સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: લિફ્ટ અકસ્માતમાં ડેવલોપર, મેઈન્ટેનન્સ કંપની અને બિલ્ડિંગ માલિક જવાબદાર ગણાશે
લિફ્ટ અકસ્માતોને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લિફ્ટમાં સર્જાતા અકસ્માત માટે માત્ર એક જ પક્ષને જવાબદાર ઠેરવી શકાય નહીં. લિફ્ટ બનાવનાર કંપની, તેની જાળવણી કરતી એજન્સી તેમજ બિલ્ડિંગ માલિક અથવા મેનેજમેન્ટની પણ જવાબદારી નક્કી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આજના સમયમાં લિફ્ટ માત્ર એક સુવિધા નથી, પરંતુ લોકોના રોજિંદા જીવન સાથે સીધી રીતે જોડાયેલું સુરક્ષા સાધન છે. તેથી લિફ્ટની ડિઝાઇન, સ્થાપન, નિયમિત તપાસ અને જાળવણીમાં બેદરકારી દાખવનાર દરેક પક્ષ સામે જવાબદારી નક્કી કરી શકાય છે. લિફ્ટને ‘Common Carrier’ તરીકે ગણાવી મહત્વપૂર્ણ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે લિફ્ટને જાહેર પરિવહનના સાધન સમાન ગણાવી તેને ‘Common Carrier’ તરીકે વ્યાખ્યાયિત કરી છે. કોર્ટનું કહેવું છે કે લિફ્ટમાં મુસાફરી…
OTP શેર કરવાથી ફ્રોડની જવાબદારી ગ્રાહકની, બેન્ક નહીં: કન્ઝયુમર કમિશનનો નિર્ણય
ડિસ્ટ્રિક્ટ કન્ઝયુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (સબર્બન)એ ઓનલાઇન ફ્રોડના એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કમિશનનો કહેવું છે કે જો ગ્રાહકે પોતે છેતરપિંડી કરનાર સાથે વન-ટાઇમ પાસવર્ડ (OTP) અથવા બેન્ક વિગતો શેર કરી હોય, તો આવી પરિસ્થિતિમાં બેન્કને દોષી ઠેરવી શકાતું નથી. ફરિયાદીના જણાવ્યા મુજબ, જાન્યુઆરી ૨૦૨૨માં તેણે નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન રિન્યુ કરવાનું પ્રયાસ કર્યું અને ઇમેઇલમાં મળેલી લિંક પર કિલક કરી, કાર્ડની વિગતો અને HDFC બેન્કનો OTP શેર કર્યો. થોડી જ વાર પછી તેની પાસે ૧,૨૫,૬૬૫ રૂપિયા ડેબિટ થયાની સૂચના આવી, જયારે સબ્સ્ક્રિપ્શન ફક્ત ૭૯૯ રૂપિયું હતું. ફ્રોડના તાત્કાલિક જાણ કરતા બેન્ક અને પોલીસના સાઇબર સેલનો સંપર્ક કરવામાં આવ્યો. બેન્કે જણાવ્યુ કે OTP માન્ય હોવાથી ટ્રાન્ઝેક્શન સેફ મોડમાં થયું અને મદદ કરવી શક્ય નથી. કમિશને આ દલીલને…
ફરજિયાત સર્વિસ ચાર્જ પર કડક કાર્યવાહી: CCPA ૨૭ રેસ્ટોરન્ટ્સ પર દંડ
દેશભરના હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકો પાસેથી ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલતી હોવાનું જાણવા મળતા *સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)*એ કડક પગલાં લીધાં છે. સ્વયં સજાગ (Suo Motu) કાર્યવાહી હેઠળ CCPA એ ૨૭ રેસ્ટોરન્ટ્સ પર ₹૩૦,૦૦૦ થી ₹૫૦,૦૦૦ સુધીનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, જેણે ફરજિયાત રીતે વસૂલવામાં આવી રકમને ગ્રાહકોને પરત કરવાની પણ આદેશ આપી છે. ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન: તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા રેસ્ટોરન્ટ્સ બિલમાં ડિફોલ્ટ ૧૦% સર્વિસ ચાર્જ ઉમેરતા હતા. CCPA મુજબ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૨(૪૭) અંતર્ગત આ પ્રકારની ફરજિયાત વસૂલાત ‘અન્યાયી ટ્રેડ પ્રેક્ટિસ’ ગણાય છે. ઉદાહરણ: – પટનાનો ‘કેફે બ્લુ બોટલ’ – ₹30,000 દંડ – મુંબઈનો ‘ચાઇના ગેટ (બોરા બોરા)’ – ₹50,000 દંડ હાઈકોર્ટના ચુકાદા અને ગાઈડલાઈન્સ: – માર્ચ 2025: દિલ્હી હાઈકોર્ટે…
પાન મસાલા કંપનીઓ માટે સરકારનો મોટો નિર્ણય: હવે દરેક પેકેટ પર RSP સહિત તમામ માહિતી ફરજિયાત
ભારત સરકારે પાન મસાલા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. ગ્રાહક બાબતોના વિભાગે લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, 2011માં સુધારો કરીને પાન મસાલાના તમામ પ્રકારના પેકેટો પર છૂટક વેચાણ કિંમત (RSP) અને અન્ય ફરજિયાત વિગતો છાપવી હવે અનિવાર્ય કરી છે. નવો નિયમ 1 ફેબ્રુઆરી 2026થી સમગ્ર દેશમાં અમલમાં આવશે. આ તારીખથી તમામ નિર્માતા, પેકર્સ અને આયાતકારોને તેનો કડક પાલન કરવું પડશે. નાના પેકેટો માટે જૂની છૂટ રદ સુધારા પહેલાં: – 10 ગ્રામ અથવા તેનાથી ઓછા વજનના પેકેટો – અમુક ફરજિયાત ઘોષણાઓમાંથી મુક્ત હતા – હવે સરકારએ આ છૂટ રદ કરી છે. નવી વ્યવસ્થા પ્રમાણે: – 10 ગ્રામથી ઓછા પેકેટમાં પણ – RSP – નેટ વજન – નિર્માતા/આયાતકાર વિગતો – ઉત્પાદન તારીખ વગેરે – બધું…
“₹5 ના પાઉચમાં કેસર શક્ય નથી”- સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલાને કોર્ટની નોટિસ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપની સામે કોટા ગ્રાહક સુરક્ષા અદાલતે ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગે નોટિસ ફટકારી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ “અસલી કેસર” ધરાવતા પાન મસાલાના ₹5 ના પાઉચનો દાવો કર્યો હતો, જે શક્ય નથી. અદાલતે બંને પક્ષોને 27 નવેમ્બર 2025 સુધીમાં જવાબ આપવા કહ્યું છે. આ મામલો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. ફરિયાદનો મુદ્દો ફરિયાદ કોટાના વરિષ્ઠ ભાજપ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઇન્દ્રમોહન સિંહ હની દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે,“અસલી કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે ₹4 લાખ છે. તેથી ₹5 ના પાઉચમાં અસલી કેસર હોવું શક્ય જ નથી. આ પ્રકારની જાહેરાતો ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે.” ફરિયાદમાં એ પણ દલીલ કરવામાં આવી કે…
અમદાવાદમાં મિલકત વેચાણના બહાનાં હેઠળ કરોડોની છેતરપીંડી, વેપારીએ EOWમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદ શહેરમાં એક મહત્વનો રિયલ એસ્ટેટ ઘોટાળો સામે આવ્યો છે, જ્યાં મિલકત વેચાણના બહાને એક વેપારી સાથે કરોડોની છેતરપીંડી કરવામાં આવી છે. ફરિયાદકર્તા રાકેશભાઈ લાહોટી દ્વારા કમલેશભાઈ ગોંડલિયા અને તેમના પરિવાર સામે આશરે રૂપિયા 6 કરોડના ઠગાઈના આરોપો સાથે પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. શું છે આરોપ? આ આરોપ તક્ષશીલા હાઇટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની તથા તેના માલિકોએ મિલકત વેચાણના નામે લોકો પાસેથી રૂપિયા લીધા હોવા છતાં: – કાયદેસર દસ્તાવેજો આપ્યા નથી, – ઘણી મિલકતોમાં ડુપ્લીકેટ વેચાણ કરાયું છે, – ખરીદદારને કબજો આપવામાં આવ્યો નથી, – મિલકત પર બૅંક લોન પણ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં શું જણાવાયું? ફરિયાદકર્તા રાકેશભાઈ લાહોટીએ જણાવ્યું કે તક્ષશીલા એલિગ્ના સ્કીમ (એલીસબ્રિજ, અમદાવાદ) અંતર્ગત 6 ફ્લેટો માટે રૂ.…
સરકારની ઈ-કોમર્સ કંપનીઓ પર કડક નજર, COD માટે વધારાની ફી વસૂલવાની ફરિયાદોને લઈ તપાસ શરૂ
દેશમાં ઇ-કોમર્સ ક્ષેત્ર ઝડપથી વિસ્તરતું જાય છે, ત્યારે ગ્રાહકોના હિત અને અધિકારોની રક્ષા માટે સરકાર પણ સક્રિય બની રહી છે. તાજેતરમાં, ગ્રાહક બાબતોના વિભાગે ઓનલાઈન ખરીદી દરમિયાન કેશ ઓન ડિલિવરી (COD) માટે વધારાની ફી વસૂલવાની અનેક ફરિયાદોની નોંધ લીધી છે. આ મામલે એક કાળી પેટર્નનો ખુલાસો થયો છે જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શોષણનો પ્રયાસ કરે છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે તેમના સોશિયલ મીડિયા પર આ ફરિયાદ અંગે જાણકારી આપી હતી. મંત્રીના જણાવ્યા પ્રમાણે, કેશ ઓન ડિલિવરીના વિકલ્પ માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા વધારાની ફી વસૂલવી, ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન છે અને તે રોકવામાં આવવી જોઈએ. વડાપ્રધાન વિભાગ દ્વારા ગંભીર તપાસ શરૂ વિભાગે આ મુદ્દાની વ્યાપક તપાસ શરૂ કરી છે અને ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી…













