NEET પેપર લીક વિવાદ વચ્ચે કિરણ બેદીનું નિવેદન ચર્ચામાં, કહ્યું- ‘વિદ્યાર્થીઓ રસ્તા પર આવે એ પહેલાં સિસ્ટમને સાંભળવું પડશે’

NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે પૂર્વ IPS અધિકારી અને પુડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદીનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. જંતર-મંતરથી શરૂ થયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આંદોલન અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે કિરણ બેદીએ શાસન વ્યવસ્થા, શિક્ષણ સંસ્થાઓ અને જવાબદારીના મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. કિરણ બેદીએ કહ્યું કે જ્યારે કોઈ મુદ્દાને લઈને વિદ્યાર્થીઓ અને પોલીસ સામસામે આવી જાય છે ત્યારે તે માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી રહેતો, પરંતુ તે તંત્રની કાર્યપદ્ધતિ અને સંવાદ વ્યવસ્થાની ખામી દર્શાવે છે. તેમણે ભાર મૂક્યો કે કોઈપણ આંદોલનની પાછળ રહેલા મૂળ કારણો સમજવા જરૂરી છે. મીડિયા નેરેટિવ નહીં, જવાબદારીનો મુદ્દો મહત્વનો કિરણ બેદીએ મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા અંગે પણ સવાલો…

NTAના 47 અધિકારીઓ બરતરફ: શિક્ષણ મંત્રાલયની મોટી કાર્યવાહી

દેશની પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મોટું વહીવટી પગલું લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, NTAએ પોતાના 47 અધિકારીઓને તાત્કાલિક અસરથી સેવામાંથી બરતરફ કરી દીધા છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, માત્ર વહીવટી કાર્યવાહી સુધી જ મામલો સીમિત રાખવામાં આવ્યો નથી. બરતરફ કરાયેલા કેટલાક અધિકારીઓ સામે કાનૂની તેમજ ફોજદારી કાર્યવાહી કરવાની પણ તૈયારી ચાલી રહી છે. પરીક્ષાઓના આયોજનમાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક સંદેશ જાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં…

NEET પેપર લીક વિવાદ પર સરકારનો સ્પષ્ટ સંદેશ: ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં થાય

NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વચ્ચે સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપશે નહીં. સરકારનું માનવું છે કે માત્ર મંત્રી બદલવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ પરીક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને દૂર કરવી વધુ જરૂરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારનું ધ્યાન હાલમાં NEET સહિતની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાના પ્રયાસો પર છે. સૂત્રોએ જણાવ્યું કે જનતાએ સરકારને જવાબદારી સોંપી છે અને સરકાર આ જવાબદારી નિભાવતા પરીક્ષા પ્રણાલીમાં જરૂરી સુધારા કરશે. સાથે જ સરકાર અને શાસક પક્ષ બંને ધર્મેન્દ્ર પ્રધાનના સમર્થનમાં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. રાજીનામું નહીં,…

CJP આંદોલન વચ્ચે દિલ્હી પોલીસનો મોટો દાવો, 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક

દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓને લઈને મોટો દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનથી સંચાલિત હોવાનો દાવો કરવામાં આવતા 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે આ એકાઉન્ટ્સ દ્વારા પ્રદર્શનને ઉશ્કેરવાનો પ્રયાસ અને ભ્રામક માહિતી ફેલાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી. NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગને લઈને ચાલી રહેલા આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર ફેલાતી માહિતી પર સુરક્ષા એજન્સીઓની નજર વધી ગઈ છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે ખોટી માહિતીના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે, તેથી સાવચેતીના ભાગરૂપે આવા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખોટી અફવાઓ ફેલાવવાનો આરોપ દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર,…

સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

સરકારને સોનમ વાંગચુકની વિદ્યાર્થીઓની માંગણીઓ પર તાત્કાલિક નિર્ણય લેવા અપીલ વિદ્યાર્થી આંદોલન અને તેના અનુસંધાનમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાને પત્ર લખીને વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓ પર તાત્કાલિક અને સંવેદનશીલ નિર્ણય લેવા અપીલ કરી છે. સોનમ વાંગચુકે પોતાના પત્રમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નો અને તેમની ચિંતાઓને ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી છે. તેમણે સરકારને અપીલ કરી છે કે સમગ્ર મામલે સંવાદ અને વિશ્વાસના આધારે ઉકેલ લાવવામાં આવે. સોનમ વાંગચુકે સરકાર સમક્ષ ભૂખ હડતાળ સમાપ્ત કરવાની શરત મૂકી સોનમ વાંગચુકે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર વિદ્યાર્થીઓની માંગણીઓ અંગે લેખિત ખાતરી આપે અને તેના પર સકારાત્મક પગલાં ભરવાની તૈયારી દર્શાવે…

દિલ્હીમાં ફરી હિંસક દેખાવો, જંતર-મંતર પાસે પથ્થરમારામાં અનેક પોલીસ કર્મી ઘાયલ

દિલ્હી NEET મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન તણાવભરી સ્થિતિ દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ છે. NEET પરીક્ષાના મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટૉલ્સ્ટૉય માર્ગ અને જંતર-મંતર નજીક અચાનક હિંસા ફાટી નીકળ્યાનો પોલીસનો દાવો છે. મળતી માહિતી અનુસાર, પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો ઉગ્ર બન્યા હતા અને સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ તથા રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પોલીસ અને RAF જવાનો પર પથ્થરો અને લાકડીઓથી હુમલાનો આરોપ પોલીસના જણાવ્યા મુજબ, ટૉલ્સ્ટૉય માર્ગ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસ અને RAFની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક કેટલાક પ્રદર્શનકારીઓ ઉગ્ર બન્યા…

NEET પરીક્ષા મામલો: દિલજીત દોસાંઝે વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉઠાવ્યો અવાજ

દિલ્હીમાં NEET પરીક્ષામાં કથિત ગોટાળા અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પોલીસ લાઠીચાર્જ બાદ હવે મનોરંજન જગતમાંથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જાણીતા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે સોશિયલ મીડિયા મારફતે વિદ્યાર્થીઓને ખુલ્લો ટેકો આપતાં સરકારને તેમની માંગણીઓ સાંભળવાની અપીલ કરી છે. NEET પરીક્ષા મામલે દિલજીત દોસાંઝે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે વિદ્યાર્થીઓ સાથે જે બન્યું તે યોગ્ય નથી અને તેમના અવાજને દબાવવાને બદલે તેમની વાત સાંભળવી જોઈએ. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર લોકશાહી માટે યોગ્ય સંદેશ આપતો નથી. દિલજીતે સત્તાધીશોને અપીલ કરી કે તેઓ વિદ્યાર્થીઓની સમસ્યાઓનો સંવાદ દ્વારા ઉકેલ લાવે. NEET મામલે પોસ્ટમાં દિલજીતે અગાઉના ખેડૂત આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું…

NEET પેપર લીક મુદ્દે PM મોદીનો સંદેશ: ‘ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવાશે, દોષિતોને કડક સજા મળશે’

સંસદના મોનસૂન સત્રની શરૂઆત સાથે જ NEET પેપર લીકનો મુદ્દો ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સરકાર તરફથી આ મુદ્દે સ્પષ્ટ વલણ રજૂ કરતાં કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે સરકારે ગોટાળાની જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સંપૂર્ણપણે ફૂલ-પ્રૂફ પરીક્ષા વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે. NEET પરીક્ષામાં ગોટાળાની માહિતી કિરેન રિજિજૂએ જણાવ્યું કે NEET પરીક્ષામાં ગોટાળાની માહિતી મળ્યા બાદ કેન્દ્ર સરકારે તપાસ એજન્સીઓને તાત્કાલિક સક્રિય કરી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં 13 લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે…

સોનમ વાંગચુકને વધુ સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં કરાયા શિફ્ટ, જાણો શું થયું

સોનમ વાંગચુકને દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સફદરજંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હવે તેમને વધુ સારવાર અને તબીબી દેખરેખ માટે ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલની મેડિકલ ટીમને સોંપવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે તબીબોએ જણાવ્યું હતું કે તેમની હાલત હાલ સ્થિર છે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે તેમની સતત દેખરેખ જરૂરી રહેશે. સોનમ વાંગચુકના શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું જોવા મળ્યું મળતી માહિતી મુજબ, સોનમ વાંગચુકના શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું જોવા મળ્યું છે. આ ઉપરાંત લોહી સંબંધિત કેટલાક પરિમાણોમાં પણ અસંતુલન નોંધાયું છે. લાંબા સમય સુધી ઉપવાસ કરવાના કારણે તેમની તબિયત પર અસર પડી હતી. જેને કારણે તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તબીબોની ટીમ તેમની સારવાર કરી રહી હતી. સોનમ વાંગચુક હતા ભૂખ…

રાજકોટમાં શિક્ષણતંત્રની કાર્યવાહી, વિદ્યાર્થી વિનાની 8 શાળાઓ બંધ

રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા જાળવવા તેમજ only-on-paper ચલતી શાળાઓ વિરુદ્ધ પગલાં લેવાતા, રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જસદણ, વસાવડ અને શિવરાજપુર વિસ્તારમાં આવેલી 8 ખાનગી શાળાઓને તાળા મારવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા નિરીક્ષણ બાદ આ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ન હોવાને કારણે તેમની માન્યતા રદ કરવાની ભલામણ થઈ છે. શૂન્ય અથવા માત્ર RTE પર આધારિત વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દિક્ષીત પટેલે જણાવ્યું કે, આ શાળાઓમાં કેટલાક વર્ષોથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રાયઃ બંધ હતી. અમુક શાળાઓમાં તો છેલ્લા પાંચ વર્ષથી કોઈ વિદ્યાર્થીઓ નહોતા, જ્યારે કેટલાક શાળાઓમાં માત્ર રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ નોંધાયેલ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હતા. શાળાઓને અગાઉ નોટિસ પાઠવીને રજુઆત માટે બોલાવવામાં આવી હતી. શાળા સંચાલકો સાથે થયેલી ચર્ચા બાદ, આ શાળાઓ બંધ કરીને તેમની માન્યતા…