બેબી અરિહા શાહ: PM મોદીએ જર્મની ચાન્સેલર સાથે કરી વાત, જાણો સમગ્ર મામલો
જર્મનીમાં ભારતીય પરિવાર સાથે દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 7 વર્ષીય બાળકી અરિહા શાહ હાલમાં જર્મન પાલક સંભાળ હેઠળ ઉછરી રહી છે. બાળકીના માતા-પિતાએ ન્યાય મેળવવા માટે ભારતમાં અનેક સ્થળોએ માંગણી કરી છે. મામલો એટલો ગંભીર બન્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જર્મની ચાન્સેલર ફ્રેડરિઝ મેર્ઝ સાથે વાતચીત કરી છે. ઉપરાંત, ભારતનું વિદેશ મંત્રાલય તમામ કાનૂની અને માનવતાવાદી પ્રયાસો હાથ ધર્યું છે. શું છે સમગ્ર મામલો? સપ્ટેમ્બર 2021માં, જ્યારે અરિહા માત્ર 7 મહિનાની હતી, ત્યારે તેને દાદી દૂધ પીવડાવી રહ્યા હતા. આ દરમિયાન બાળકીને ઈજા પહોંચી હતી. ડાયપર બદલતી વખતે માતાએ લોહી જોયું, જેને કારણે માતાપિતા ચિંતિત થઈ ગયા. બાળકીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોને શંકા વ્યક્ત થઈ કે બાળકી પર શોષણ થયો…
મકરસંક્રાંતિ 2026: એકાદશી સંયોગમાં ખીચડી કે દહીં-ચૂડા?
આ વર્ષે મકરસંક્રાંતિની તારીખને લઈને ભક્તોમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. કારણ કે આ વખતે મકરસંક્રાંતિ પર એકાદશી તિથિનો સંયોગ સર્જાયો છે. પરંપરા મુજબ મકરસંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને ખીચડી ખાવાની રીત છે, જ્યારે બિહારમાં દહીં-ચૂડા ખાવાની પરંપરા પ્રચલિત છે. જોકે એકાદશી તિથિમાં ચોખા ખાવા મનાઈ હોવાથી લોકોમાં ગૂંચવણ છે કે આ વખતે ખીચડી ક્યારે બનાવવી? એકાદશી તિથિ ક્યારે છે? પંચાંગ અનુસાર, ષટતિલા એકાદશી તિથિ 13 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3:17 વાગ્યે શરૂ થશે અને 14 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 5:52 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિને માન્ય ગણવામાં આવતી હોવાથી, ષટતિલા એકાદશીનું વ્રત બુધવાર 14 જાન્યુઆરી 2026ના રોજ રહેશે. મકરસંક્રાંતિ ક્યારે છે? જ્યોતિષ ગણતરી મુજબ, 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3:07 વાગ્યે સૂર્ય મકર રાશિમાં…
સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 57 વર્ષના શખ્સની ધરપકડ
સુરતના સરથાણા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને નિંદનીય ઘટના સામે આવી છે, જેમાં 57 વર્ષના આધેડે 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પોતાની દુકાનમાં બાળકી સાથે આ કૃત્ય કર્યું હતું. સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજના આશરે 7 વાગ્યે એક વૃદ્ધ દાદા પોતાના પૌત્ર અને પૌત્રીને ઘરની બહાર રમાડવા લઈ ગયા હતા. આ દરમિયાન પૌત્ર રડવા લાગતા દાદા તેને ઘરે મુકવા ગયા હતા. તે સમયે સરથાણામાં આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓની દુકાન ચલાવતા વિનોદ મોહનભાઈ અણઘણ (ઉંમર 57, મૂળ રહેવાસી હડમતીયા ગામ, પાલીતાણા, જી. ભાવનગર) એ દાદાને પોતાની વાતોમાં ભોળવી પૌત્રીને દુકાનમાં બેસાડવાની વિનંતી કરી હતી. દાદા પૌત્રને ઘરે મુકવા ગયા…
Banaskantha : શિવસેવા સમિતિ દ્વારા બગીચા સર્કલ પાસે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
હરેશ ઠક્કર, બનાસકાંઠા/ આજરોજ ડીસા ખાતે શિવસેવા સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જયંતિ નિમિત્તે એક અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીના વિચારો, જીવનદર્શન અને યુવાનો માટે આપેલી અનમોલ પ્રેરણાને યાદ કરી તમામ યુવાનોને તેમના માર્ગ પર ચાલવા માટે સંકલ્પ લેવાયો. આ કાર્યક્રમમાં શિવસેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ પરમાર, કાર્યકારી પ્રમુખ રાહુલભાઈ મહેશ્વરી, મહામંત્રી અતુલભાઈ દૈયા અને રમેશભાઈ જેઠવા, અશ્વિનભાઈ મોદી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ રાજપુત, મુકેશભાઈ શર્મા, નટુભાઈ ચૌહાણ, કુંભાભાઈ માળી, મંત્રી રણજીતભાઈ વાઘેલા, વર્ધાભાઈ રાવળ, અશોકભાઈ રાવળ, પ્રવક્તા જીતુભાઈ રાણા સહિત શિવસેવા સમિતિના અનેક કાર્યકરોની ગૌરવસભર ઉપસ્થિતિ રહી. હરેશભાઈ ઠક્કર (મીડિયા કન્વીનર), વિનોદભાઈ બાંડીવાલા, મયુરભાઈ ખત્રી અને તમામ આગેવાનો, મિત્રો તથા ડીસા શહેરના જાગૃત યુવાનોની વિશાળ હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય અને સફળ બનાવ્યો. “ઉઠો,…
અમદાવાદ: વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા માટે અધિકારીઓ સાથે બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. અમદાવાદમાં વડાપ્રધાનની મુલાકાતને પગલે શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ગાંધી આશ્રમ નજીક ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન મોદી આજે સવારે ગાંધી આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમણે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન વડાપ્રધાને ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વિગતવાર સમીક્ષા કરી અને સમગ્ર પ્રોજેક્ટની પ્રગતિ વિશે માહિતી મેળવી. વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ …
અમદાવાદ: મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વની જાણકારી, આજે આ રૂટ રહેશે બંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હોવાથી શહેરની મેટ્રો સેવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આજે મેટ્રો ટ્રેન સેવાના એક રૂટ પર અસ્થાયી રોક લગાવવામાં આવી છે. શાહપુરથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રો સેવા બંધ આજે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અને ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાન મોદીના કાર્યક્રમો યોજાવાના કારણે સવારે 9:45 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી શાહપુરથી જૂની હાઈકોર્ટ સુધીનો મેટ્રો રૂટ બંધ રહેશે. ચાલુ રહેતા રૂટ્સ: – વસ્ત્રાલથી શાહપુર સુધી મેટ્રો સેવા યથાવત રહેશે – જૂની હાઈકોર્ટથી થલતેજ ગામ સુધીનો રૂટ પણ ચાલુ રહેશે મેટ્રો તંત્ર દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરી પહેલાં સમયપત્રક ચકાસી લે અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. Follow us On Social…
અમદાવાદ: જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગુજરાતની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક
જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમની આ મુલાકાતને ભારત-જર્મની સંબંધોની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચાન્સેલર મર્ઝ આજે સવારમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને આશ્રમની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવે છે. ત્યારબાદ તેઓ અમદાવાદમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે અને વિદેશી પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ ઉપરાંત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ભારત અને જર્મની વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં વેપાર, ટેકનોલોજી, ઉદ્યોગ, નવીનીકરણીય ઊર્જા અને વ્યૂહાત્મક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. પ્રવાસ દરમિયાન ચાન્સેલર મર્ઝ અડાલજની ઐતિહાસિક વાવની પણ મુલાકાત લેશે અને ગુજરાતની…
ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર: 8 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, દિલ્હીમાં 2013 બાદનું સૌથી નીચું તાપમાન
ઉત્તર અને પૂર્વ ભારતમાં હાડમારી ઠંડીનો પ્રભાવ વધુ તેજ બન્યો છે. પર્વતીય વિસ્તારોમાં સતત બરફવર્ષા અને ઉત્તર તરફથી વહેતા ઠંડા પવનોને કારણે દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચે ઉતરી ગયું છે. દિલ્હીના પાલમ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 3.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે 2013 પછીનું સૌથી ઓછું તાપમાન છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર અને આસામ સહિત 8 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી જારી કરી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં અનેક સ્થળોએ તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. રાજસ્થાનના પ્રતાપગઢમાં માઈનસ 2 ડિગ્રી અને બાડમેરમાં માઈનસ 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. પંજાબમાં ભટિંડા સૌથી ઠંડુ સ્થળ રહ્યું જ્યાં 1.6 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે…
પ્રભાસની ‘ધ રાજા સાબ’ 100 કરોડ ક્લબમાં પ્રવેશી, ત્રણ દિવસમાં તોડી નાંખ્યો બોક્સ ઓફિસ રેકોર્ડ
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ “ધ રાજા સાબ” 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થઇ અને ફેન્સમાં જોરદાર હિટ સાબિત થઈ છે. ફિલ્મ રિલીઝ થયા બાદ પહેલા દિવસે સારી કમાણી કરી, જ્યારે બીજા દિવસે થોડી ઘટ આવી, પરંતુ ત્રીજા દિવસે ફરી કલેક્શન વધ્યું અને તે 100 કરોડ રૂપિયાનું મીલસ્ટોન પાર કરી, જે બોક્સ ઓફિસ પર મહત્વપૂર્ણ સિદ્ધિ છે. બોક્સ ઓફિસ કલેક્શન: – પેઇડ પ્રીવ્યૂ: ₹9.15 કરોડ – પ્રથમ દિવસ: ₹53.75 કરોડ – બીજા દિવસ: ₹26.00 કરોડ – ત્રીજા દિવસ (પ્રારંભિક): ₹20.12 કરોડ – કુલ કલેક્શન: ₹109.02 કરોડ આ સાથે ‘ધ રાજા સાબ’એ 2025ની હિટ ફિલ્મ ‘વોર 2’ નો રેકોર્ડ તોડી નાખ્યો, જે 100 કરોડ ક્લબમાં ચાર દિવસમાં પ્રવેશી હતી. ફિલ્મ સ્ટારકાસ્ટ અને માહિતી: – રોલમાં: પ્રભાસ, સંજય દત્ત,…















