ઓડિશામાં પૂરનો કહેર: 20 જિલ્લામાં આફત, 1.89 લાખથી વધુ લોકોનું સ્થળાંતર
આસામ બાદ હવે ઓડિશામાં પણ પૂરનું સંકટ વધુ ગંભીર બની રહ્યું છે. રાજ્યમાં મહાનદી અને તેની મુખ્ય શાખા નદી કાઠજોડીમાં પાણીના પ્રવાહમાં સતત વધારો થતાં અનેક જિલ્લાઓમાં સ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળી રહી છે. પૂરના કારણે 20 જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે 1.89 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ, ખેતીની જમીન અને રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે. ઓડિશામાં મહાનદીમાં જળસ્તર વધતાં ચિંતા વધી ઓડિશામાં હાલ પૂરનું મુખ્ય કારણ મહાનદી અને તેની શાખા નદીઓમાં વધી રહેલો પાણીનો પ્રવાહ છે. મુંડલી અને નરાજ પાસે…
Odisha : હિંસા બાદ કટકમાં 36 કલાકનો કર્ફ્યુ, ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ; જાણો શું છે મામલો
ઓડિશાના કટકમાં દુર્ગા પૂજા મૂર્તિઓના વિસર્જન દરમિયાન થયેલી હિંસક અથડામણ બાદ, અધિકારીઓએ 36 કલાકનો કર્ફ્યુ લાદ્યો છે. આ કર્ફ્યુ 6 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યાથી 7 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યા સુધી અમલમાં રહેશે. ભારતીય દંડ સંહિતાની કલમ 163 હેઠળ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પોલીસ કમિશનર નરસિંહ ભોલાએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તમામ વ્યાપારી સંસ્થાઓ બંધ રહેશે, પરંતુ હોસ્પિટલો, શાળાઓ અને કોલેજો ખુલ્લી રહેશે. ફાર્મસીઓ, કરિયાણાની દુકાનો અને પેટ્રોલ પંપ જેવી આવશ્યક સેવાઓ ખુલ્લી રહેશે. પોલીસ કમિશનરે કહ્યું કે હિંસા માટે જવાબદાર લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જો જરૂર પડશે તો વધુ પગલાં…








