યુદ્ધવિરામ થતાં જ પાકિસ્તાને ખોલ્યું પોતાનું હવાઈ ક્ષેત્ર, થઈ રહ્યું હતું દરરોજ કરોડોનું નુકસાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા તણાવ અને બંને પક્ષો તરફથી હવાઈ હુમલા અને લશ્કરી કાર્યવાહી બાદ હવે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યું છે. અમેરિકાના હસ્તક્ષેપ બાદ, બંને દેશોમાં તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. આ પછી પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલી દીધું છે. બંને દેશો વચ્ચે તણાવ વધ્યા બાદ પાકિસ્તાને તાજેતરમાં જ પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. પરંતુ હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ બાદ, તેને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં ઉડ્ડયન પ્રવૃત્તિઓને સામાન્ય બનાવવાની દિશામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન આરીતે કરતું હતું પોતાનો બચાવ પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી અનુસાર, હવે દેશના તમામ એરપોર્ટ સંપૂર્ણપણે કાર્યરત છે અને નિયમિત ફ્લાઇટ્સ માટે ઉપલબ્ધ છે. આનાથી…