મકરસંક્રાંતિ પર્વનો જાણો રાજ્યમાં કેવો છે માહોલ | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
ઉતરાયણ પર્વ નિમિત્તે અમિત શાહ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે ગૃહમંત્રી જમાલપુર જગન્નાથ મંદિરે કર્યા દર્શન દર્શન સાથે સાથે કર્યું ગૌ માતાનું પૂજન ગૃહમંત્રીએ જગન્નાથ મંદિરે મહંતશ્રીનાં આશીર્વાદ લીધા ગોંડલમાં કોળી સમાજનાં ઈષ્ટદેવના પ્રાગટય દિવસની ઉજવણી શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી શોભાયાત્રા અને જ્ઞાતિ ભોજન સમારોહનું ભવ્ય આયોજન રાજ્યકક્ષાનાં મંત્રી પરસોતમ સોલંકીની ઉપસ્થિતિ કેબિનેટ મંત્રી કુવરજી બાવળીય પણ ખાસ હાજર કોળી સમાજનાં અનેક આગેવાનો કાર્યક્રમમાં હાજર શહેર તથા તાલુકાના તમામ ઘર દ્વારા પ્રસાદનું આયોજન ઘર દીઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ પીરસાશે શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસમાં ખાસ ટેબલો આકર્ષણ મહેસાણાઃ સતલાસણા ખાતે ઉતરાયણ પર્વમાં લોકો ઊંધિયું-જલેબી લેવા ઉમટ્યા અકસ્માત ટાળવા 108 અને 112 ટીમ તત્પર લોકોને ચાઇનીઝ દોરી અને…
રીબડા: અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ-રાજદીપ સહિત 4 સામે નોંધાઈ દુષ્પ્રેરણની ફરિયાદ, જાણો શું છે મામલો
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગોંડલ ચર્ચામાં છે. આઅ દરમિયાન ફરી એક વાર ગોંદયલ ચર્ચામાં આવ્યું છે. આજે રીબડાની સીમમાં અમિત ખૂંટ નામના વ્યક્તિએ આપઘાત કર્યો હતો જે મામલે મૃતકના ભાઈએ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા, પૌત્ર રાજદીપસિંહ જાડેજા તેમજ બે યુવતીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રીબડાની સીમમાં અમિત ખૂંટે આપઘાત કરી લેતા તેના પરિવારજનો અને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા રિબડાના સ્થાનિક રાજકીય વર્ચસ્વ ધરાવતા વ્યક્તિઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ મૃતક અમિત દામજી ખૂંટના ભાઈ મનીષ દામજી ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમિતને આપઘાત માટે દુષ્પ્રેરણ કરવા (આત્મહત્યા માટે પ્રેરવા)ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.…
ગોંડલની ઘટનાને લઈ અમિત ચાવડાએ ગૃહ રાજ્ય મંત્રીને કર્યા સવાલ, જાણો શું કહ્યું
ગઈ કાલે ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચેનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ અને તેના સાથીદારો કાલે ગોંડલ પહોંચ્યા હતા. જેમાં અલ્પેશ કથીરિયાના કાફલાની કારના કાચ તોડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. જેને લઈને અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપની આંતરિક લડાઈ ખૂલ્લી પડી ગોંડલમાં અલ્પેશ કથીરિયાની મુલાકાત બાદ સર્જાયેલ વિવાદને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ભાજપની આંતરિક લડાઈ ખૂલ્લી પડી ગઈ છે. ગોંડલમાં યૂપી-બિહાર જેવા દ્રશ્યો જોવા મળ્યા. જાહેરમાં ગાડીના કાચ તૂટ્યા. ગુંડાગીરી કરવામાં આવી. જે બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું…
જયરાજસિંહ જાડેજાએ કેમ કહ્યું, ‘તો… મારી જાહેર જીવન છોડવાની તૈયારી !’, જાણો શું છે મામલો
આજે સમગ્ર ગુજરાતની નજર ગોંડલ પર હતી. ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા આજે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમનો વિરોધ દર્શાવવામાં આવી આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘટનાને લઈ જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે જ તેમણે જમીન પચાવવાના આરોપને લઈને કહ્યું હતું કે, એકપણ પાટીદારની જમીન તેમણે પડાવી નથી અને જો પડાવી હોય તો મારી જાહેર જીવન છોડવાની તૈયારી છે. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. લોક રોષ જોઇને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. 500 કિલોમીટર દૂર રહિને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે. ગણેશ…
ગોંડલ યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો હરાજીમાં કેટલો ભાવ બોલાયો ?
ગોંડલના માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. કેસરની સાથે રત્નાગિરી હાફૂસ પણ માર્કેટમાં આજે જોવા મળી હતી. ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની 10 કિલોના 100 બોક્સની આવક થઈ છે. આ તરફ હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ભાવ રૂ. 2500થી 3500 બોલાયો હતો. ગોંડલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ખેડૂતોની ગીરની કેસર કેરીના 10 કિલોના 100 બોક્સની આવક થવા પામી હતી. ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી છે. જેમાં હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ઉંચો ભાવ રૂ.3500 તથા નીચો ભાવ રૂપિયા 2500 બોલાયો હતો. ઉનાળાની સીઝનની કેસર કેરીની પ્રથમ આવક થવા પામી હતી. સ્વાદના શોખીનો કેસર કેરીની તગડી કિંમત ચુકવી ખરીદી કરી રહ્યા છે.…
ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવી અપડેટ, પોલીસે NC ગુનો અજાણ્યા શખ્સ વિરૂદ્ધ નોંધાયો
ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવો જ વળાંક આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ સામે ગોંડલમાં NC ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા શખ્સે લાફો માર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક તરફ ગણેશ જાડેજાએ રાજકુમાર જાટ એને તેના પિતા સામે પોલીસમાં અરજી કરી છે. જેમાં ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કર્યાની પોલીસમાં અરજી કરી છે. આ તરફ આ અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે તો બીજી તરફ હવે પોલીસ દ્વારા આ કેસમાં અજાણ્યા શખ્સ સામે NC ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. રાજકુમાર જાટના મોત કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર મૃતકના શરીર પર લાકડી…
Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે”
રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકને મારવાની ઘટનામાં મહત્વનું નિવેદન આપ્યું હતું. સાંસદ પરશોત્તમ રુપાલાએ કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે. અમારા આગેવાનો મારમારીની ઘટનામાં ભોગ બનેલ યુવકને મળવા ગયા હતા. સામાજિક તણાવ ના થાય તે ધ્યાનમાં રાખવાનું જરૂરી છે. પરશોત્તમ રુપાલાએ તમામને સામાજિક સૌહાર્દ જળવાય તેને લઈને અપીલ કરી છે. ગોંડલમાં પાટીદાર યુવક સામે થયેલ ઘટનામાં પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું. આ પણ વાંચો :- અમેરીકાની ધરતી પર વધુ ગુજરાતીઓના મોત,મોલમાં પિતા-પુત્રીને એક શખ્સે મારી ગોળી જો કે, પરશોત્તમ રુપાલાએ ગોંડલમાં રાજકુમાર જાટની હત્યા થઈ હતી કે, અકસ્માતે મોત થયું હતું તેને લઈને ચાલતા વિવાદમાં બોલવાનું ટાળ્યું. સાંસદ પરશોત્તમ રુપાલા અવારનવાર વિવાદાસ્પદ મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા હોય છે. થોડા દિવસો અગાઉ…
Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ માગ
ગોંડલમાં પાટીદાર સમાજ દ્વારા રેલી યોજી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં સગીરને ત્રણ શખ્સે ધોકા વડે માર માર્યાની ઘટનામાં પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 19 માર્ચે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યાર બાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ગતરાત્રિના જેલ ચોક પટેલવાડી ખાતે પાટીદાર સમાજની મિટિંગનું આયોજન કરાયું હતું.અને આરોપીઓનો વરઘોડો કાઢવા માટે માંગ ઉઠી છે. આ પણ વાચો :- ગુજરાતનાં ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કેટલા વર્ષનો કર્યો વધારો પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે કે,આરોપીઓનો વરઘોડા કાઢવામાં આવે અને જો આ વાતનું શનિવાર સુધી નિરાકરણ ન આવે તો ગોંડલ બંધનું એલાન આપવામાં આવશે. સગીર પર હુમલાને લઈ પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. પોલીસ સામે પાટીદાર…
Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો
રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોતને લઈ છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે,રાજકુમાર જાટના મોતને લઇ પોલીસનો દાવો છે કે અકસ્માતમાં તેનું મોત થયું છે એટલે કે બસની અડફેટે તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,પોલીસે ખાનગી બસને પણ ગુનામાં લીધી છે અને ડ્રાઈવર અને કલિનરની અટકાયત કરી છે. આ પણ વાંચો :- Ahmedabad : આજે ગરમીથી મળશે રાહત, પવનોની દિશા બદલતા તાપમાનમાં નોંધાયો ઘટાડો અકસ્માતમાં રાજકુમાર જાટનું થયું મોતઃ પોલીસ :- સમગ્ર ઘટનાને લઇ તેઓએ જણાવ્યું હતું કે રાજકુમારના મોત અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં શરીર પર નાની મોટી 42 ઇજાના નિશાનો જોવા મળ્યા છે. આ ઇજા પ્રાથમિક દ્રષ્ટ્રીએ અકસ્માતને કારણે…
Gondal : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની મબલખ આવક, સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની મબલખ આવક નોંધાઈ છે. જેમાં અંદાજે 80 હજારથી વધુ બોરી મરચાની આવક નોંધાઈ છે.હરાજીમાં 20 કિલોના 1000 થી 2500 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. યાર્ડ બહાર 2,000 થી 2,500 વાહનોની લાંબી કતાર પણ જોવા મળી છે. આ પણ વાંચો :- Gandhinagar : ભાજપના જિલ્લા પ્રમુખોનાં નામ જાહેર, જાણો ક્યાં કોની કરાઈ વરણી મરચાની મબલખ આવકથી ગ્રાઉન્ડમાં જગ્યા ટૂંકી પડી છે જેને લઈ અન્ય જગ્યા ભાડે રાખી મરચા ઉતારવાની વ્યવસ્થા કરાઇ છે.સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડમાં આવતા હોય છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં જેતપુર કોટડા સાંગાણી ગોંડલ રાજકોટ અને જામકંડોરણા તાલુકાના તેમજ જૂનાગઢ અને જામનગર જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મરચા વેચવા માટે આવતા હોય છે.…
















