દિલ્હીની હવામાં ‘ધીમું ઝેર’: 19 ખતરનાક તત્વો શ્વાસ સાથે લોહીમાં ભળી રહ્યા, કેન્સર અને હૃદયરોગની ચિંતા

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન (NLM) દ્વારા થયેલા અભ્યાસમાં દિલ્હીની હવાના ખરાબ પ્રદૂષણ વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે દિલ્લીની હવામાં માત્ર ધૂળ જ નહીં, પરંતુ ૧૯ એવા ઝેરી તત્વો હાજર છે, જે સીધા માનવ સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યા છે.

ખતરનાક તત્વો
PM 2.5 કણોમાં એલ્યુમિનિયમ, સીસું, આર્સેનિક, ક્રોમિયમ અને નિકલ જેવા તત્વો ભળેલા છે. આ તત્વો એટલા સૂક્ષ્મ છે કે ફેફસાના ફિલ્ટરને પાર કરી લોહીમાં ભળી જાય છે, જેના કારણે ફેફસાનું કેન્સર, હૃદય અને કિડનીના ગંભીર રોગ થવાની સંભાવના વધી જાય છે.

પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત
અભ્યાસ મુજબ આ ઝેરી તત્વો મુખ્યત્વે નીચેના સ્ત્રોતો દ્વારા હવામાં ભળે છે:
– રસ્તાની ધૂળ અને માટી
– વાહનોનું ઉત્સર્જન
– ઔદ્યોગિક પ્રવૃત્તિઓ
– અશ્મિભૂત ઇંધણનું દહન
– અન્ય પર્યાવરણીય પ્રદૂષણ

વિશેષ ચિંતાજનક તત્વો
સલ્ફર, ક્લોરિન અને પોટેશિયમ વર્ષભર હવામાં રહે છે, જ્યારે શિયાળામાં તેમની સાંદ્રતા ચરમસીમાએ પહોંચે છે. ખાસ કરીને ક્રોમિયમ અને આર્સેનિક જેવા કેન્સર પેદા કરનારા તત્વોની હાજરી તબીબી નિષ્ણાતોને ગંભીર ચિંતામાં મૂકી રહી છે.

જરૂરી પગલાં
વિજ્ઞાનીઓનું કહેવું છે કે માત્ર વાયુ પ્રદૂષણના આંકડા ઘટાડવાથી કામ નહીં ચાલે. ઉદ્યોગોના ધુમાડા અને વાહનોના ટાયરના ઘસારામાંથી નીકળતી સૂક્ષ્મ ધાતુઓ પર કડક નિયંત્રણ જરૂરી છે, નહીતર દિલ્લીવાસીઓ માટે શુદ્ધ શ્વાસ લેવું એક સપનું બની રહેશે. આ અહેવાલ પછી સરકારને પર્યાવરણીય નીતિઓમાં ફેરફાર અને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક પગલાં લેવાની જરૂરીયાત ઊભી થઈ છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે