રાજ્યના આરોગ્ય વિભાગમાં 83 અધિકારીઓની બઢતી-બદલીના આદેશ, જાણો વિગત
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 83 અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ બહાર પાડવામાં આવ્યા છે. આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે લેવાયો છે અને આરોગ્ય વિભાગમાં કાર્યક્ષમતા વધારવાનું મુખ્ય ઉદ્દેશ છે. મુખ્ય ફેરફારો: મદદનીશ કમિશનર (ક્લાસ-1)ના 11 અધિકારીઓને બઢતી સાથે નવી જગ્યાએ બદલી કરાઇ. વર્ગ-2ના 34 ડ્રગ ઇન્સપેક્ટર અને વર્ગ-2 (મેટ્રિક લેવલ-8, ગ્રેડ પે)ના 28 ઔષધ નિરીક્ષકોની બદલી કરાઇ. વર્ગ-2ના 10 ડ્રગ ઇન્સપેક્ટરોને બઢતી આપી મદદનીશ કમિશનર (ક્લાસ-1) તરીકે નિયુક્તિ આપવામાં આવી. આ આદેશ હેઠળ અનેક સહાયક કમિશનર અને ડ્રગ ઇન્સ્પેક્ટર્સને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેથી આરોગ્ય વિભાગના કામગીરીમાં સુધારો લાવવામાં મદદ મળે. GAS કેડરના અધિકારીઓની ટ્રાન્સફર: ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 16 અધિકારીઓને વિવિધ વિભાગોમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ…
રાશિફળ/31 જાન્યુઆરી 2026: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારૂં ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે-તથા અરાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે. પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે. પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે. તમે સહકાર ન આપો તો કોઈ તમારી…
અંક જ્યોતિષ/31 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
PMમોદીની AI CEOs અને નિષ્ણાંતો સાથે બેઠક, India-AI ઈમ્પેક્ટ સમિટને લઈ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારના સમયે લોક કલ્યાણ માર્ગ પર પોતાના નિવાસસ્થાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં કાર્યરત CEOs અને નિષ્ણાતો સાથે ઊંચા સ્તરીય બેઠક યોજી. આ બેઠકનો ઉદ્દેશ ફેબ્રુઆરીમાં યોજાનારી India-AI ઈમ્પેક્ટ સમિટ માટે તૈયારી, AIમાં વ્યૂહાત્મક સહયોગ વધારવો અને ભારતના AI મિશનના લક્ષ્યોને ઝડપી રીતે આગળ વધારવો હતો. નવી ટેકનોલોજીના અસરકારક ઉપયોગ પર ભાર બેઠક દરમિયાન CEOsએ ભારતને વૈશ્વિક સ્તરે AIમાં મોખરે મૂકવા માટે સરકારના પ્રયાસોની પ્રશંસા કરી અને આત્મનિર્ભર બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ નવા ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અપનાવવાની અને તે દેશના વિકાસ માટે અસરકારક રીતે ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેઓએ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનું પણ આહ્વાન કર્યું. PM મોદીની અપીલ વડાપ્રધાએ તમામ વ્યક્તિઓ અને કંપનીઓને સમિટનો સંપૂર્ણ લાભ લેવા, નવી…
ઇમરાન ખાનની આંખનું ગુપ્ત રીતે કરાયું ઓપરેશન, ત્રણ કલાક સુધી ચાલી સર્જરી
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને હાલ જેલમાં બંધ ઇમરાન ખાનની આંખની સર્જરી ગુપ્ત રીતે કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારએ ગુરુવારે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ઇમરાન ખાનની હાલત સંપૂર્ણપણે સ્થિર છે અને તેમને કોઈ ગંભીર આરોગ્ય સંકટ નથી. 73 વર્ષીય ઇમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. ગયા અઠવાડિયે આંખમાં તકલીફની ફરિયાદ બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ દાવો કર્યો હતો કે ઇમરાન ખાનને આંખની ગંભીર બીમારી છે. સમર્થકો અને પરિવારજનોમાં ચિંતા પીટીઆઈના અહેવાલ મુજબ, ઇમરાન ખાનને જમણી આંખમાં સેન્ટ્રલ રેટિના વેઇન ઓક્લુઝન હોવાનું નિદાન થયું છે, જે આંખની નસમાં અવરોધ સર્જે છે. જોકે, ઇમરાન ખાનની બહેન નૂરીન ખાને આ…
અમેરિકા: ટેક્સાસમાં સરકારી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં H-1B વિઝા પર પ્રતિબંધ
અમેરિકાના શક્તિશાળી રાજ્ય ટેક્સાસે વિદેશી કામદારો માટે, ખાસ કરીને ભારતીય IT પ્રોફેશનલ્સ માટે, કડક નિર્ણય લીધો છે. રાજ્યના ગવર્નર ગ્રેગ એબોટે તમામ સરકારી એજન્સીઓ અને જાહેર યુનિવર્સિટીઓને નવી H-1B વિઝા અરજીઓ પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ આપ્યો છે. આ પ્રતિબંધ 31 મે, 2027 સુધી અમલમાં રહેશે. આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે આગામી દોઢ વર્ષ સુધી ટેક્સાસની કોઈપણ સરકારી સંસ્થા અથવા જાહેર યુનિવર્સિટીમાં વિદેશી વ્યાવસાયિકોને નવી નોકરી મળવાની શક્યતા લગભગ બંધ થઈ જશે. ગવર્નર એબોટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે ટેક્સાસના કરદાતાઓ પોતાના નાગરિકોને તાલીમ આપવા માટે અબજો ડોલર ખર્ચે છે, તેથી રાજ્યની નોકરીઓ પર પ્રથમ અધિકાર સ્થાનિકોને જ મળવો જોઈએ. તેમણે H-1B વિઝા કાર્યક્રમમાં કથિત દુરુપયોગ થતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો…
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: 13મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક તૈયાર
અમદાવાદ જિલ્લામાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 મીટર લાંબો 13મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક તૈયાર થયો છે. રાજ્યમાં કુલ 17 સ્ટીલ બ્રિજમાં આ બ્રિજ ગુજરાતમાં ત્રીજો સૌથી મોટો છે. બુલેટ ટ્રેન માટે વાયડક્ટ સ્પાન-બાય-સ્પાન સ્ટ્રક્ચર્સની મદદથી બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરેક સ્પાન ૩૦થી ૫૦ મીટર સુધીનો છે. આ લાઇન કાલુપુર અને શાહપુર મેટ્રો સ્ટેશન વચ્ચે આવેલ અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ઉપરથી પસાર થાય છે. સ્ટ્રક્ચર અને સલામતી બ્રિજના ફાઉન્ડેશનને ટનલથી દૂર રાખવામાં આવ્યા હતા જેથી સ્ટ્રક્ચરનો લોડ ટનલ પર ન પહોંચે. બ્રિજની લંબાઈ ૧૦૦ મીટર રાખી ગઇ હતી અને સાઇટ પર ટેમ્પરરી ટ્રેસલ્સ પર 16.5મીટર ઊંચાઈ પર એસેમ્બલ કરવામાં આવ્યું. એસેમ્બલી પછી ટેમ્પરરી સપોર્ટ્સ દૂર કરીને બ્રિજને સ્થિર સપોર્ટ સિસ્ટમ પર સ્થિર કરવામાં આવ્યું.…
‘પાકિસ્તાન જતા પહેલા બે વખત વિચારજો’ – ટ્રમ્પની હાઈ રિસ્ક એડવાઈઝરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા પાકિસ્તાન પ્રવાસ માટે કડક ચેતવણી જાહેર કરાઈ છે. 29 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલી લેવલ-3 એડવાઈઝરી મુજબ, અમેરિકી નાગરિકોએ પાકિસ્તાન જવા પહેલાં પોતાના નિર્ણય પર ફરીથી વિચારવું જોઈએ. પાકિસ્તાનમાં વધેલું જોખમ અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે પાકિસ્તાનમાં ગુમરાહ ગનાખોરી, આતંકવાદ અને અપહરણના કેસ ઊંચા સ્તરે છે. આતંકવાદીઓ કોઈ પણ સમયે ટ્રાન્સપોર્ટેશન હબ, માર્કેટ, હોટલ, શાળા, હોસ્પિટલ અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવી શકે છે. ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન વિસ્તારોમાં ટ્રાવેલિંગ ‘લેવલ-4’ તરીકે ચિહ્નિત કરાયું છે, જ્યાં કોઈ પણ સંજોગોમાં પ્રવાસ કરવો જોખમી ગણાય છે. સોશિયલ મીડિયા પર ટીકા ગંભીર મુશ્કેલીમાં ફેરવી શકે એડવાઈઝરીમાં ખાસ ચેતવણી છે કે પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિકો પણ સોશિયલ મીડિયા પર સરકાર અથવા સેનાની…
ધરખમ ઉછાળા બાદ ચાંદી અને સોનાના ભાવમાં મોટી અસ્થિરતા, રૂપિયો 91.95 પર ગગડ્યો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાઈ છે. દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ. 65,047 અને સોનાના ભાવમાં રૂ. 22,971 જેટલી જોરદાર ઉથલ-પાથલ જોવા મળી છે. આથી રોકાણકારોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ MCX પર ચાંદીના ભાવમાં આજે કુલ રૂ. 65,047ની ઊંચ-નીચ નોંધાઈ. દિવસની શરૂઆતમાં ચાંદી રૂ. 3,99,000 પર ખુલ્યો અને ટોચે પહોંચી રૂ. 4,20,048. ત્યારબાદ ઘટાડા સાથે તે રૂ. 3,55,001 સુધી પહોંચ્યો. અગાઉના બંધ ભાવ રૂ. 3,85,366ની સરખામણીમાં બજારમાં ભારે તીવ્રતા જોવા મળી. સોનાના ભાવની સ્થિતિ સોનાના ભાવમાં પણ ભારે અસ્થિરતા જોવા મળી. દિવસ દરમિયાન સોનાના ભાવમાં રૂ. 22,971ની ઉથલ-પાથલ નોંધાઈ. સોનાનું ટ્રેડિંગ રૂ. 1,69,882 પર ખુલ્યા બાદ ઊંચા સ્તરે રૂ. 1,80,779 પર પહોંચી અને બાદમાં…
















