ગુજરાતમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર લાદવામાં આવશે સંપૂર્ણ પ્રતિબંધ Shocking
ડેરી ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે 6 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ જેવી કે એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. સરકારનું માનવું છે કે બજારમાં ભેળસેળયુક્ત અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા ઉત્પાદનો સામે કડક કાર્યવાહી જરૂરી બની ગઈ હતી. હવે આ પ્રતિબંધના અમલ બાદ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ તેમજ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં. છેલ્લા કેટલાક સમયથી ડેરી પ્રોડક્ટ્સના નામે બજારમાં એવા…
ફરજિયાત સર્વિસ ચાર્જ પર કડક કાર્યવાહી: CCPA ૨૭ રેસ્ટોરન્ટ્સ પર દંડ
દેશભરના હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકો પાસેથી ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલતી હોવાનું જાણવા મળતા *સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)*એ કડક પગલાં લીધાં છે. સ્વયં સજાગ (Suo Motu) કાર્યવાહી હેઠળ CCPA એ ૨૭ રેસ્ટોરન્ટ્સ પર ₹૩૦,૦૦૦ થી ₹૫૦,૦૦૦ સુધીનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, જેણે ફરજિયાત રીતે વસૂલવામાં આવી રકમને ગ્રાહકોને પરત કરવાની પણ આદેશ આપી છે. ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન: તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા રેસ્ટોરન્ટ્સ બિલમાં ડિફોલ્ટ ૧૦% સર્વિસ ચાર્જ ઉમેરતા હતા. CCPA મુજબ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૨(૪૭) અંતર્ગત આ પ્રકારની ફરજિયાત વસૂલાત ‘અન્યાયી ટ્રેડ પ્રેક્ટિસ’ ગણાય છે. ઉદાહરણ: – પટનાનો ‘કેફે બ્લુ બોટલ’ – ₹30,000 દંડ – મુંબઈનો ‘ચાઇના ગેટ (બોરા બોરા)’ – ₹50,000 દંડ હાઈકોર્ટના ચુકાદા અને ગાઈડલાઈન્સ: – માર્ચ 2025: દિલ્હી હાઈકોર્ટે…
સરકારની ઈ-કોમર્સ કંપનીઓ પર કડક નજર, COD માટે વધારાની ફી વસૂલવાની ફરિયાદોને લઈ તપાસ શરૂ
દેશમાં ઇ-કોમર્સ ક્ષેત્ર ઝડપથી વિસ્તરતું જાય છે, ત્યારે ગ્રાહકોના હિત અને અધિકારોની રક્ષા માટે સરકાર પણ સક્રિય બની રહી છે. તાજેતરમાં, ગ્રાહક બાબતોના વિભાગે ઓનલાઈન ખરીદી દરમિયાન કેશ ઓન ડિલિવરી (COD) માટે વધારાની ફી વસૂલવાની અનેક ફરિયાદોની નોંધ લીધી છે. આ મામલે એક કાળી પેટર્નનો ખુલાસો થયો છે જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શોષણનો પ્રયાસ કરે છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે તેમના સોશિયલ મીડિયા પર આ ફરિયાદ અંગે જાણકારી આપી હતી. મંત્રીના જણાવ્યા પ્રમાણે, કેશ ઓન ડિલિવરીના વિકલ્પ માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા વધારાની ફી વસૂલવી, ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન છે અને તે રોકવામાં આવવી જોઈએ. વડાપ્રધાન વિભાગ દ્વારા ગંભીર તપાસ શરૂ વિભાગે આ મુદ્દાની વ્યાપક તપાસ શરૂ કરી છે અને ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી…










