અમદાવાદમાં હુક્કાબાર સામે પોલીસની મોટી કાર્યવાહી: સંચાલક સહિત અનેકની અટકાયત

અમદાવાદ શહેરમાં ગેરકાયદે હુક્કાબાર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાબરમતી પોલીસે એસ.પી. રિંગ રોડ પર આવેલા એક કેફેમાં દરોડો પાડી ગેરકાયદે રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. કેફેની આડમાં ગ્રાહકોને હુક્કાની સુવિધા આપવામાં આવતી હતી અને હર્બલ ફ્લેવરના નામે નિકોટીન યુક્ત ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ શહેરમાં પોલીસની કાર્યવાહી દરમિયાન હુક્કાબારના સંચાલક સહિત હુક્કાની મજા માણી રહેલા કેટલાક ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી હુક્કા અને અન્ય સામગ્રી કબજે કરીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળી હતી ચોક્કસ બાતમી અમદાવાદ શહેરમાં સાબરમતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રિના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એસ.પી.…

બોગસ પાસપોર્ટ કેસમાં છોટા રાજનને 7 વર્ષની જેલ: ચેન્નાઈ CBI કોર્ટે ફટકાર્યો દંડ

બોગસ પાસપોર્ટ કેસમાં અંડરવર્લ્ડ ડોન તરીકે ઓળખાતા છોટા રાજનને ચેન્નાઈની CBI કોર્ટે દોષિત જાહેર કરીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે તેના પર રૂ. 55 હજારનો દંડ પણ લગાવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ આ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. હાલમાં છોટા રાજન દિલ્હીની તિહાર જેલમાં બંધ છે, જ્યાં તે અગાઉના એક ગંભીર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. બોગસ પાસપોર્ટ કેસમાં આવેલી નવી સજાને તેની સામેના કાનૂની મામલાઓમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ખોટી ઓળખના આધારે પાસપોર્ટ મેળવવાનો આરોપ CBI તપાસમાં ખુલાસો થયો હતો કે છોટા રાજને ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, પાસપોર્ટ માટે અરજી કરનાર વ્યક્તિએ પોતાનું…

અમદાવાદ: ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, ફાયર અને AMCના અધિકારીઓનો સમાવેશ નહીં

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ગામની સીમમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જોકે, SITમાં માત્ર પોલીસ અધિકારીઓને જ સ્થાન અપાતા અનેક સવાલો ઊભા થયા છે. શનિવારે (18 જુલાઈ) મહેમદપુરા વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ તંત્રે કાર્યવાહી કરતાં ફેક્ટરીનું જેસીબીથી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સાથે જ આસપાસ પરવાનગી વિના ચાલતી અન્ય બે ફેક્ટરીઓને પણ સીલ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનરે SITની રચના કરી છે. પોલીસ અધિકારીઓની SIT આ સમગ્ર ઘટનાની તપાસ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. ટીમમાં રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સંબંધિત એસીપી અને ડીસીપી સહિત…

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ઈજાની પુષ્ટિ થઈ, ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. સખત પૂછપરછ પછી, પિતાના ખુલાસાથી બધા ચોંકી ગયા, કારણ કે તે ખૂની હોવાનું બહાર આવ્યું. એફઆઈઆર નોંધાવવાને બદલે, મૃતકના પિતાએ અનિકેતના મૃત્યુને અકસ્માત કહેવાનો આગ્રહ રાખ્યો. પરિણામે, પોલીસનો શંકા વધી ગઈ. અંતે, જ્યારે ખબર પડી કે અનિકેત પાસે 2 કરોડ રૂપિયાથી વધુની વીમા પૉલિસી છે, ત્યારે પોલીસે પિતાને કસ્ટડીમાં લીધા. પોલીસે હત્યારા પિતાની કરી ધરપકડ પોલીસના જણાવ્યા અનુસાર, પિતાએ પોતે જ પોતાના પુત્ર અનિકેત શર્માની હત્યાનો સોદો કર્યો હતો જેથી મોટી રકમનો વીમો પડાવી શકાય.…

અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકી અહમદ સૈયદ પર કેદીઓનો હુમલો, જાણો વિગત

અડાલજમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓને રિમાન્ડ પૂરા થતા ગઈકાલે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતાં. આજે જેલમાં દિલદહોળી દે તેવી ઘટના બની હતી. ત્રણ પૈકીના આતંકી અહમદ સૈયદ પર કેટલાક કેદીઓ ભેગા થઈને હુમલો કરી દીધો હતો. આ હુમલામાં અહમદ સૈયદને મ્હોં અને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત એટીએસ અને રાણીપ પોલીસે તાત્કાલિક સેન્ટ્રલ જેલનો દોટ્યો કર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત આતંકી અહમદ સૈયદને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેનું સારવાર કાર્ય પૂર્ણ કર્યું હતું. સારવાર બાદ તેને ફરી સેન્ટ્રલ જેલમાં પરત મોકલવામાં આવ્યો છે. હુમલો કોણે અને કેમ કર્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન અહમદ સૈયદે પણ હુમલાખોરો અંગે કોઈ માહિતી…

દેશ વિરોધી કામ કરનાર હરિયાણાની મહિલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા કોણ છે? જાણો કેમ બની પાકિસ્તાની જાસૂસ

સોશિયલ મીડિયા પર સક્રિય હરિયાણાના લોકપ્રિય યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ પર પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોને સંવેદનશીલ માહિતી આપવાના ગંભીર આરોપો છે. આમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને તેના પાંચ મિત્રોનો સમાવેશ થાય છે. જ્યોતિની હિસારના ન્યૂ અગ્રસેન એક્સટેન્શનથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિ હિસારની રહેવાસી છે. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના યુટ્યુબ પર 3.77 લાખ ફોલોઅર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર 1.31 લાખ ફોલોઅર્સ છે. તે યુટ્યુબ પર ટ્રાવેલ વિથ જો નામથી આ ચેનલ છે. આમાં, તે ભારત અને વિદેશના સ્થળોની મુસાફરી સંબંધિત સંસ્મરણો અને ચોક્કસ સ્થળો વિશેની માહિતી શેર કરે છે. જ્યોતિ કોઈપણ દેશની મુલાકાત લે છે, તે તે સ્થળના ખાસ સ્થળો, ખોરાક અને સંસ્કૃતિને લગતા વીડિયો બનાવે છે અને અપલોડ…

નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmada

નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R . . . ઘરના આંગણામાં પડી હતી લાશ 50 વર્ષીય મહિલાની લાશ પડી હતી ઘર આંગણે મહિલાની કોને કરી હત્યા..? કોણ હતો મહિલાનો દુશ્મન.? નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmadahttps://t.co/E9KRjG1IPd#narmada #gujarat #FIR #crime #gujarat #gujaratpolice @gujaratpolice #trendingnews #BREAKING_NEWS #Bindia #Exclusive pic.twitter.com/ABdX15EVXo — B India (@buletin_india) April 22, 2025   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

કર્ણાટકના પૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની પત્ની પલ્લવી અને પુત્રી કૃતિની હત્યાના કેસમાં ધરપકડ

કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની હત્યા કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસ મુજબ, તેની પત્ની પલ્લવીએ પહેલા તેના ચહેરા પર મરચાનો પાવડર નાખ્યો અને પછી છરીથી અનેક વાર ઘા કર્યા, જેનાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ કેસમાં પોલીસે પલ્લવી અને તેની પુત્રી કૃતિને મુખ્ય શંકાસ્પદ માનીને ધરપકડ કરી છે.   હત્યા પછી, તેણે વીડિયો કોલ કર્યો અને કહ્યું, “મેં રાક્ષસને મારી નાખ્યો”:- ૧૯૮૧ બેચના IPS અધિકારી ઓમ પ્રકાશનો મૃતદેહ ૧૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ બેંગલુરુના HSR લેઆઉટમાં તેમના ઘરે લોહીથી લથપથ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના પછી, પલ્લવીએ તેના એક મિત્રને વીડિયો કોલ કર્યો અને કહ્યું, “મેં રાક્ષસને મારી નાખ્યો છે.” એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યા પહેલા પતિ-પત્ની વચ્ચે…