બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે BSF એલર્ટ, ભારત-બાંગ્લાદેશ સરહદ પર કડક સુરક્ષા

બાંગ્લાદેશમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સરહદ પરની તમામ હરકતો પર નજીકથી નજર રાખી રહ્યા છે અને કાયદા અનુસાર જરૂરી કાર્યવાહી કરવા તૈયાર છે. હિંસા પછી સરહદ પાર અવરજવારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં તણાવ યથાવત છે. વિદ્યાર્થી નેતા અને ઇન્કિલાબ મંચના કન્વીનર શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ હિંસા વધી છે. એક પછી એક મીડિયા ઓફિસોને આગ લગાવવામાં આવી રહી છે, તેમજ મૈમનસિંહ જિલ્લામાં એક હિન્દુ યુવકને માર મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના પછી ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગેડે ખાતે સરહદ ક્રોસિંગ પર મૈત્રી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.…