આગામી સપ્તાહે 4 દિવસ બેન્ક બંધ રહેશે, ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે બેન્કિંગ સેવા બંધ

જો તમારે ઓગસ્ટના અગામી સપ્તાહે બેન્કનું કોઈ મહત્વનું કામકાજ કરવાનું હોય તો આ સમાચાર તમારા માટે ખાસ મહત્વના છે. 24થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં તહેવારો અને સાપ્તાહિક રજાઓને કારણે બેન્ક શાખાઓ ચાર દિવસ બંધ રહેવાની છે. ખાસ કરીને ગુજરાતમાં 28 ઓગસ્ટે રક્ષાબંધન નિમિત્તે બેન્ક શાખાઓમાં કામકાજ બંધ રહેશે. તેથી રોકડ જમા કરાવવી, ચેક સંબંધિત કામ, બેન્ક એકાઉન્ટનું કામ કે અન્ય શાખા આધારિત સેવા લેવાની હોય તો ગ્રાહકોએ રજાઓને ધ્યાનમાં રાખીને કામ વહેલાસર પૂર્ણ કરી લેવું યોગ્ય રહેશે. બેન્કોની રજાઓ રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોય છે. એટલે કોઈ એક રાજ્યમાં બેન્ક બંધ હોય ત્યારે બીજા રાજ્યમાં બેન્કિંગ કામગીરી સામાન્ય રીતે ચાલુ રહી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના હોલિડે કેલેન્ડર મુજબ આગામી સપ્તાહમાં ઈદ-એ-મિલાદ,…

ભારતીયો પર સરેરાશ રૂ. 4.77 લાખનું દેવું! 28.3 કરોડ લોકોએ લીધી લોન, ગોલ્ડ લોનમાં 600%નો ઉછાળો

ભારતમાં સરળ હપ્તા, ડિજિટલ લોન અને ઝડપથી મળતી ક્રેડિટ સુવિધાઓના કારણે લોકોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાની રીતમાં મોટો બદલાવ આવ્યો છે. એક સમયે બચતને પ્રાથમિકતા આપતા પરિવારો હવે ઘર, વાહન, શિક્ષણ, રોજિંદા ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટે લોનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. સંસદમાં રજૂ કરાયેલા તાજેતરના આંકડાઓ દેશના વધતા વ્યક્તિગત દેવા તરફ ધ્યાન દોરે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં યુનિક બોરોઅર્સ એટલે કે સક્રિય લોન લેનારા ગ્રાહકોની સંખ્યા 28.3 કરોડથી વધુ થઈ ગઈ છે. ઉપલબ્ધ આંકડા મુજબ વ્યક્તિદીઠ સરેરાશ દેવું આશરે રૂ. 4,77,583 સુધી પહોંચી ગયું છે. ભારતમાં પર્સનલ ક્રેડિટ રૂ. 69.39 લાખ કરોડે પહોંચ્યું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને ક્રેડિટ બ્યુરો TransUnion CIBILના ડેટાના આધારે રજૂ કરવામાં…

ભારતમાં એપ્રિલ-મે 2027થી પોલિમર નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે, RBI ગવર્નરે આપ્યો સંકેત

ભારતીય ચલણ વ્યવસ્થામાં આગામી વર્ષે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક બેંકનોટ્સ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટીની (MPC) ત્રણ દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું કે જો તમામ તૈયારીઓ યોજના મુજબ પૂર્ણ થશે તો એપ્રિલ-મે 2027થી પ્લાસ્ટિક નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે છે. શરૂઆતમાં ઓછી કિંમતની નોટોને પોલિમર સ્વરૂપમાં બજારમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેના પરિણામોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. ભારતમાં ગવર્નરે જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ₹10, ₹20 અને ₹50 જેવી નાની મૂલ્યની નોટો ખૂબ ઝડપથી ગંદી થઈ જાય છે અથવા ફાટી જાય છે. આ નોટોને વારંવાર બદલવી પડતી હોવાથી દર વર્ષે મોટી…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાના સંકેત? ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં 5%નો કડાકો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાતા ભારતના પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૂટનીતિક વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના નિવેદન બાદ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ઓછો થઈ શકે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાય અંગેની ચિંતા ઘટી છે અને ભાવમાં ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પની જાહેરાતથી પેટ્રોલ-ડીઝલ બજારમાં હલચલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સંભવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે ટાળવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે સીધી વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.…

આર્થિક ગોઠવણ: AMCમાં સિક્યોરિટીના નામે ‘સેફ ગેમ’? 13 વર્ષમાં ₹325 કરોડનું આંધણ, જનતાના ટેક્સના પૈસા બાઉન્સરોના વટમાં હોમાયા!

પંકજ મકવાણા – અમદાવાદ: શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પ્રજાની સેવા માટે છે કે સત્તાધીશોના ‘વિઆઈપી કલ્ચર’ના રક્ષણ માટે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે છેલ્લા ૧૩ વર્ષમાં મ્યુનિસિપલ તિજોરીમાંથી સિક્યોરિટી ગાર્ડ્સ અને બાઉન્સરોના નામે ₹૩૨૫.૪૬ કરોડ જેવી માતબર રકમ ચૂકવી દેવામાં આવી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે શાસકો પોતાની આસપાસ બાઉન્સરો રાખીને જનતાના પૈસે વટ પાડી રહ્યા છે. સિક્યોરિટી એજન્સીઓનો ‘ધીકતો ધંધો’ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિક્યોરિટી પૂરી પાડતી એજન્સીઓ માટે આ વ્યવસાય સોનાની લગડી સાબિત થયો છે. વર્ષ ૨૦૧૨-૧૩ થી ૨૦૨૫-૨૬ સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ખર્ચનો આંકડો સતત ઊંચો જઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૦ થી ૨૦૨૫) આ ખર્ચમાં તોતિંગ વધારો જોવા મળ્યો…

સોનાં-ચાંદીમાં ભારે ઉતારચઢાવ: ઊંચાઈએથી નીચે પટકાયા ભાવ, રોકાણકારો સતર્ક

નવા વર્ષની શરૂઆતમાં સોનું અને ચાંદીના ભાવોએ ઐતિહાસિક ઉછાળો નોંધાવ્યો હતો, પરંતુ હવે બંને કિંમતી ધાતુઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી પોતાના સર્વોચ્ચ સ્તરેથી અંદાજે 1,67,104 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ ગઈ છે, જ્યારે સોનું પણ આશરે 36,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યું છે. ચાંદીના ભાવમાં મોટો ઘટાડો 29 જાન્યુઆરીએ ચાંદી 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. ત્યારબાદ બજારમાં તેજ વેચવાલી જોવા મળી અને ભાવોમાં સતત ઘટાડો નોંધાયો. – 13 ફેબ્રુઆરીએ ચાંદી 2,44,360 રૂપિયા પર બંધ થઈ – એક સપ્તાહમાં 8,584 રૂપિયાનો ઉછાળો – શુક્રવારે 2,52,944 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી – તેમ છતાં, તે જાન્યુઆરીના સર્વોચ્ચ સ્તરથી ઘણું નીચે ટ્રેડ થઈ રહી છે. સોનામાં પણ સમાન પ્રવૃત્તિ 13 ફેબ્રુઆરીએ 10 ગ્રામ…

SBI ની ‘જાયન્ટ’ છલાંગ: TCS ને પછાડી ભારતની ચોથી સૌથી મોટી કંપની બની

ભારતીય શેરબજારમાં નવો ઇતિહાસ રચાયો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), હવે માર્કેટ કેપના આધારે આઈટી દિગ્ગજ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ને પાછળ છોડીને ભારતની ચોથી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે. બુધવારે NSE પર SBI ના શેરમાં 3.23% નો ઉછાળો જોવા મળ્યો અને શેર ₹1,183 ની સપાટીએ બંધ થયો. આ તેજીને કારણે બેંકનું કુલ બજાર મૂલ્ય ₹15 લાખ કરોડ પાર કરી ગયું છે. લાંબા સમય બાદ કોઈ જાહેર ક્ષેત્રની સંસ્થાએ ખાનગી ક્ષેત્રની ટોચની આઈટી કંપનીઓને રેન્કિંગમાં પછાડી છે. SBI ની સફળતાના મુખ્ય કારણો – મજબૂત ત્રિમાસિક પરિણામો – લોન વૃદ્ધિમાં નોંધપાત્ર સુધારો – નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં વધારો – NPA (નબળી લોન) માં ઘટાડો, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો…

ચાંદીના ભાવમાં કડાકો: નફાખોરી કે મંદીની શરૂઆત? ડેટા સામે ખુલ્યું રોકાણકારોની વ્યૂહરચનાનું રહસ્ય

વિશ્લેષકો અને ડેટા અનુસાર, 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે ભંડોળ પ્રવાહનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે આ કોઈ લાંબા ગાળાની મંદીનો સંકેત નથી, પરંતુ માત્ર ટેકનિકલ કરેકશન (સુધારો) છે. રોકાણકારોએ બજાર છોડવાની બદલે, માત્ર નફો બુક કરીને પોતાની પોઝિશન એડજસ્ટ કરી છે. ભંડોળ પ્રવાહમાં ફેરફાર ત્રણ અઠવાડિયામાં ચાંદીના ભંડોળમાંથી આશરે $2.9 બિલિયન નીચેથી ઉડી ગયા હતા, પરંતુ હાલમાં $1.5 બિલિયનનો નવો પ્રવાહ જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચાંદીના ભાવ ટૂંકા ગાળામાં ખૂબ વધી ગયા હતા, તેથી દબાણ આવતા જ ભાવમાં ઘટાડો થવો સામાન્ય છે. રોકાણકારોની વ્યૂહરચના જ્યારે ચાંદી અને સોનામાં નફાખોરી થઈ રહી છે, ત્યારે એનર્જી સેક્ટરમાં રોકાણકારોનો આશાવાદ ઊંચો છે. એનર્જી ઈક્વિટી ફંડ્સમાં $4 બિલિયનનું રોકાણ આવ્યું છે, જે સપ્ટેમ્બર 2008 પછીનો…

શેરબજારમાં ભારે કડાકો: બજેટની એક જાહેરાતથી રોકાણકારોમાં ગભરાટ, સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યો

કેન્દ્ર સરકારના બજેટમાં કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવાનો નિર્ણય રોકાણકારોને પસંદ ન પડતા બજારમાં જોરદાર વેચવાલી શરૂ થઈ છે. બજેટ મુજબ, F&O હેઠળ STT ને 0.1 ટકા પરથી વધારીને 0.15 ટકા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે અગાઉના બજેટમાં પણ STTમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેડર્સ પહેલેથી જ દબાણમાં હતા. આ વખતે ફરી વધારો થતા ટૂંકા ગાળાના રોકાણકારો અને ડેરિવેટિવ ટ્રેડર્સમાં ભારે નિરાશા ફેલાઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઐતિહાસિક ઘટાડો બજેટની જાહેરાત બાદ બજાર ખુલતાની સાથે જ ભારે વેચવાલી જોવા મળી: – સેન્સેક્સમાં 2000 પોઈન્ટથી વધુનો ઘટાડો – નિફ્ટી લગભગ 700 પોઈન્ટ ઘટીને…

જાપાનને પાછળ છોડી ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું

સરકારે તાજેતરમાં જ પ્રસિદ્ધ કરેલા આર્થિક સમીક્ષા રિપોર્ટ અનુસાર, ભારતે જાપાનને પાછળ છોડી, કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)ના આધારે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. સરકારના જણાવ્યા મુજબ, ભારતની GDP લગભગ 4.18 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી છે. આ સાથે ભારત અમેરિકા, ચીન અને જર્મની પછી વૈશ્વિક આર્થિક ક્રમમાં ચોથા ક્રમે આવી ગયું છે. આ આંકડાઓની અંતિમ પુષ્ટિ આંતરરાષ્ટ્રીય નાણાકોષ (IMF) 2026ની પ્રથમ છમાસિકમાં કરશે. છેલ્લા દસ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાનો કદ લગભગ દોગણો થયો છે. મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ અર્થતંત્રમાં થયેલા સુધારાઓએ વૃદ્ધિને મજબૂત આધાર આપ્યો છે. वित્ત વર્ષ 2025–26ની બીજી ત્રિમાસિકમાં GDP વૃદ્ધિ દર 8.2% નોંધાઈ, જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે. મજબૂત ઘરેલુ માંગ, ઉપભોક્તા ખર્ચ, રોકાણમાં વધારો…