પાકિસ્તાન : પરમાણુ બટનથી લઈને તમામ નિર્ણય હવે સેનાના હાથમાં?, અસીમ મુનીર બનશે પાકિસ્તાનના “સુપર પીએમ”

પાકિસ્તાનમાં સૈન્યને વધુ શક્તિ આપવાનો એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. શાહબાઝ શરીફ સરકાર પાકિસ્તાનના બંધારણમાં 27મો સુધારો (27th Constitutional Amendment) રજૂ કરવાની તૈયારીમાં છે, જેના કારણે આર્મી ચીફ અસીમ મુનીરને દેશનો પ્રથમ “ફિલ્ડ માર્શલ” બનાવવામાં આવશે અને તેમને અમર્યાદિત સત્તાઓ મળશે. આ સુધારો પસાર થયા બાદ, પાકિસ્તાનમાં સૈન્યને પરમાણુ હુમલા સહિતના તમામ વ્યૂહાત્મક અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત નિર્ણયોમાં અંતિમ શબ્દ મળશે એટલે કે, પરમાણુ બટનથી લઈને નીતિ નિર્ણય સુધી સૈન્યનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે.

ફિલ્ડ માર્શલ પદથી શરૂ થશે “નવો પાકિસ્તાન”
સૂત્રો અનુસાર, આ સુધારો 7 નવેમ્બરે સેનેટમાં રજૂ થવાનો છે, અને તે ટૂંક સમયમાં પસાર થવાની શક્યતા છે. નવી જોગવાઈઓ અનુસાર ફિલ્ડ માર્શલ નામનું નવું બંધારણીય પદ બનાવવામાં આવશે, જેનો કાર્યકાળ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન જેવો ૫ વર્ષનો રહેશે. ફિલ્ડ માર્શલને ત્રણેય સશસ્ત્ર દળોના વડા અને ISIના ડિરેક્ટર જનરલની નિમણૂક કરવાની સત્તા મળશે. આ પદ બંધારણીય રક્ષણ હેઠળ રહેશે એટલે કે સરકાર બદલાય કે ન બદલાય, ફિલ્ડ માર્શલના નિર્ણયોને પડકારવામાં નહીં આવે. અસીમ મુનીર માત્ર રક્ષણ અને સુરક્ષા નીતિ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સંસાધનોના ઉપયોગ અંગેના નિર્ણયો પર પણ નિયંત્રણ ધરાવશે.

“આર્મી એક્ટ 1952” માં ફેરફાર
– આ સુધારાના ભાગરૂપે આર્મી એક્ટ 1952માં પણ સુધારો થશે.
– ચેરમેન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટિનું પદ દૂર થઈ શકે છે.
– નવા પદ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફની રચના કરવામાં આવશે, જે ફિલ્ડ માર્શલને સીધો રિપોર્ટ કરશે.

લોકશાહી માટે ખતરો કે સૈન્યનો ઉદય?
વિરોધ પક્ષોએ આ પગલાને લોકશાહી પર સીધો પ્રહાર ગણાવ્યો છે.
પીપીપી નેતા બિલાવલ ભુટ્ટોએ જણાવ્યું કે તેમની પાર્ટી આ સુધારા પર અંતિમ નિર્ણય લેશે, જોકે રાજકીય સૂત્રો માને છે કે શાસક ગઠબંધન પાસે પૂરતો ટેકો છે. કાનૂની નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ સુધારો ન્યાયિક સ્વતંત્રતા અને નાગરિક સત્તા પર ખતરો ઉભો કરી શકે છે.

ઐતિહાસિક ફેરફાર
આ પહેલી વાર હશે જ્યારે પાકિસ્તાનમાં ફિલ્ડ માર્શલનું બંધારણીય પદ કાયમી ધોરણે સ્થાપિત થશે. વિશ્લેષકો માને છે કે આ સુધારાથી સૈન્યની શક્તિ બંધારણીય રીતે સર્વોચ્ચ બનશે અને લોકશાહી સ્વરૂપમાં મૂળભૂત પરિવર્તન આવશે.

આ સુધારાનો નિર્ણય હવે સંસદના હાથમાં છે પરંતુ સ્પષ્ટ છે કે આ પગલું પાકિસ્તાનના ભવિષ્યનું રાજકીય અને સૈન્ય સંતુલન બદલી નાખશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે PM મોદી અને નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનિક વાતચીત, 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને બદલાતા વૈશ્વિક રાજદ્વારી સમીકરણો વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી છે. ગુરુવારે થયેલી આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો, સુરક્ષા સ્થિતિ અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે થયેલી આ વાતચીતને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે હાલ પશ્ચિમ એશિયામાં અનેક પડકારો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સામે આવી રહ્યા છે. બંને નેતાઓએ વર્તમાન પરિસ્થિતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો. ચાર મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં મુખ્યત્વે ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.…

દેશભરમાં મેઘતાંડવ યથાવત, હિમાચલથી કેરળ સુધી ભારે વરસાદનો કહેર : અનેક રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલન

દેશભરમાં ચોમાસું હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ક્યાંક ભૂસ્ખલન, ક્યાંક મકાન ધરાશાયી થવાની ઘટનાઓ તો ક્યાંક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ તબાહી હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 64 લોકોના મોત થયા છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા મુજબ ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધી અંદાજે 797 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે રાજ્યના 120 રસ્તાઓ બંધ થઈ…