ભારતીય સેનામાં નેપાળી ગોરખા યુવાનોની ભરતીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. નેપાળના પોખરા શહેરમાં પૂર્વ ગોરખા સૈનિકો અને યુવાનો દ્વારા ભારતીય સેનામાં ભરતી ફરી શરૂ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓએ ખાસ કરીને અગ્નિવીર યોજના હેઠળ નેપાળી યુવાનોને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરવાની માગણી કરી છે. આ મુદ્દો ભારત અને નેપાળ વચ્ચેના લાંબા સમયથી ચાલતા ગોરખા સૈનિકોના સંબંધો સાથે પણ જોડાયેલો છે. ભારતમાં પોખરામાં થયેલા પ્રદર્શન દરમિયાન પૂર્વ સૈનિકો અને સમર્થકોએ નેપાળ સરકાર સમક્ષ પોતાની માગણીઓ રજૂ કરી હતી. તાજેતરના અહેવાલો અનુસાર, પ્રદર્શનકારીઓએ સરકારને બે મુદ્દાની રજૂઆત સોંપી હતી અને ભારતીય સેનામાં ગોરખા ભરતી ફરી શરૂ કરવા માટે માર્ગ મોકળો કરવાની અપીલ કરી હતી. આ વિરોધ ભારતીય સેનાના…






