“કાયદાના દાયરામાં રહો અમેરિકા”, સંયુક્ત રાષ્ટ્રે ટ્રમ્પને આપ્યું અલ્ટીમેટમ

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ (UNHRC) એ અમેરિકાના તાજેતરના લશ્કરી હુમલાઓ પર તીખી પ્રતિક્રિયા આપતા યુનાઇટેડ સ્ટેટ્સને કડક ચેતવણી આપી છે. આ હુમલાઓ કેરેબિયન અને પેસિફિક મહાસાગરમાં કથિત ડ્રગ હેરફેર કરતી બોટો પર કરવામાં આવ્યા હતા, જેમાં 60થી વધુ લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે. UNHRCના વડા વોલ્કર તુર્કે જણાવ્યું કે આ કાર્યવાહી “આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન” છે અને “ન્યાયિક હત્યા” સમાન છે. તેમણે અમેરિકા સામે અલ્ટીમેટમ જાહેર કરતા કહ્યું કે, “વોશિંગ્ટનને આવા ઘાતક હુમલાઓ તાત્કાલિક બંધ કરવા પડશે.” “ઘાતક બળનો કોઈ વાજબી ઉપયોગ નથી”: વોલ્કર તુર્ક વોલ્કર તુર્કે કહ્યું કે ડ્રગ હેરફેર સામે લડવું જરૂરી છે, પરંતુ “ઘાતક હુમલો ઉકેલ નથી.” તેમના કહેવા પ્રમાણે, કાયદા અનુસાર ઘાતક બળનો ઉપયોગ ફક્ત ત્યારે જ થઈ શકે છે જ્યારે કોઈના…

ઇટાલીના કેથોલિક ચર્ચમાં હડકંપ, 4,400 થી વધુ લોકોના જાતીય શોષણના ચોંકાવનારા આરોપો

ઇટાલીનું કેથોલિક ચર્ચ એક વાર ફરી ગંભીર આરોપોના વાવાઝોડામાં છે. પાદરીઓ અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો પર 4,400 થી વધુ જાતીય શોષણના કિસ્સાઓના સનસનીખેજ આરોપો લાગ્યા છે. આ આંકડા બહાર આવતા જ વિશ્વભરના કેથોલિક સમુદાયમાં આંચકો ફેલાયો છે અને ચર્ચ પ્રત્યે લોકોની આસ્થાને ગંભીર ઠેસ પહોંચી છે. આપત્તિજનક આંકડા બહાર આવ્યા ઇટાલિયન ચર્ચ દુર્વ્યવહાર વિરોધી સમૂહ Rete l’Abuso દ્વારા બહાર પાડાયેલા અહેવાલ અનુસાર, સંસ્થા પાસે અત્યાર સુધી 1,250 શંકાસ્પદ કેસોના દસ્તાવેજો છે, જેમાંથી 1,106 કેસ સીધા પાદરીઓ સાથે સંબંધિત છે. અહેવાલ મુજબ: – પીડિતોની કુલ સંખ્યા: 4,625 – પાદરીઓ દ્વારા શોષણના કેસ: 4,395 – અલ્પવયસ્ક (18 વર્ષથી નીચે) પીડિતો: 4,451 – પુરુષ પીડિતો: 4,108 – અન્ય પીડિતો: 5 નન, 156 પુરુષો અને 11 દિવ્યાંગ લોકો…

મેડાગાસ્કરમાં Gen-Z યુવાનોના હિંસક વિરોધ પ્રદર્શનથી રાષ્ટ્રપતિ રાજોએલિનાનું દેશ છોડીને ફારાર

હિંદ મહાસાગરના પૂર્વ કિનારે આવેલા આફ્રિકાના ટાપુ રાષ્ટ્ર મેડાગાસ્કરમાં Gen-Z યુવાનોના અઠવાડિયા લાંબા હિંસક વિરોધ પ્રદર્શનોએ રાજકીય તણાવની નવી સીમા પાર કરી છે. રાષ્ટ્રપતિ આન્દ્રે રાજોએલિનાએ રવિવારે દેશ છોડીને ફરાર થવાનો નિર્ણય લીધો છે. તેમણે દાવો કર્યો કે દેશમાં સૈન્ય દ્વારા બળવો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ ઘટના Gen-Z બળવો અને ઉચ્ચ કક્ષાના અધિકારીના રાજીનામાનું તાજુ ઉદાહરણ બની છે. નોંધનીય છે કે ગયા મહિને નેપાળમાં પણ આવા જ Gen-Z વિરોધોના કારણે વડા પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું. ફ્રેન્ચ સૈનિકોએ રાષ્ટ્રપતિને સલામત બહાર કાઢ્યું રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિનંતી પર એક ફ્રેન્ચ લશ્કરી વિમાને રાષ્ટ્રપતિ રાજોએલિનાને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો. આ પહેલાં ફ્રેન્ચ દૂતાવાસે મેડાગાસ્કરમાં કોઈ પણ પ્રકારના લશ્કરી હસ્તક્ષેપનું…

તાઇવાનના રાષ્ટ્રપતિનો દાવો: ‘ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈએ’

તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈએ એવો અનોખો દાવો કર્યો છે. તેમનું માનવું છે કે જો ટ્રમ્પ ચીને તાઇવાન વિરુદ્ધ લશ્કરી બળનો ઉપયોગ ન કરવા માટે મનાવી શકે, તો તે આ પુરસ્કાર માટે યોગ્ય ઉમેદવાર બની શકે છે. ટ્રમ્પ અને તાઇવાન મુદ્દો તાઇવાનના રાષ્ટ્રપતિએ અમેરિકન રેડિયો શો અને પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, “જો ટ્રમ્પ શી જિનપિંગને તાઇવાન પર કોઈપણ લશ્કરી આક્રમણ ન કરવાની દિશામાં સ્થિર કરી શકે, તો તે નિઃસંદેહ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવે.” તેઓએ ઉમેર્યું કે, હાલમાં ચીન તાઇવાન પર દબાણ વધારી રહ્યો છે અને આ ફક્ત તાઇવાન માટે જ નહીં, પણ સમગ્ર આંતરરાષ્ટ્રીય શાંતિ માટે પણ જોખમરૂપ છે. તેમ છતાં, તાઇવાનનો સૌથી મોટો સમર્થક…

ફ્રાંસમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે એફિલ ટાવર બંધ, પ્રવાસીઓ નિરાશ

ફ્રાંસના રાષ્ટ્રવ્યાપી વિરોધ અને હડતાળના માહોલ વચ્ચે, પેરિસના દુનખ્યાત ઐતિહાસિક સ્મારક એફિલ ટાવરને તાત્કાલિક અસરથી મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સરકારની સામાજિક યોજનાઓમાં ખર્ચ ઘટાડા સામે લોકોમાં ઉગ્ર વિરોધ છે અને આંદોલનનો વ્યાપ સમગ્ર દેશમાં ફેલાયો છે. ગુરુવારથી શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનમાં પેરિસ સહિત 200થી વધુ શહેરોમાં હજારો લોકોએ રસ્તાઓ પર ઉતરીને સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. એવી સ્થિતિમાં, પ્રવાસીઓની સલામતી અને ટાવર સ્ટાફની હડતાળને કારણે ટાવરની મુલાકાત બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વિરોધના મુખ્ય મુદ્દા: – સામાજિક કલ્યાણ યોજનાઓમાં ઘટાડો ન કરો – તેની જગ્યાએ ઉચ્ચ આવક ધરાવતા વર્ગો પર ટેક્સ વધારો કરો – કર્મચારીઓની પણ માંગ: વધારાની સંખ્યામાં સ્ટાફ અને જાળવણી માટે પૂરતું નાણાંકીય રોકાણ જરૂરી છે એફિલ ટાવર, જે દર…