યુક્રેનમાં ફરી ભારતીયો પર સંકટ: ઓડેસા બંદર નજીક વેપારી જહાજ પર હુમલો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફરી એકવાર ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. યુક્રેનના મહત્વપૂર્ણ ઓડેસા બંદર નજીક એક વેપારી જહાજ પર હુમલો થતાં તેમાં સવાર ચાર ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી બે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય બે ભારતીયોની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. કીવ સ્થિત ભારતીય દૂતાવાસે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે તે સ્થાનિક સત્તાવાળાઓ અને સંબંધિત એજન્સીઓના સતત સંપર્કમાં છે. શું બની સમગ્ર ઘટના? ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, યુક્રેનના ઓડેસા બંદર પર ‘MV AGN Ragnar’ નામના વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજમાં ચાર ભારતીય ક્રૂ મેમ્બર્સ ફરજ બજાવી રહ્યા હતા. હુમલા બાદ બે ભારતીયો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય બે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી. દૂતાવાસે જણાવ્યું છે કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તમામ સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરીને ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ભારતીય દૂતાવાસનું સત્તાવાર નિવેદન કીવ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, બે ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત છે. અન્ય બે ભારતીયોની માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન અને બંદર સત્તાવાળાઓ સાથે સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે. ઘટનાની દરેક નવી માહિતી પર નજર રાખવામાં આવી રહી છે. દૂતાવાસે ભારતીય નાગરિકોની સુરક્ષા પોતાની પ્રથમ પ્રાથમિકતા હોવાનું પણ જણાવ્યું છે. ઓડેસા કેમ છે સંવેદનશીલ? ઓડેસા યુક્રેનનું સૌથી મહત્વપૂર્ણ બ્લેક સી (કાળો સમુદ્ર) બંદર માનવામાં આવે છે. વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ આ વિસ્તાર અનેક વખત મિસાઈલ અને ડ્રોન હુમલાનો ભોગ બન્યો છે. આ બંદર અનાજ, ખાદ્ય સામગ્રી અને અન્ય વેપારી માલની નિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી તે વારંવાર નિશાના પર રહે છે. વેપારી જહાજો માટે પણ અહીં કામગીરી જોખમભરી બની ગઈ છે. થોડા દિવસ પહેલાં જ 4 ભારતીયોના મોત આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે થોડા દિવસ પહેલાં જ યુક્રેનના કિનારા નજીક એક કાર્ગો જહાજ પર થયેલા હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત થયા હતા. તે હુમલામાં અન્ય એક ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાએ ભારત સરકારને પણ ચિંતિત કરી હતી અને વિદેશ મંત્રાલયે રશિયાના ચાર્જ ડી અફેર્સને સમન્સ પાઠવીને સખત વિરોધ નોંધાવ્યો હતો. ભારતે સ્પષ્ટ જણાવ્યું હતું કે વેપારી જહાજો પર હુમલા અને તેમાં ભારતીય નાગરિકોના મૃત્યુ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. યુદ્ધનો ભોગ બનતા ભારતીય નાવિકો રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ હજારો ભારતીય નાગરિકો યુક્રેનમાંથી પરત ફર્યા હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોમાં ફરજ બજાવતા અનેક ભારતીય નાવિકો હજુ પણ વિશ્વના વિવિધ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહ્યા છે. વેપારી જહાજો આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વપૂર્ણ હોવાથી તેઓ અનેક વખત યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં ક્રૂ સભ્યોના જીવ પર સતત જોખમ રહે છે. ભારતના હજારો નાવિકો વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં કાર્યરત છે, જેના કારણે દરેક આવી ઘટના દેશમાં ચિંતા વધારતી રહે છે. ભારત સરકારની નજર ભારતીય વિદેશ મંત્રાલય અને યુક્રેન સ્થિત દૂતાવાસ સમગ્ર ઘટનાની નજીકથી દેખરેખ રાખી રહ્યા છે. જરૂર પડ્યે સ્થાનિક પ્રશાસન, જહાજ સંચાલક કંપની અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલન કરીને ભારતીય નાગરિકોને મદદ પહોંચાડવામાં આવશે. સરકાર સતત એ પણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થાય. આગળ શું? હાલ સૌની નજર બાકીના બે ભારતીય ક્રૂ મેમ્બર્સ અંગે મળનારી સત્તાવાર માહિતી પર છે. જો તેઓ સુરક્ષિત મળી આવશે તો રાહતના સમાચાર મળશે, જ્યારે ઘટનાની સંપૂર્ણ તપાસ બાદ હુમલાના કારણો અને નુકસાન અંગે વધુ વિગતો સામે આવશે. ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે નવી માહિતી મળતાં જ તે જાહેર કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ તમામ સહાય પૂરી પાડવામાં આવશે. યુક્રેનના ઓડેસા બંદર નજીક વેપારી જહાજ પર થયેલા હુમલાએ ફરી એકવાર યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત ભારતીય નાવિકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હાલમાં બે ભારતીયો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય બે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. થોડા દિવસ પહેલાં જ ચાર ભારતીય નાવિકોના મોત બાદ બનેલી આ નવી ઘટનાએ ભારત સરકાર અને ભારતીય પરિવારોની ચિંતા વધુ વધારી છે. Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive X : https://x.com/bindia276
IRIS ડેના પર અમેરિકી સબમરીનના હુમલાને લઈને નવો દાવો, અમેરિકાએ આપી હતી ચેતવણી
હિંદ મહાસાગરમાં ઈરાનના યુદ્ધજહાજ IRIS ડેના પર અમેરિકી સબમરીનના હુમલાને લઈને એક નવો દાવો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ જહાજ પર સવાર એક ઈરાની નાવિકને હુમલા પહેલા પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ ક્રૂ મેમ્બર્સને જહાજ છોડવાની બે વખત ચેતવણી આપી હતી. અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર આરોપ લગાવ્યો આ જાણકારી તે નાવિકે પોતાના પિતાને હુમલાના થોડા સમય પહેલા આપી હતી. તેનાથી શ્રીલંકાની પાસે થયેલા અમેરિકી સબમરીનના હુમલા પહેલાના થોડા સમય પહેલાની તસ્વીર સામે આવી છે. આ દાવો ઈરાનના સત્તાવાર નિવેદનથી અલગ છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું હતું કે તેમના યુદ્ધ જહાજ IRIS ડેના પર આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોઈ ચેતવણી વગર હુમલો કરવામાં આવ્યો. સૈયદ અબ્બાસ અરાઘચીએ આ હુમલાને વખોડ્યો હતો અને અમેરિકાની કાર્યવાહી કોઈ પૂર્વ સૂચના વગર કરવામાં આવી હતી પણ ઈરાની નાવિકના પિતાએ આ ઘટનાને પલટી દીધી છે. ક્રૂ મેમ્બર્સે કમાન્ડરના નિર્ણયને લઈને વિરોધ પણ કર્યો નાવિકે પોતાના પિતાને જણાવ્યું હતું કે અમેરિકી સેના તરફથી બે વખત ચેતવણી આપવામાં આવી હતી કે ક્રૂ મેમ્બર્સ જહાજ છોડી દે. જો કે વોરશિપના કમાન્ડરે આવનારા જોખમ છતાં ક્રૂને જહાજ છોડવાની પરવાનગી આપી નહતી. હુમલાના થોડા સમય પહેલા કેટલાક ક્રૂ મેમ્બર્સે કમાન્ડરના નિર્ણયને લઈને વિરોધ પણ કર્યો હતો. બુધવારે હિંદ મહાસાગરમાં અમેરિકી સબમરીને યુદ્ધજહાજ IRIS ડેના પર ટોરપીડોથી હુમલો કર્યો હતો. આ હુમલો શ્રીલંકાના દક્ષિણ પોર્ટથી લગભગ 19 નોટિકલ માઈલ દૂર થયો હતો. આ હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. શ્રીલંકન અધિકારીઓએ ડિસ્ટ્રેસ સિગ્નલ મળ્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. આ દરમિયાન 87 મૃતદેહ એકત્ર કર્યા અને 32 લોકોના જીવ બચાવ્યા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
લેબનોનમાં ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલા : હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર સહિત 12ના મોત
લેબનોનના પૂર્વી અને દક્ષિણ વિસ્તારોમાં રવિવારે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડર સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત નીપજ્યા હોવાનું અહેવાલો જણાવે છે. હુમલાઓને કારણે પ્રદેશમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે દાવો કર્યો છે કે બેકા ખીણના બાલબેક વિસ્તારમાં સ્થિત હિઝબુલ્લાહના ત્રણ મહત્વપૂર્ણ કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સૈન્યના જણાવ્યા મુજબ, આ સેન્ટરોનો ઉપયોગ ઇઝરાયેલ વિરુદ્ધ રોકેટ હુમલા અને અન્ય સશસ્ત્ર ગતિવિધિઓના આયોજન માટે થતો હતો. નવેમ્બર 2024ના યુદ્ધવિરામ બાદ આ સૌથી ઘાતક હુમલો ગણાઈ રહ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતકોમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર હુસૈન મોહમ્મદ યાઘીનો સમાવેશ થાય છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે હુમલામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ લેબનોનના સિદોન નજીક આવેલા ઐન અલ-હિલવેહ પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર પણ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. અહીં હમાસના બે સભ્યોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. હિઝબુલ્લાહના નેતા મહમૂદ કમાતીએ આ હુમલાઓને “નૃશંસ નરસંહાર” ગણાવી કડક પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે દેશના સંરક્ષણ માટે પ્રતિકાર જરૂરી છે. લેબનોનના રાષ્ટ્રપતિ Joseph Aounએ પણ હુમલાની નિંદા કરી છે અને ચેતવણી આપી છે કે આ પ્રકારની કાર્યવાહી પ્રાદેશિક સ્થિરતાને ખોરવી શકે છે. વિશ્વ રાજકારણની પૃષ્ઠભૂમિમાં જોવામાં આવે તો, US અને ઈરાન વચ્ચે વધતા તણાવના સમયમાં આ હુમલાઓ નોંધપાત્ર છે. નિષ્ણાતોનું માનવું છે કે જો પરિસ્થિતિ વધુ બગડશે, તો સમગ્ર મધ્ય પૂર્વમાં વ્યાપક સંઘર્ષની શક્યતા ઊભી થઈ શકે છે. હાલમાં ઇઝરાયેલે પોતાની ઉત્તરી સરહદ પર સતર્કતા વધારી છે અને કોઈપણ પ્રતિક્રિયા માટે સજ્જ હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહેલા લેબનોન માટે આ પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
દક્ષિણ કોરિયામાં તાલીમ દરમિયાન AH-1S ‘કોબ્રા’ હેલિકોપ્ટર ક્રેશ, બે સેનાના અધિકારીઓના મોત
દક્ષિણ કોરિયાના ગ્યોંગગી પ્રાંતમાં આજે સૈન્ય દુર્ઘટનાએ હિલ્લા મચાવી દીધું છે. સેનાનું શક્તિશાળી AH-1S કોબ્રા હેલિકોપ્ટર તાલીમ ઉડાન દરમિયાન ગેપ્યોંગ કાઉન્ટીની નદીના કિનારે તૂટી પડ્યું. દુર્ભાગ્યવશ, હેલિકોપ્ટરમાં સવાર બંને જુનિયર વોરંટ ઓફિસરોનું સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. અકસ્માતની વિગતો હેલિકોપ્ટર સેનાના 15મા એવિએશન ગ્રુપનું હતું. ઉડાન શરૂ થયા પછી જ તે બેઝથી માત્ર 800 મીટરના અંતરે ક્રેશ થયું. અકસ્માતમાં કોઈ વિસ્ફોટ કે આગ લાગ્યાનું અહેવાલ નથી, પરંતુ હેલિકોપ્ટરના ફુરચા ઉડી ગયા હતા. બંને ગંભીર રીતે ઘાયલ અધિકારીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો. સેનાના પગલાં દુર્ઘટનાના પગલે, દક્ષિણ કોરિયાની સેના દ્વારા તમામ કોબ્રા હેલિકોપ્ટરોનું ઓપરેશન તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યું છે. સેનામાં શોકની લહેર દોડી ગઈ છે અને દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ભૂમધ્ય સમુદ્ર બન્યો ‘મોતનું સરનામું’: લીબિયાના કિનારે હોડી પલટી, 53 ના જીવન સમુદ્રમાં દફન
યુરોપમાં સારી જીવનની શોધમાં નીકળેલી હોડીમાં 53 પરપ્રાંતિય શ્રમિકોનું ભૂમધ્ય સમુદ્રમાં કરુણ મોત નીપજ્યું છે. ઉત્તર આફ્રિકા દેશ લીબિયાના દરિયાકાંઠેથી યુરોપ પહોંચવાના પ્રયાસમાં નીકળેલી હોડી તોફાની મોજાઓ સામે હાર માની ગઈ અને પલટી ગઈ, જેના કારણે ડઝનો લોકોના સપનાઓ મોજામાં વિખરી ગયા. માનવ તસ્કરીનો ભયાનક માહોલ પ્રાપ્ત અહેવાલો મુજબ, માનવ તસ્કરોએ ક્ષમતા કરતા વધુ લોકોને નાનકડી રબર બોટમાં ભરી, સલામતી સાધનો કે લાઈફ જેકેટ વગર દરિયામાં છોડ્યાં હતા. મોજાઓના અથડામણ અથવા એન્જિન ફેઈલ થવાને કારણે બોટ પલટી ગઈ. મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકો શામેલ છે, જે ગરીબી અને અંધાધૂંધી જીવનથી બચવા યુરોપમાં આશરો મેળવવા નીકળ્યા હતા. “તરતા કબ્રસ્તાન” સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (IOM)ના મતે, ભૂમધ્ય સમુદ્રનો આ પટ્ટો હવે ‘તરતા કબ્રસ્તાન’ તરીકે ઓળખાય છે. માનવ તસ્કરો લોકોને હજારો ડોલર સાથે લલચાવીને જોખમી સ્થિતિમાં દરિયામાં છોડે છે. 53 લોકોના મોત માત્ર આંકડા નથી, પણ માનવતાના ગાલ પર એક કડક તમાચો છે. બચાયેલા લોકોની હાલત સદનસીબે બચેલા લોકો માનસિક અને શારીરિક આઘાતમાં છે. તેઓ ડિહાઈડ્રેશન અને થાકથી લથપથ છે. લીબિયાની રાજકીય અસ્થિરતાનો લાભ ઉઠાવતા તસ્કરો હજુ પણ સેંકડો લોકોને આવા જોખમી મુસાફરીમાં ધકેલી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ માનવાધિકાર સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ઘટનાની કડક નિંદા કરી છે અને યુરોપીય દેશોને બચાવ કામગીરી માટે વધુ સંસાધનો ફાળવવા અપીલ કરી છે. ભૂમધ્ય સમુદ્રમાં દટાયેલા આ 53 શ્રમિકોના સપનાઓ વિશ્વને પુછે છે કે આ જીવલેણ પ્રવાસનો અંત ક્યારે આવશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ફોન પર કરી વાત, ટ્રાયમ્ફલ આર્ચ પ્રોજેક્ટ પર પણ ટ્રમ્પે આપ્યા ઇશારા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન પર વાતચીત કરી છે. આ વાતચીત ભારત અને અમેરિકા વચ્ચે સતત ચાલી રહેલા ઉચ્ચસ્તરીય સંપર્કનો એક ભાગ માનવામાં આવી રહી છે. માહિતી સર્જિયો ગોર, જે અમેરિકામાં ભારતના રાજદૂત અને દક્ષિણ-મધ્ય એશિયાના વિશેષ દૂત છે, દ્વારા આપી છે. પહેલાની વાતચીત ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની છેલ્લી ફોન વાતચીત 10 ડિસેમ્બર 2025માં થઈ હતી. તે સમયે બંને નેતાઓએ ટેરિફ અને વેપારને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ તાજેતરની વાતચીત બંને નેતાઓ વચ્ચે ત્રીજી વખતની ફોન પર ચર્ચા બની. ટ્રાયમ્ફલ આર્ચની ચર્ચા 1 ફેબ્રુઆરીએ ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે વોશિંગ્ટન ડીસીમાં છેલ્લા 200 વર્ષથી એક ટ્રાયમ્ફલ આર્ચ બનાવવા અંગે ચર્ચા થઈ રહી છે, પરંતુ હજુ સુધી આ સ્મારક તૈયાર નથી. વિશ્વના 57 શહેરોમાં ટ્રાયમ્ફલ આર્ચ છે, પરંતુ વોશિંગ્ટન એકમાત્ર મોટું શહેર છે, જ્યાં આ સ્મારક નથી. ટ્રમ્પે કહ્યું કે આ પ્રોજેક્ટ પર કામ જલ્દી શરૂ થઈ શકે છે. આ વિજય દ્વારને અનૌપચારિક રીતે ‘આર્ક ડી ટ્રમ્પ’ કહેવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે આ યોજનાનો ઉલ્લેખ ઓક્ટોબર 2025માં કર્યો હતો અને તેમણે તેને અમેરિકાની 250મી વર્ષગાંઠના અવસરે તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે આગામી વર્ષે ઉજવાશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
“વાતચીત માટે તૈયાર, પણ દબાણ સહન નહીં” – ઈરાનની કડક ચેતવણી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ ગભરાઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા જણાવ્યું કે, તેઓએ હવે નિર્ણય લેવો પડશે અથવા તો વાટાઘાટોના માર્ગે આગળ વધવું, અથવા તો ગંભીર સૈન્ય પરિણામો માટે તૈયાર રહેવું. ઈરાનની પ્રતિક્રિયા ઈરાનની તરફથી સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા મળી છે. ઇરાન સરકારે જણાવ્યું છે કે, તેઓ પરસ્પર આદર અને બંને દેશોના હિતોને ધ્યાનમાં રાખીને વાતચીત કરવા તૈયાર છે, પણ જો ધમકાવવામાં આવે અથવા દબાણ કરવામાં આવે તો પોતાનો બચાવ કરવા સક્ષમ છે. ઈરાનના નેતાઓએ ચેતવણી આપી છે કે, જો હુમલો કરવામાં આવે, તો એવો જવાબ આપવામાં આવશે જે વિશ્વે અગાઉ ક્યારેય જોયો ન હોય. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, ઈરાન હવે કોઈ પણ પ્રકારની ધમકી સહન કરવા તૈયાર નથી. અમેરિકાની તૈયારી અમેરીકા પણ પોતાની સૈન્ય તૈયારી દર્શાવી રહી છે. ટ્રમ્પે જણાવ્યું કે, એક વિશાળ નૌકાદળ ઈરાન તરફ આગળ વધી રહ્યું છે, જેના નેતૃત્વ યુદ્ધજહાજ અબ્રાહમ લિંકન કરી રહ્યું છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ નૌકાદળ વેનેઝુએલાની દિશામાં મોકલાયેલા દળ કરતા પણ વધારે શક્તિશાળી છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, અમેરિકા શાંતિ ઇચ્છે છે, પણ પરિસ્થિતિ બગડે તો તે ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરશે. તેમણે અગાઉના સૈન્ય અભિયાનનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, ઈરાનને ભૂતકાળમાં થયેલા નુકસાન કરતાં આગળનું નુકસાન વધારે ગંભીર હોઈ શકે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
પાકિસ્તાનને UAEનો ‘ઝટકો’: ઈસ્લામાબાદ એરપોર્ટ ડીલ રદ, ભારત-UAE સંબંધો મજબૂત
પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક શરમજનક સ્થિતિ સર્જાઇ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વના ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર એરપોર્ટના સંચાલન અને વિકાસ માટેનો પ્રસ્તાવિત કરાર અચાનક રદ કરી દીધો છે. આ નિર્ણય UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારતની સફળ મુલાકાત બાદ લેવામાં આવ્યો હોવાનું નોંધાયું છે. એક તરફ ભારત અને UAE વચ્ચે અબજો ડોલરના રોકાણ અને સંરક્ષણ કરારો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાને તેના સૌથી જૂના ખાડી દેશના સહયોગનો ભરોસો ગુમાવી દીધો છે. UAEનો નિવેદન અને રાજકીય દૃષ્ટિકોણ UAE એ આ નિર્ણય પાછળ પાકિસ્તાની પ્રોજેક્ટ્સમાં “રસનો અભાવ” હોવાનું કારણ બતાવ્યું છે. રાજકીય નિષ્ણાતો માને છે કે આ નિર્ણય પાછળ પાકિસ્તાનની આર્થિક નબળાઈ, આંતરિક રાજકીય અસ્થિરતા અને સુરક્ષા મુદ્દા મુખ્ય કારણ છે. શાહબાઝ શરીફે તાજેતરમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી ‘શાંતિ બોર્ડ’માં ભાગ લીધો હતો, પરંતુ UAEના આ કડક નિર્ણયો સામે તે નિષ્ફળ રહ્યું. ભારત-UAE સંબંધો મજબૂત બીજી તરફ, ભારત અને UAEના સંબંધો ‘સુપર ફાસ્ટ ટ્રેક’ પર દોડે છે. એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના ક્ષેત્રમાં બંને દેશોની ભાગીદારી દક્ષિણ એશિયામાં શક્તિનું નવું સંતુલન ઉભું કરી રહી છે. UAE દ્વારા પાકિસ્તાનના એરપોર્ટ ડીલ રદ કરવું સ્પષ્ટ સંકેત છે કે ખાડી દેશો હવે માત્ર સ્થિર અને વ્યવહારુ અર્થતંત્ર સાથે સહયોગ કરવા ઈચ્છે છે. આ ઘટનાથી પાકિસ્તાનમાં અન્ય વિદેશી રોકાણકારો પાછળ હટવાની શક્યતા વધે છે, જે દેવામાં દબાયેલા દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે. UAEનો નિર્ણય પાકિસ્તાન માટે મોટી આર્થિક અને રાજકીય ઝટકો છે, જ્યારે ભારત માટે આ વિશ્વસનીય સહયોગ અને રોકાણનું નવું માહોલ બનાવનાર સંકેત છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
અમેરિકામાં ભયાનક ‘વિન્ટર સ્ટોર્મ’નું તાંડવ : બે ડઝન એરપોર્ટ્સ બંધ, હિમવર્ષાએ હવાઈ સેવાઓને ઠપ્પ કરી
અમેરિકામાં હાલ પ્રચંડ ‘વિન્ટર સ્ટોર્મ’ના કારણે જનજીવન સાથે-साथ હવાઈ પરિવહન પણ ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યું છે. ભારે હિમવર્ષા, તીવ્ર પવન અને હાડ થીજવતી ઠંડીને કારણે દેશભરના હવાઈ વ્યવહારમાં અફરાતફરી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, માત્ર એક જ દિવસમાં અંદાજે ૧૨,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે ૨૪થી વધુ એરપોર્ટ્સ સંપૂર્ણપણે બંધ કરવાના કઠોર નિર્ણય લેવામાં આવ્યા છે. હવાઈ સેવાઓ પર વ્યાપક અસર આજના હવાઈ ટ્રાફિક ડેટા મુજબ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. કુલ ફ્લાઈટ્સમાંથી લગભગ 69% વ્યવહાર ખોરવાયો છે. જ્યારે 47% ફ્લાઈટ્સ સંપૂર્ણપણે રદ કરાઈ છે મુખ્ય એરલાઈન્સે મોટા પ્રમાણમાં ફ્લાઈટ્સ રદ કરી ભારે બરફવર્ષાને કારણે દેશની અગ્રણી એરલાઈન્સે તેમની હજારો ફ્લાઈટ્સ સ્થગિત કરી છે: – American Airlines – 3874 ફ્લાઈટ્સ – Delta Air Lines – 2367 ફ્લાઈટ્સ – United Airlines – 1964 ફ્લાઈટ્સ – Southwest Airlines – 1339 ફ્લાઈટ્સ – JetBlue – ૫૯૨ ફ્લાઈટ્સ સંપૂર્ણપણે બંધ કરાયેલા એરપોર્ટ્સ ખરાબ દ્રશ્યતા અને રનવે પર જામી ગયેલા બરફને કારણે અનેક એરપોર્ટ્સ પર તમામ કામગીરી અટકાવવામાં આવી છે. તેમાં મુખ્યત્વે: ન્યૂયોર્કનું LaGuardia (LGA), ન્યૂ જર્સીના CDW, MMU, ટેક્સાસનું AFW, પેન્સિલવેનિયાના ABE, AVP, નોર્થ કેરોલિનાનું FAY, આર્કન્સાસનું FYV, મિસિસિપીના GLH, TUP, સાઉથ કેરોલિનાના GMU, GSP, મેસેચ્યુસેટ્સનું HVN, મિઝોરીનું JLN, ઓક્લાહોમાનું LAW, કેન્ટુકીના LEX, PAH, ટેનેસીનું MKL, ઇલિનોઇસનું MWA, વર્જિનિયાનું PHF તેમજ ન્યૂ વિન્ડસરનું SWF એરપોર્ટ સામેલ છે. આગામી ૨૪ કલાક હજુ પણ મુશ્કેલ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨૪ કલાક સુધી તોફાનની અસર યથાવત રહેવાની શક્યતા છે. પરિણામે ફ્લાઈટ્સમાં વધુ વિલંબ અથવા રદ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. એરલાઈન્સે મુસાફરોને એરપોર્ટ પર જવા પહેલાં ફરજિયાત રીતે પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચકાસવાની સૂચના આપી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
અમેરિકામાં ભયાનક હિમવર્ષા, જનજીવન અસ્તવ્યસ્ત; 13,500થી વધુ ફ્લાઇટ્સ રદ્દ
અમેરિકા હાલમાં સદીની સૌથી ભયાનક હિમવર્ષાનો સામનો કરી રહ્યું છે. દેશના પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલા ભારે બરફવર્ષાએ જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાંખ્યું છે. રાષ્ટ્રીય હવામાન વિભાગના અંદાજ મુજબ આ તોફાની હિમવર્ષાની અસર અમેરિકાની અડધી વસ્તી, એટલે કે આશરે 18 કરોડ લોકો પર પડી શકે છે. દક્ષિણ રોકી પર્વતોથી શરૂ થયેલું આ તીવ્ર તોફાન હવે ન્યૂ ઇંગ્લેન્ડ અને ન્યૂયોર્ક તરફ આગળ વધી રહ્યું છે. ભારે બરફ, બરફીલા પવન અને અત્યંત નીચા તાપમાનના કારણે રસ્તાઓ, રેલવે અને હવાઈ સેવાઓ પર ગંભીર અસર પડી છે. એવિએશન ક્ષેત્રે સૌથી મોટું સંકટ આ હિમવર્ષાને કારણે અમેરિકાના હવાઈ ઇતિહાસમાં સૌથી મોટા સંકટોમાંનું એક સર્જાયું છે. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર અત્યાર સુધીમાં 13,500થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. માત્ર રવિવારે જ આશરે 9,600 ફ્લાઇટ્સ રદ થવી પડી હતી. કોરોના મહામારી બાદ પ્રથમ વખત આવી વિશાળ સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ થવાનો બનાવ બન્યો છે. વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ પર સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં 97 ટકા ફ્લાઇટ્સ રદ્દ કરી દેવાઈ છે. પરિણામે એરપોર્ટ્સ પર મુસાફરોની ભારે ભીડ અને અફરાતફરીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 1 થી 2 ફૂટ બરફ પડવાની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે કે વોશિંગ્ટન, ન્યૂયોર્ક અને બોસ્ટન જેવા મોટા શહેરોમાં 30 થી 60 સેન્ટીમીટર (1 થી 2 ફૂટ) સુધી બરફ પડી શકે છે. ઠંડી એટલી તીવ્ર છે કે વરસાદ પડતાંની સાથે જ તે બરફમાં ફેરવાઈ જાય છે, જેના કારણે રસ્તાઓ પર લપસણી સર્જાઈ છે અને વાહનવ્યવહાર લગભગ ઠપ્પ થઈ ગયો છે. તમામ મોટી એરલાઇન્સ અસરગ્રસ્ત આ તોફાની હિમવર્ષાની અસર તમામ મોટી એરલાઇન્સ પર પડી છે. અમેરિકન એરલાઇન્સ, ડેલ્ટા, સાઉથવેસ્ટ અને યુનાઇટેડ જેવી દિગ્ગજ કંપનીઓએ તેમની હજારો ફ્લાઇટ્સ રદ્દ કરવાની ફરજ પડી છે. સામાન્ય રીતે વ્યસ્ત રહેતા એટલાન્ટા અને જ્હોન એફ. કેનેડી જેવા એરપોર્ટ્સ હાલમાં લગભગ સૂમસામ દેખાઈ રહ્યા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
















