શેખ હસીનાના ભાષણ બાદ બાંગ્લાદેશ સરકારે ભારતને ચેતવણી આપી

હિંસા અને આર્થિક સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશી સરકારે શેખ હસીનાના વિસ્તૃત ભાષણને લઇને ભારત સરકારને સખત ચેતવણી આપી છે. બાંગ્લાદેશ સરકારની આ ચેતવણી બંને દેશોના સંબંધો પર નવી તાણ અને ચર્ચા ઉભી કરી રહી છે. શું બન્યું? પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ 23 જાન્યુઆરીએ દિલ્હીમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કર્યું, જેમાં તેઓએ પોતાના સમર્થકો અને જનતાને હિંસા અને આંદોલન માટે પ્રેરણા આપી હોવાનું બાંગ્લાદેશી સરકારે જણાવ્યું છે. ઢાકાએ આ બાબતે આશ્ચર્ય અને આઘાત વ્યક્ત કર્યો છે અને કહ્યું કે આ હિંસાપરક નિવેદનો બાંગ્લાદેશની શાંતિ, સુરક્ષા અને લોકશાહી પ્રક્રિયા માટે ગંભીર ખતરો છે. આગામી ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાનો આશંકા બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. વચગાળાની સરકારનું માનવું છે કે, શેખ હસીનાના આવા ભડકાઉ…

ગુજરાત સરકારનો નગરપાલિકાને લઇ મોટો નિર્ણય : વિકાસ કામો માટે મળશે મફત જમીન, જાણો વિગત

ગુજરાત સરકારે શહેરોના વિકાસને ઝડપી બનાવવા અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલુ ભર્યું છે. હવે નગરપાલિકાઓને સરકારી જમીન મેળવવા માટે જંત્રીના 25 થી 50 ટકા દર ચૂકવવાની જરૂર નહીં પડે. નિર્ણય પાછળનું કારણ અત્યારે નગરપાલિકાઓ જ્યારે કોઈ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે સરકારી જમીનની માંગણી કરતી, ત્યારે તેમને જંત્રીના નક્કી કરેલા દર મુજબ મોટી રકમ સરકારને ચૂકવવી પડતી. આ આર્થિક બોજને કારણે ઘણીવાર વિકાસપ્રોજેક્ટ્સમાં વિલંબ થતા હતા. નવા નિયમો હેઠળ નગરપાલિકાઓ પર આ ભારણ ઘટશે અને પાયાની સુવિધાઓ સમયસર નાગરિકોને ઉપલબ્ધ થશે. કઈ 11 સુવિધાઓ માટે જમીન મળશે મફતમાં? સરકાર દ્વારા જાહેર કરેલી યાદી અનુસાર, નીચે મુજબની કામો માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે જમીન ફાળવાશે: 1. નગરસેવા સદન (વહીવટી ઓફિસ) 2. ફાયર સ્ટેશન 3. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ…

અમેરિકામાં ભયાનક હિમવર્ષા, જનજીવન અસ્તવ્યસ્ત; 13,500થી વધુ ફ્લાઇટ્સ રદ્દ

અમેરિકા હાલમાં સદીની સૌથી ભયાનક હિમવર્ષાનો સામનો કરી રહ્યું છે. દેશના પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલા ભારે બરફવર્ષાએ જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાંખ્યું છે. રાષ્ટ્રીય હવામાન વિભાગના અંદાજ મુજબ આ તોફાની હિમવર્ષાની અસર અમેરિકાની અડધી વસ્તી, એટલે કે આશરે 18 કરોડ લોકો પર પડી શકે છે. દક્ષિણ રોકી પર્વતોથી શરૂ થયેલું આ તીવ્ર તોફાન હવે ન્યૂ ઇંગ્લેન્ડ અને ન્યૂયોર્ક તરફ આગળ વધી રહ્યું છે. ભારે બરફ, બરફીલા પવન અને અત્યંત નીચા તાપમાનના કારણે રસ્તાઓ, રેલવે અને હવાઈ સેવાઓ પર ગંભીર અસર પડી છે. એવિએશન ક્ષેત્રે સૌથી મોટું સંકટ આ હિમવર્ષાને કારણે અમેરિકાના હવાઈ ઇતિહાસમાં સૌથી મોટા સંકટોમાંનું એક સર્જાયું છે. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર અત્યાર સુધીમાં 13,500થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. માત્ર રવિવારે જ આશરે 9,600…

સ્પેસ સ્ટેશન જઈ ઇતિહાસ રચનાર શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાશે

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સુધીની ઐતિહાસિક યાત્રા અને અવકાશ કાર્યક્રમમાં આપેલા વિશિષ્ટ યોગદાન બદલ દેશના સર્વોચ્ચ શાંતિ સમયના લશ્કરી સન્માન અશોક ચક્રથી નવાજવામાં આવશે. આ જાહેરાત પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી)ની પૂર્વસંધ્યાએ કરવામાં આવી હતી. નાસાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન દ્વારા પ્રક્ષેપણ બાદ શુભાંશુ શુક્લા 26 જૂન 2025ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચશે અને ત્યાં પગ મૂકનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બની ઇતિહાસ રચશે. તેઓ 1984માં અવકાશમાં ગયેલા રાકેશ શર્મા બાદ અવકાશમાં જનાર બીજા ભારતીય બનશે. શુક્લા ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા ચાર અવકાશયાત્રીઓમાંના એક છે. તેમની સાથે ગ્રુપ કેપ્ટન પી.બી. નાયરને કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે ફાઇટર પાઇલટ તરીકે શુભાંશુ શુક્લાનો અનુભવ અત્યંત પ્રભાવશાળી રહ્યો છે.…

રાશિફળ/26 જાન્યુઆરી 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો-આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. તમારી માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે, બધું જ ગુલાબી દેખાશે. તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય…

અંક જ્યોતિષ/26 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રને સંબોધન, જાણો વિગત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું કે યુવાનો દેશના વિકાસને નવી દિશા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રજાસત્તાક દિવસ અતીત, વર્તમાન અને ભવિષ્યને જોડતો પવિત્ર તહેવાર છે, જે દેશની દિશા અને સ્થિતિ પર ચિંતન કરવાની તક આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ ભારત પોતાના રાષ્ટ્રીય ભાગ્યનો નિર્માતા બન્યું. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવતા ભારત એક સંપ્રભુ, લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થપાયું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતનું બંધારણ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા આદર્શો પર આધારિત છે, જે વિશ્વના સૌથી મોટા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો બનાવે છે. આ આદર્શો બંધારણના નિર્માતાઓની દૃષ્ટિ અને રાષ્ટ્રની એકતાનું પ્રતિક છે. રાષ્ટ્રપતિ મુર્મુએ સરદાર વલ્લભભાઈ પટેલની…

અભિષેક શર્માની તોફાની ઇનિંગમાં ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવી, ત્રીજી T20 જીતી શ્રેણી પર કબજો

ગુવાહાટીમાં આજે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને ત્રીજી T20 મેચ જીત અને પાંચ મેચની શ્રેણી પર કબજો મેળવી લીધો છે. આ મેચ ગુવાહાટીના બારાસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ન્યૂઝીલેન્ડનો સ્કોર ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં નવ વિકેટે 153 રન બનાવ્યા. ગ્લેન ફિલિપ્સે 48 રનના મજબૂત સ્કોર સાથે ટીમને આધાર આપ્યો. ભારત માટે જસપ્રીત બુમરાહે ત્રણ, હાર્દિક પંડ્યા અને રવિ બિશ્નોએ બે-બે વિકેટ લીધી, જ્યારે હર્ષિત રાણાએ એક વિકેટ લીધી. ભારતની તોફાની બેટિંગ જવાબમાં ભારતીય ટીમ માત્ર 10 ઓવરમાં લક્ષ્ય પાર કરી જીત મેળવી. ઇશાન કિશે 13 બોલમાં 28 રન બનાવ્યા, ત્યાર બાદ અભિષેક શર્માએ 20 બોલમાં 68 રનના તોફાની સ્કોર સાથે મેચને દિશા આપી. અભિષેકની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. સૂર્યકુમાર…

અંક જ્યોતિષ/25 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/25 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારી લાગણીઓ પર અંકુશ રાખવું તમને મુશ્કેલ લાગશે-તમારૂં અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મુકશે. સમય અને ધન ની કિંમત કરતા શીખો નહીંતર આવનારા સમય માં તમને તકલીફ પડી શકે છે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ…