બાંગ્લાદેશમાં બંધારણને બદલવાના ઉદ્દેશ્ય સાથે આજે વિદ્યાર્થીઓનું પ્રદર્શન, 30 લાખથી વધુ લોકો એકત્ર કરવાની યોજના

શું બાંગ્લાદેશમાં ફરી બળવો થશે? બાંગ્લાદેશના લોકોના મનમાં આ પ્રશ્ન ફરી ઉઠી રહ્યો છે કારણ કે જે વિદ્યાર્થી નેતાઓએ જુલાઈ ક્રાંતિનું આહ્વાન કર્યું હતું અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારને ઉથલાવી હતી, આજે ફરી એ જ વિદ્યાર્થી નેતાઓ ઢાંકાના શહીદ મિનાર ખાતે એકઠા થવા જઈ રહ્યા છે. અહીંથી ક્રાંતિની જાહેરાત કરવામાં આવશે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશના બંધારણને બદલવાનો છે.આ સભા માટે 30 લાખથી વધુ લોકોને એકત્ર કરવાની યોજના છે. જમાત-એ-ઈસ્લામી જેવા કટ્ટરપંથી સંગઠનો આ બેઠકનો ઘણો પ્રચાર કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતાઓની અપીલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસની સરકાર પણ વિદ્યાર્થી નેતાઓ સામે ઘૂંટણિયે પડેલી જોવા મળે છે. -> સરકાર ‘જુલાઈ ક્રાંતિ’ની…