બોગસ પાસપોર્ટ કેસમાં છોટા રાજનને 7 વર્ષની જેલ: ચેન્નાઈ CBI કોર્ટે ફટકાર્યો દંડ
બોગસ પાસપોર્ટ કેસમાં અંડરવર્લ્ડ ડોન તરીકે ઓળખાતા છોટા રાજનને ચેન્નાઈની CBI કોર્ટે દોષિત જાહેર કરીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે તેના પર રૂ. 55 હજારનો દંડ પણ લગાવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ આ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. હાલમાં છોટા રાજન દિલ્હીની તિહાર જેલમાં બંધ છે, જ્યાં તે અગાઉના એક ગંભીર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. બોગસ પાસપોર્ટ કેસમાં આવેલી નવી સજાને તેની સામેના કાનૂની મામલાઓમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ખોટી ઓળખના આધારે પાસપોર્ટ મેળવવાનો આરોપ CBI તપાસમાં ખુલાસો થયો હતો કે છોટા રાજને ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, પાસપોર્ટ માટે અરજી કરનાર વ્યક્તિએ પોતાનું…
અમદાવાદ: ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, ફાયર અને AMCના અધિકારીઓનો સમાવેશ નહીં
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ગામની સીમમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જોકે, SITમાં માત્ર પોલીસ અધિકારીઓને જ સ્થાન અપાતા અનેક સવાલો ઊભા થયા છે. શનિવારે (18 જુલાઈ) મહેમદપુરા વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ તંત્રે કાર્યવાહી કરતાં ફેક્ટરીનું જેસીબીથી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સાથે જ આસપાસ પરવાનગી વિના ચાલતી અન્ય બે ફેક્ટરીઓને પણ સીલ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનરે SITની રચના કરી છે. પોલીસ અધિકારીઓની SIT આ સમગ્ર ઘટનાની તપાસ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. ટીમમાં રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સંબંધિત એસીપી અને ડીસીપી સહિત…
કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો
ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ઈજાની પુષ્ટિ થઈ, ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. સખત પૂછપરછ પછી, પિતાના ખુલાસાથી બધા ચોંકી ગયા, કારણ કે તે ખૂની હોવાનું બહાર આવ્યું. એફઆઈઆર નોંધાવવાને બદલે, મૃતકના પિતાએ અનિકેતના મૃત્યુને અકસ્માત કહેવાનો આગ્રહ રાખ્યો. પરિણામે, પોલીસનો શંકા વધી ગઈ. અંતે, જ્યારે ખબર પડી કે અનિકેત પાસે 2 કરોડ રૂપિયાથી વધુની વીમા પૉલિસી છે, ત્યારે પોલીસે પિતાને કસ્ટડીમાં લીધા. પોલીસે હત્યારા પિતાની કરી ધરપકડ પોલીસના જણાવ્યા અનુસાર, પિતાએ પોતે જ પોતાના પુત્ર અનિકેત શર્માની હત્યાનો સોદો કર્યો હતો જેથી મોટી રકમનો વીમો પડાવી શકાય.…
નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmada
નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R . . . ઘરના આંગણામાં પડી હતી લાશ 50 વર્ષીય મહિલાની લાશ પડી હતી ઘર આંગણે મહિલાની કોને કરી હત્યા..? કોણ હતો મહિલાનો દુશ્મન.? નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmadahttps://t.co/E9KRjG1IPd#narmada #gujarat #FIR #crime #gujarat #gujaratpolice @gujaratpolice #trendingnews #BREAKING_NEWS #Bindia #Exclusive pic.twitter.com/ABdX15EVXo — B India (@buletin_india) April 22, 2025 Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
કર્ણાટકના પૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની પત્ની પલ્લવી અને પુત્રી કૃતિની હત્યાના કેસમાં ધરપકડ
કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની હત્યા કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસ મુજબ, તેની પત્ની પલ્લવીએ પહેલા તેના ચહેરા પર મરચાનો પાવડર નાખ્યો અને પછી છરીથી અનેક વાર ઘા કર્યા, જેનાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ કેસમાં પોલીસે પલ્લવી અને તેની પુત્રી કૃતિને મુખ્ય શંકાસ્પદ માનીને ધરપકડ કરી છે. હત્યા પછી, તેણે વીડિયો કોલ કર્યો અને કહ્યું, “મેં રાક્ષસને મારી નાખ્યો”:- ૧૯૮૧ બેચના IPS અધિકારી ઓમ પ્રકાશનો મૃતદેહ ૧૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ બેંગલુરુના HSR લેઆઉટમાં તેમના ઘરે લોહીથી લથપથ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના પછી, પલ્લવીએ તેના એક મિત્રને વીડિયો કોલ કર્યો અને કહ્યું, “મેં રાક્ષસને મારી નાખ્યો છે.” એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યા પહેલા પતિ-પત્ની વચ્ચે…














