ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર મહોર, જાણો વિગત

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ (FTA) માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. સોમવારે કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી અને જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે કરારની તમામ વિગતો પર આખરી સંમતિ સધાઈ ગઈ છે. સંતુલિત અને ભવિષ્યલક્ષી કરાર રાજેશ અગ્રવાલે જણાવ્યું કે આ કરાર ભારત માટે સંતુલિત અને ભવિષ્યલક્ષી છે. આ ડીલથી ભારત અને યુરોપીયન દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણને અભૂતપૂર્વ પ્રોત્સાહન મળશે, જેનો લાભ બંને અર્થતંત્રોને થશે. હસ્તાક્ષર અને અમલીકરણ – વાટાઘાટો પૂર્ણ થઈ ચુકી છે, અને કરાર અંતિમ તબક્કે છે. – હાલમાં FTA ના લખાણની કાયદાકીય ચકાસણી (Legal Scrubbing) ચાલી રહી છે. – સરકારનો લક્ષ્ય છે કે આ વર્ષના અંત સુધી હસ્તાક્ષર…

T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન રમશે કે નહીં? પીએમ શાહબાઝ શરીફ સાથે PCB ચીફની બેઠક બાદ સસ્પેન્સ

વર્ષ 2026માં યોજાનારા T-20 ક્રિકેટ વર્લ્ડ કપને લઈને પાકિસ્તાનની ભાગીદારી પર સસ્પેન્સ હજુ યથાવત છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ મુદ્દે અંતિમ નિર્ણય સરકાર પર છોડી દેતા ફરી એકવાર અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. આ સંદર્ભમાં પીસીબી ચીફ મોહસિન નકવીએ 26 જાન્યુઆરીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી, જેના કારણે ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે. વડાપ્રધાન સાથેની બેઠક બાદ શું કહ્યું નકવીએ? વડાપ્રધાન સાથેની બેઠક બાદ મોહસિન નકવીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા જણાવ્યું કે, “વડાપ્રધાન મિયાં મુહમ્મદ શાહબાઝ શરીફ સાથે સકારાત્મક બેઠક યોજાઈ. મેં તેમને આઈસીસી (ICC) સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ અને પરિસ્થિતિની વિગતવાર જાણકારી આપી છે. વડાપ્રધાને તમામ વિકલ્પો ખુલ્લા રાખીને સમસ્યાનો ઉકેલ લાવવા સૂચના આપી છે. આ મામલે અંતિમ નિર્ણય કાં તો…

રાશિફળ/27 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટ માં પૈસા નાખી શકે છે જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થયી શકો છો। તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે. આ રાશિ ના વેપારીઓ ને આજે વેપાર માટે અણધારી મુસાફરી કરવી પડી શકે છે. આ મુસાફરી…

અંક જ્યોતિષ/27 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતી રવિએ કરી મોટી જાહેરાત, ગાંધીનગરમાં બનાવાશે આંતરરાષ્ટ્રીય મેડિસિટી

ગુજરાતમાં હેલ્થકેર ક્ષેત્રે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે માર્ગદર્શિકા તૈયાર થઈ રહી છે. અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી કે ગાંધીનગરમાં દુબઈ હેલ્થકેર સિટીની જેમ આંતરરાષ્ટ્રીય મેડિસિટી બનાવાશે. આ પ્રોજેક્ટ માટે કલોલ પાસે 13,000 કરોડના રોકાણનું આયોજન છે. મેડિસિટીમાં ઉપલબ્ધ સુવિધાઓ આ આંતરરાષ્ટ્રીય હેલ્થકેર સિટી હાઇ-ટેક હોસ્પિટલ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, મેડિકલ કોલેજ, વેલનેસ સેન્ટર અને આરોગ્ય સાથે સંકળાયેલી અન્ય સેવાઓ સાથે સુસજ્જ રહેશે. – જોઈન્ટ કમિશન ઈન્ટરનેશનલ (JCI) દ્વારા માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો – મેડિકલ અને નર્સિંગ કોલેજો – રિસર્ચ સેન્ટરો અને મેડિકલ ડિવાઈસ પાર્ક – તબીબી સારવાર, રીહેબિલિટેશન, કેર ઇકોનોમી અને ફાર્મા-બાયોટેક હબ – સરકાર આ પ્રોજેક્ટને 2028 સુધીમાં પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવાનો લક્ષ્ય ધરાવે છે. દુબઈ હેલ્થકેર સિટી પર…

અમેરિકામાં ભયાનક ‘વિન્ટર સ્ટોર્મ’નું તાંડવ : બે ડઝન એરપોર્ટ્સ બંધ, હિમવર્ષાએ હવાઈ સેવાઓને ઠપ્પ કરી

અમેરિકામાં હાલ પ્રચંડ ‘વિન્ટર સ્ટોર્મ’ના કારણે જનજીવન સાથે-साथ હવાઈ પરિવહન પણ ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યું છે. ભારે હિમવર્ષા, તીવ્ર પવન અને હાડ થીજવતી ઠંડીને કારણે દેશભરના હવાઈ વ્યવહારમાં અફરાતફરી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, માત્ર એક જ દિવસમાં અંદાજે ૧૨,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે ૨૪થી વધુ એરપોર્ટ્સ સંપૂર્ણપણે બંધ કરવાના કઠોર નિર્ણય લેવામાં આવ્યા છે. હવાઈ સેવાઓ પર વ્યાપક અસર આજના હવાઈ ટ્રાફિક ડેટા મુજબ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. કુલ ફ્લાઈટ્સમાંથી લગભગ 69% વ્યવહાર ખોરવાયો છે. જ્યારે 47% ફ્લાઈટ્સ સંપૂર્ણપણે રદ કરાઈ છે મુખ્ય એરલાઈન્સે મોટા પ્રમાણમાં ફ્લાઈટ્સ રદ કરી ભારે બરફવર્ષાને કારણે દેશની અગ્રણી એરલાઈન્સે તેમની હજારો ફ્લાઈટ્સ સ્થગિત કરી છે: – American Airlines – 3874 ફ્લાઈટ્સ – Delta Air Lines…

કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું થયું આગમન, પક્ષી પ્રેમીઓમાં ઉત્સાહ

કચ્છના નાના રણમાં શિયાળાની ઋતુ શરૂ થતા હજારો કિલોમીટર દૂરથી વિદેશી પક્ષીઓ આવી રહ્યા છે. ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂનબિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન ફાલકન, રણ ચકલી અને નાઈટજાર જેવા રંગબેરંગી પક્ષીઓ અહીં જોવા મળે છે. કચ્છના રણનું મહત્વ નાનું રણ લગભગ 4953 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. ઠંડીના સમયમાં અહીં ખોરાક, સલામતી અને અનુકૂળ વાતાવરણ મળે છે, જેના કારણે વિદેશી પક્ષીઓ લાંબા પ્રવાસ પછી અહીં આરામ કરે છે. યુરોપ જેવા દેશોમાં બરફ ભરાયેલી સ્થિતિને કારણે તેઓ લગભગ ચાર મહિના માટે કચ્છના રણમાં રહે છે. પ્રવાસીઓ અને કુદરતપ્રેમીઓમાં ઉત્સાહ વિદેશી પક્ષીઓના આગમનથી પ્રવાસીઓ અને કુદરતપ્રેમીઓમાં આનંદ અને રોમાંચ જોવા મળે છે. રાજ્ય અને અન્ય પ્રદેશોથી લોકો મોટા પાયે રણની મુલાકાત લેવા આવે છે. પક્ષીઓને તકલીફ ન થાય તે…

ભાવનગરમાં બે બાઈક વચ્ચે અકસ્માત: 5 યુવાનો ઈજાગ્રસ્ત, એકની સ્થિતિ ગંભીર

ભાવનગરના ભાલ પંથકમાં સવાઈનગર નજીક રવિવારે બે મોટરસાયકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ યુવાનો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. રજાના દિવસે થયેલ આ ઘટનાથી હાઈવે પર લોકોનું તોળમેળ ઉમટી પડ્યું હતું. અકસ્માત કેવી રીતે સર્જાયો? પ્રાપ્ત વિગતો અનુસાર, સવાઈનગર ગામની નજીક બે બાઈક પર સવાર યુવાનો સામસામે અથડાયા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઈક ચાલકો રોડ પર ફંગોળાયા. તાત્કાલિક રાહત કામગીરી હાઈવે પરથી પસાર થતા લોકો તરત મદદ માટે દોડી આવ્યા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી. ઘટના સ્થળે ત્રણ 108 એમ્બ્યુલન્સ પહોંચી અને પેરામેડિકલ સ્ટાફે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ્યું. સ્થિતિ અને કાર્યવાહી અગાઉની માહિતી મુજબ, પાંચ ઈજાગ્રસ્તોમાં એક…

પ્રજાસત્તાક દિવસ 2026: ભારત 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવાય છે? ઇતિહાસ, મહત્વ અને ઉજવણીઓ

ભારત દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે. આ દિવસ દેશના બંધારણની અમલીકરણની યાદમાં નિર્વિચાર મહત્વ ધરાવે છે અને સમગ્ર દેશ માટે દેશભક્તિ અને ગર્વનો પ્રતીક છે. 2026માં, ભારત 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે, જે સોમવારે આવે છે. ઇતિહાસ ભારતને 15 ઓગસ્ટ, 1947 ના રોજ સ્વતંત્રતા મળી, ત્યારે દેશમાં બંધારણના અમલ માટે માર્ગદર્શિકા ન હતી. સ્વતંત્રતા પછીના કાયદા બ્રિટિશ “ભારત સરકાર અધિનિયમ, 1935” પર આધારિત હતા. ભારતીય બંધારણ તૈયાર કરવા માટે મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ હતા ડૉ. બી.આર. આંબેડકર. સમિતિના પ્રયાસો પછી ભારતીય બંધારણ 26 નવેમ્બર, 1949 ના રોજ પૂર્ણ થયું. આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બે મહિના પછી, 26 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું. આ…

દિલ્હીની હવામાં ‘ધીમું ઝેર’: 19 ખતરનાક તત્વો શ્વાસ સાથે લોહીમાં ભળી રહ્યા, કેન્સર અને હૃદયરોગની ચિંતા

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન (NLM) દ્વારા થયેલા અભ્યાસમાં દિલ્હીની હવાના ખરાબ પ્રદૂષણ વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે દિલ્લીની હવામાં માત્ર ધૂળ જ નહીં, પરંતુ ૧૯ એવા ઝેરી તત્વો હાજર છે, જે સીધા માનવ સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યા છે. ખતરનાક તત્વો PM 2.5 કણોમાં એલ્યુમિનિયમ, સીસું, આર્સેનિક, ક્રોમિયમ અને નિકલ જેવા તત્વો ભળેલા છે. આ તત્વો એટલા સૂક્ષ્મ છે કે ફેફસાના ફિલ્ટરને પાર કરી લોહીમાં ભળી જાય છે, જેના કારણે ફેફસાનું કેન્સર, હૃદય અને કિડનીના ગંભીર રોગ થવાની સંભાવના વધી જાય છે. પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત અભ્યાસ મુજબ આ ઝેરી તત્વો મુખ્યત્વે નીચેના સ્ત્રોતો દ્વારા હવામાં ભળે છે: – રસ્તાની ધૂળ અને માટી – વાહનોનું ઉત્સર્જન – ઔદ્યોગિક પ્રવૃત્તિઓ – અશ્મિભૂત…