ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર મહોર, જાણો વિગત

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ (FTA) માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. સોમવારે કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી અને જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે કરારની તમામ વિગતો પર આખરી સંમતિ સધાઈ ગઈ છે.

સંતુલિત અને ભવિષ્યલક્ષી કરાર
રાજેશ અગ્રવાલે જણાવ્યું કે આ કરાર ભારત માટે સંતુલિત અને ભવિષ્યલક્ષી છે. આ ડીલથી ભારત અને યુરોપીયન દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણને અભૂતપૂર્વ પ્રોત્સાહન મળશે, જેનો લાભ બંને અર્થતંત્રોને થશે.

હસ્તાક્ષર અને અમલીકરણ
– વાટાઘાટો પૂર્ણ થઈ ચુકી છે, અને કરાર અંતિમ તબક્કે છે.
– હાલમાં FTA ના લખાણની કાયદાકીય ચકાસણી (Legal Scrubbing) ચાલી રહી છે.
– સરકારનો લક્ષ્ય છે કે આ વર્ષના અંત સુધી હસ્તાક્ષર કરવામાં આવે.
– જો બધું યોજનાનું અનુસાર ચાલે તો, 2027ની શરૂઆતથી કરાર અમલમાં આવી શકે છે.

વૈશ્વિક સંજોગોમાં મહત્વ
નિષ્ણાતો માની રહ્યા છે કે જ્યારે અમેરિકાના સાથે ભારતના વેપાર સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે, ત્યારે EU સાથેનો આ કરાર ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
– ભારતીય નિકાસકારોને યુરોપના વિશાળ બજારમાં સરળ પ્રવેશ મળશે
– ટેક્સટાઇલ, કૃષિ અને આઈટી ક્ષેત્રોમાં મોટો લાભ
આ કરાર માત્ર વેપાર પૂરતો મર્યાદિત નથી, પણ તે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જશે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…