ઇટાલીના કેથોલિક ચર્ચમાં હડકંપ, 4,400 થી વધુ લોકોના જાતીય શોષણના ચોંકાવનારા આરોપો

ઇટાલીનું કેથોલિક ચર્ચ એક વાર ફરી ગંભીર આરોપોના વાવાઝોડામાં છે. પાદરીઓ અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો પર 4,400 થી વધુ જાતીય શોષણના કિસ્સાઓના સનસનીખેજ આરોપો લાગ્યા છે. આ આંકડા બહાર આવતા જ વિશ્વભરના કેથોલિક સમુદાયમાં આંચકો ફેલાયો છે અને ચર્ચ પ્રત્યે લોકોની આસ્થાને ગંભીર ઠેસ પહોંચી છે.

આપત્તિજનક આંકડા બહાર આવ્યા
ઇટાલિયન ચર્ચ દુર્વ્યવહાર વિરોધી સમૂહ Rete l’Abuso દ્વારા બહાર પાડાયેલા અહેવાલ અનુસાર, સંસ્થા પાસે અત્યાર સુધી 1,250 શંકાસ્પદ કેસોના દસ્તાવેજો છે, જેમાંથી 1,106 કેસ સીધા પાદરીઓ સાથે સંબંધિત છે.

અહેવાલ મુજબ:
– પીડિતોની કુલ સંખ્યા: 4,625
– પાદરીઓ દ્વારા શોષણના કેસ: 4,395
– અલ્પવયસ્ક (18 વર્ષથી નીચે) પીડિતો: 4,451
– પુરુષ પીડિતો: 4,108
– અન્ય પીડિતો: 5 નન, 156 પુરુષો અને 11 દિવ્યાંગ લોકો

સંસ્થાના સ્થાપક ફ્રાન્સેસ્કો ઝાનાર્ડીએ જણાવ્યું કે આ આંકડા વિવિધ પીડિતોના નિવેદનો, કાનૂની રેકોર્ડ્સ અને મીડિયા રિપોર્ટ્સ પરથી તૈયાર કરવામાં આવ્યા છે.

વેટિકન અને CEI પર પ્રશ્નો
વર્ષો સુધી ચાલતા પાદરીઓના શોષણના કિસ્સાઓ સામે હવે વેટિકન પર કાર્યવાહીમાં વિલંબ અને છુપાવવાના આરોપો ફરી એકવાર ઉઠ્યા છે. ઇટાલિયન બિશપ્સ કાઉન્સિલ (CEI)એ અહેવાલ પર કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. પરંતુ ગયા અઠવાડિયે વેટિકન ચાઇલ્ડ પ્રોટેક્શન કમિશનએ CEIની કટુ ટીકા કરી હતી કે તેઓ “સુરક્ષા પ્રથાઓને ગંભીરતાથી અમલમાં નથી લાવતા.” કમિશનના અહેવાલ મુજબ, ઇટાલીના 226 ધર્મપ્રાંતોમાંથી માત્ર 81 એ જ બાળકોની સુરક્ષા સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા હતા, જે ચર્ચની પારદર્શિતા પર સવાલ ઊભો કરે છે.

પોપ લિયોની કડક ચેતવણી
નવા પોપ લિયોએ તાજેતરમાં જાતીય શોષણના પીડિતો સાથે મુલાકાત કરી હતી અને તમામ બિશપ્સને આદેશ આપ્યો હતો કે,“ચર્ચની પ્રતિષ્ઠા બચાવવા કોઈ ગુનાહિત કૃત્યને છુપાવવું ન જોઈએ.” પોપે જણાવ્યું કે ચર્ચ હવે આ પ્રકારના દુર્વ્યવહાર સામે શૂન્ય સહનશીલતા નીતિ અપનાવશે.

આસ્થાની કસોટી
ઇટાલીમાં કેથોલિક ચર્ચ પર વિશ્વાસનો સંકટ ઊભો થયો છે. વર્ષો સુધી ચાલતા કૌભાંડો, ન્યાય માટે લડતા પીડિતો અને અસ્પષ્ટ જવાબદારીઓએ ચર્ચની છબી પર ભારે આંચકો કર્યો છે. આ તાજેતરનો અહેવાલ ચર્ચના તંત્ર માટે આત્મપરીક્ષણ અને સુધારાનો સંદેશ આપે છે.

ઇટાલીના કેથોલિક ચર્ચ સામે 4,400થી વધુ જાતીય શોષણના કેસોની સામે આવતાં વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. પીડિતોમાં નન, સગીરો અને દિવ્યાંગ લોકોનો સમાવેશ થતો હોવાથી મામલો વધુ ગંભીર બની ગયો છે. હવે આખી દુનિયા વેટિકનની આગામી કાર્યવાહી તરફ જોશ રાખી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ…

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…