ગુજરાત સરકારે દિવાળી પર જાહેર કરી વધુ એક રજા, સરકારી કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે વધારાની રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને તહેવારની ઉજવણી માટે વધુ લાંબો સમય મળી શકે છે. કઈ તારીખે રહેશે રજા? સરકારના આદેશ અનુસાર, રાજ્યની તમામ સરકારી કચેરીઓ, જેમાં પંચાયત કચેરીઓ અને રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશનોનો સમાવેશ થાય છે, ૨૧ ઓક્ટોબર અને ૨૪ ઓક્ટોબરના રોજ બંધ રહેશે. આ રજાઓના કારણે કર્મચારીઓ દીપાવલી દરમિયાન વધુ આરામદાયક સમય વિતાવી શકશે. વધારાની રજાઓ માટે શરતો આ વધારાની બે રજાઓ બદલામાં સરકારી કર્મચારીઓને બે બીજા શનિવારે (સેકન્ડ સેટરડે) કામ કરવા ફરજ પડશે. જાહેર કરવામાં આવેલી સૂચનામાં જણાવાયું છે કે: 8 નવેમ્બર, 2025 (નવેમ્બરનો બીજો શનિવાર) 13 ડિસેમ્બર, 2025 (ડિસેમ્બરનો બીજો શનિવાર) આ બંને તારીખે સરકારી…
gandhinagar : હોળી-ધૂળેટીનાં તહેવારને લઈ તંત્રની ખાસ તૈયારી, 838 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે
હોળી-ધૂળેટીનાં તહેવારને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ત્યારે ઈમરજન્સી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે 838 એમ્બ્યુલન્સ 24×7 કાર્યરત રહેશે, અને હોસ્પિટલોમાં વધારાના સુપરવાઈઝરી સ્ટાફ તહેનાત કરાશે. જેથી ઝડપી પ્રતિસાદ અને ઉત્તમ ઈમર્જન્સી મેનેજમેન્ટ સુનિશ્ચિત કરી શકાય. આ પણ વાંચો :- Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા પાછલા વર્ષોના ડેટા અનુસાર, 108-ઈ.એમ.એસ. એ આગાહી કરી છે કે 13મી માર્ચ 2025ના હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં 3.61% (3,870 કેસ) નો વધારો થશે. અને 14મી માર્ચ 2025 ના ધુળેટીના દિવસે 29.88% (4,851 કેસ) નો વધારો થશે, જે સામાન્ય દિવસના સરેરાશ 3,735 કેસની સરખામણીએ વધુ છે. મુખ્ય રીતે, રોડ અકસ્માતો અને ટ્રોમા…
ગુજરાતમાં પતંગ ઉડાવવા સંબંધિત ઘટનાઓમાં 15 લોકોના મોત, 100 ઘાયલ, ખૂની માંઝાએ નિર્દોષ લોકોના જીવ લીધા
ગુજરાતમાં પતંગ ઉડાવવાના બનાવોમાં ૧૫ લોકોના મોત: ગુજરાતમાં પતંગ ઉડાવવા સંબંધિત ઘટનાઓમાં ૧૫ લોકોના મોત થયા. મોટાભાગની ઘટનાઓ મંગળવારે મકરસંક્રાંતિના દિવસે બની હતી. આમાંથી, રાજ્યભરમાં લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. માહિતી અનુસાર, પતંગની દોરીથી પક્ષીઓ પણ ઘાયલ થયા હતા. આ પછી પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા. B INDIA અમદાવાદ: ગુજરાતમાં મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ અકસ્માતોમાં મૃત્યુઆંક વધીને 15 થયો છે. રાજ્યભરમાં પતંગની દોરી વાગવાથી લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. મોટાભાગના મૃત્યુ ખતરનાક પતંગના દોરીથી થતી ઇજાઓને કારણે થયા છે. કચ્છના ગાંધીધામમાં 10 મહિનાની બાળકી ઘાયલ થઈ હતી, જ્યારે મુન્દ્રામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. રાજ્યભરમાં નોંધાયેલા બનાવો અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં છ, મધ્ય ગુજરાતમાં છ અને અમદાવાદ અને ભરૂચમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. આ…
અમદાવાદમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- 2025, 143 પતંગબાજો, 47 દેશોમાંથી લેશે ભાગ..! વધુ વાંચો
B INDIA INTERNATIONAL KITE FESTIVAL :– ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ શહેરની વિશ્વ વિખ્યાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન 11થી 14 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. અમદાવાદ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડ, નાઈટ કાઈટ ફ્લાઈંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પતંગ વર્કશોપ પણ યોજાશે. આ ઉપરાંત હેન્ડીક્રાફ્ટ્સ અને રિફ્રેશનમેન્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે. વિશ્વના 47 દેશોમાંથી 143 અને અન્ય રાજ્યોમાંથી 52 અને ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો આ ઉત્સવમાં સામેલ થશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં 11 જાન્યુઆરી એ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નો પ્રારંભ થશે. 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યૂ…










