વડોદરા ભાજપના સંગઠન માળખાની જાહેરાત, ડૉ. જયપ્રકાશ સોનીની ટીમમાં નવા ચહેરાઓને સ્થાન

વડોદરા શહેર ભાજપમાં લાંબા સમયની રાહ જોવાયા પછી નવી સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા પ્રદેશ નેતૃત્વની સૂચના મુજબ વિવિધ પદો પર નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમમાં અનુભવી અને યુવા કાર્યકરોનો સમન્વય કરવામાં આવ્યો છે અને શહેરના દરેક વોર્ડ અને મંડળનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મુખ્ય સંગઠન માળખું – ઉપપ્રમુખ: નિલેશભાઈ રાણા, કુમારી કોમલબેન કુકરેજા, ભુરસીંગભાઈ રાઠવા, શુભાંગીનીબેન જગતાપ, નરેન્દ્રભાઈ પટેલ, નિમિષાબેન પંચાલ, ભરતભાઈ ઠક્કર, મહેન્દ્રસિંહ રાઠોડ – મહામંત્રી: લકુલેશભાઈ ત્રિવેદી, દીપકભાઈ પઢિયાર, રમેશભાઈ પટેલ – મંત્રી પદ: અશોક સવજીભાઈ ચૌધરી, વર્ષાબેન વ્યાસ, પ્રતિમાબેન મિસ્ત્રી, ખુશબુબેન રાણાપુરા, સમીરભાઈ વાઘેલા, ચિરાગભાઈ ફણસે, યુગાદિત્યસિંહ જાડેજા, કોમલબેન દવે – કોષાધ્યક્ષ: તેજસભાઈ દેસાઈ – કાર્યાલય મંત્રી: નયન નટુભાઈ…

અંક જ્યોતિષ/30 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/30 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ સ્વાસ્થ્ય સારૂં રહેશે. તમારા માતા પિતા આજે તમારી ફિજૂલખર્ચી જોઈ ચિંતિત થયી શકે છે અને તમને તેમના ગુસ્સા નો ભોગ બનવો પડી શકે છે. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. તમે જો િમત્રો સાથે સાંજ બહાર જશો તો ઈન્સ્ટન્ટ રૉમાન્સ તમારી તરફ આવી શકે છે. તમારી કારકિર્દીની શક્યતાઓને…

ચાંદીના ભંડારમાં ‘સુલતાન’ કોણ? જાણો દુનિયાનો સૌથી મોટો ચાંદી ખજાનો કયા દેશ પાસે

સોનાની જેમ હવે ચાંદી પણ રોકાણકારો માટે હોટ ફેવરિટ બની રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે વિશ્વમાં ચાંદીનો સૌથી મોટો ભંડાર કયા દેશ પાસે છે. નિષ્ણાતો અને ડેટા મુજબ, મેક્સિકો ચાંદીના ઉત્પાદન અને ભંડારમાં વિશ્વના ટોપ હરીફોમાં આવે છે. જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સમાં ચીનનો ઉલ્લેખ થાય છે, વાસ્તવમાં ભૂગર્ભમાં રહેલી ચાંદી અને રિફાઇન્ડ સ્ટોક વચ્ચે તફાવત છે. ભૂગર્ભમાં સૌથી મોટાં ચાંદીના ભંડાર મેક્સિકો, પેરુ અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. મેક્સિકો દાયકાઓથી વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે, જ્યારે ચીન તેની ઔદ્યોગિક માંગ અને ટેકનોલોજી ઉદ્યોગને પહોંચી વળવા માટે ચાંદીનું વિશાળ હોલ્ડિંગ જાળવી રહ્યું છે. કંગાળો અંદાજ લગાવવામાં આવે છે કે ચીન પાસે વૈશ્વિક ચાંદીનો 70% જેટલો હિસ્સો હોઈ શકે છે, જે મુખ્યત્વે…

ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાનની તીવ્ર ચેતવણી: હિમપ્રપાત, વરસાદ અને કરા સાથે તાપમાનમાં ભારે ઘટાડો

ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાજેતરમાં હવામાન તીવ્ર બન્યું છે. પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ભારે હિમપ્રપાત જોવા મળ્યો છે, જેનાથી વાહનોને નુકસાન અને અનેક પશુધનના મોત થયા છે. પર્વતોમાં હિમવર્ષા ચાલુ છે, જેને કારણે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે, પરંતુ સ્થાનિક રહેવાસીઓ માટે મુશ્કેલીઓ વધી રહી છે. મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ અને કરા પડવાથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઠંડા પવનોએ દિલ્હીને ઠંડક આપી છે અને શિયાળાની તીવ્રતા વધારી છે. આ મહિને ઉત્તર-પશ્ચિમ ભારતમાં નવા પશ્ચિમી વિક્ષેપની ધારણા છે, જે 1 ફેબ્રુઆરીએ ભારે વરસાદ અને હિમવર્ષા લાવવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં કાટમાળ અને નુકસાન હિમાચલ પ્રદેશના ભરમૌર અને ચંબા જિલ્લાના પાંગી સબડિવિઝનમાં મંગળવારે રાત્રે એક વિશાળ હિમશિલા તૂટી પડી હતી. બરફની વહેતી નદીમાં રાશન ભરેલા બે વાહનો અને ત્રણ દુકાનો વહી…

કોલંબિયામાં લેન્ડિંગના 11 મિનિટ પહેલા વિમાન ક્રેશ, સાંસદ સહિત 15 લોકોના મોત

કોલંબિયામાં બુધવારે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કરુણ મોત નિપજ્યા છે. કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ કોમર્શિયલ વિમાન ઉડાન બાદ રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. રાજ્ય એરલાઇન SATENA મુજબ, વિમાન બુધવારે સવારે 11:42 વાગ્યે ઉડાન ભર્યા બાદ લેન્ડિંગના માત્ર 11 મિનિટ પહેલા રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનનો છેલ્લો સંકેત કૅટટુમ્બો (Catatumbo) વિસ્તાર ઉપર નોંધાયો હતો, ત્યારબાદ તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દુર્ગમ પહાડી વિસ્તારમાં મળ્યો કાટમાળ ઘણા કલાકોની શોધખોળ બાદ બચાવ ટીમોને કૅટટુમ્બોના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો. સ્થાનિક મીડિયા અને એરલાઇન સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે વિમાનમાં સવાર તમામ 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ…

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આજે અંતિમ સંસ્કાર, બારામતીમાં ભીડ ઉમટી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. અજિતના અંતિમ સંસ્કાર આજે, ગુરુવારે, સવારે 11 વાગ્યે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. અંતિમ યાત્રાની ઝલક સામે આવી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની અંતિમ યાત્રા માટે તૈયાર કરાયેલા વાહનના ફોટા સામે આવ્યા છે. શોભાયાત્રા વિદ્યા પ્રતિષ્ઠાન કેમ્પસથી શરૂ થશે, શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થશે અને વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં સમાપ્ત થશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પવારનું ગઈકાલે બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું, જેમાં સવાર તમામ મુસાફરોના મોત થયા હતા. બારામતીમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂરજોશમાં મહારાષ્ટ્રના બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં NCP…

અનિલ અંબાણીને ફરી લાગ્યો મોટો ઝટકો, ED દ્વારા 1,800 કરોડ રૂપિયાની મિલકત કરાઈ જપ્ત

રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. બેન્ક છેતરપિંડી અને અન્ય આરોપોને પગલે EDએ આશરે ₹1,885 કરોડની મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી છે. EDની કાર્યવાહી હેઠળ કયા માલસામાન  જપ્ત થયા? ED દ્વારા 4 અલગ-અલગ આદેશોના માધ્યમથી કંપનીઓના બેન્ક બેલેન્સ, બાકી લેણાં, અનલિસ્ટેડ કંપનીઓમાં શેરહોલ્ડિંગ અને સ્થાવર મિલકતો જપ્ત કરાયા છે. તેમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના BSES યમુના પાવર, BSES રાજધાની પાવર અને મુંબઈ મેટ્રો વનના શેર પણ સામેલ છે. વેલ્યુ કોર્પ ફાઈનાન્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા રાખવામાં આવેલા ₹148 કરોડના બેન્ક બેલેન્સ અને ₹143 કરોડના બાકી લેણાં પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રિલાયન્સ ગ્રુપના બે વરિષ્ઠ કર્મચારીઓ અંગારાય સેથુરામનના રહેણાંક મકાન અને પુનીત ગર્ગના શેર અને મ્યુચ્યુઅલ ફંડ…

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, સોનું ₹1,62,000ને સ્પર્શ્યું

બુધવારે રાત્રે એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે યુદ્ધના તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણની દિશા તરફ વળ્યા છે, જેના પરિણામે કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹31,000નો ઉછાળો નોંધાયો. તેની સાથે ચાંદીનો ભાવ ₹3,75,000 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. બજારના નિષ્ણાતો જણાવે છે કે આ તેજી અત્યંત અપ્રતિમ છે અને આગામી સમયમાં ચાંદી ₹૪ લાખની સપાટી પણ સ્પર્શી શકે છે. સોનામાં 5% જેટલો જંગી ઉછાળો સોનામાં એક જ સેશનમાં ₹8,000નો વધારો જોવા મળ્યો, જે ટકાવારી પ્રમાણે લગભગ 5% જેટલો છે. આ ઉછાળાના કારણે સોનું 10 ગ્રામ માટે ₹1,62,000 ની સપાટી સુધી પહોંચી ગયું છે. આ તેજી પાછળના…

ગુજરાત સરકાર નવું હેલિકોપ્ટર ખરીદશે: ખાસ કમિટીની રચના અને સુરક્ષા મજબૂત બનાવવાનો પ્રયાસ

ગુજરાત સરકાર રાજ્યની હવાઈ સેવાઓને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે નવું હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. હાલમાં રાજ્યમાં ઉપયોગમાં રહેલા હેલિકોપ્ટરમાં વારંવાર ટેક્નિકલ ખામીઓ આવતા સરકારી કામગીરી અને મહત્વપૂર્ણ પ્રવાસોમાં અડચણો સર્જાતી હતી. મહત્વનું છે કે રાજ્યની હાલની હેલિકોપ્ટરની ખરીદી વર્ષ 2007માં થઈ હતી અને લાંબા સમયથી ઉપયોગમાં હોવાને કારણે તેમાં સતત સમસ્યાઓ ઊભી થઈ રહી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારએ નવું હેલિકોપ્ટર લેવા માટે નિર્ણય લીધો છે. નવા હેલિકોપ્ટરની ખરીદી માટે વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી હેલિકોપ્ટરની જરૂરિયાત, તકનિકી ક્ષમતાઓ, સુરક્ષા માપદંડો અને ખર્ચ જેવા તમામ પાસાઓનું મૂલ્યાંકન કરશે. કમિટી દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. સરકારનો માનવું છે કે નવું અને આધુનિક હેલિકોપ્ટર રાજ્યના વહીવટ,…