ગુજરાત: SIR પ્રક્રિયામાં 14.70 લાખ ફોર્મ મળ્યા, વાંધા-દાવાની સમયમર્યાદા 30 જાન્યુઆરીએ પૂર્ણ
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. મુસદ્દા યાદીમાં નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે અગાઉ તા. 18.01.2026ની સમયસીમા રખાઈ હતી જે બાદમાં ભારતના ચૂંટણીપંચે 30.01.2026 નિર્ધારીત કરી હતી. આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી નાગરિકો તરફથી કુલ 14,70,125 ફોર્મ્સ મળ્યા છે. જેમાં ફોર્મ નં 6ની કુલ સંખ્યા 7,25,920 છે, ફોર્મ નં 7ની કુલ સંખ્યા 1,83,235 છે જ્યારે ફોર્મ નં 8ની કુલ સંખ્યા 5,60,970 છે. જિલ્લાવાર મળેલા ફોર્મ્સની યાદી નીચે પ્રમાણે છે. જિલ્લાવાર મળેલા…
ગુજરાતના 35 IAS અને 10 IPS અધિકારીઓ 5 ફેબ્રુઆરીએ ચૂંટણી તાલીમ માટે દિલ્હી જશે
દેશમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રારંભને ધ્યાને લઈને ગુજરાતના 45 અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે પસંદ કરવામાં આવ્યું છે. તેમાં 35 IAS અને 10 IPS અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ 5મી ફેબ્રુઆરીએ દિલ્હી જઈને ચૂંટણી કામગીરીની તાલીમ લેશે અને પછી પોતાના-રાજ્યમાં જવાબદારીઓ ભજવશે. ઓબ્ઝર્વર તરીકે તાલીમ: આ અધિકારીઓ આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પોંડીચેરીમાં આવનારી ચૂંટણીમાં ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવશે. એક દિવસની વિશેષ તાલીમ બાદ તેમને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવશે. પસંદગી પામેલા 35 IAS અધિકારીઓમાં સમાવિષ્ટ છે: આરતી કંવર, સંદીપ કુમાર, રૂપવંત સિંહ, પી. સ્વરૂપ, પ્રવિણ સોલંકી, અવંતિકા સિંહ, રાકેશ શંકર, રાજકુમાર બેનીવાલ, રાજેશ મંજુ, રાજેન્દ્ર કુમાર, રાહુલ ગુપ્તા, પી. ભારતી, રણજીત કુમાર જે, હર્ષદ પટેલ, આલોક પાંડે, જેનું દેવન, સંદીપ કુમાર, અરવિંદ કુમાર, ધવલ પટેલ,…
નેશનલ હાઇવે નં. 48 પર બસનો ભીષણ અકસ્માત : ડ્રાઇવરનું મોત; ચાર ગંભીર
અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ નેશનલ હાઇવે નં. 48 પર નડિયાદ નજીક ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઇવરનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ચાર મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ઉપરાંત 15 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા લોકોના જણાવ્યા અનુસાર ડ્રાઇવરને અનેક વખત ગાડી ધીમી અને સાવચેતીપૂર્વક ચલાવવા માટે ટોકવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઇવરે તેમની વાત ધ્યાનમાં લીધી ન હતી. પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો દાવો મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ ડ્રાઇવરનો મૃતદેહ બસની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા ફાયર બ્રિગેડની…
ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો: પવનની દિશા બદલાતા લોકોને આંશિક રાહત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. પવનની દિશા બદલાતા રાજ્યના અનેક શહેરોમાં ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. હાલ કંડલામાં 12.6 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, દ્વારકામાં 15.8 ડિગ્રી અને અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષા: રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. હિમાલયના રાજ્યોમાં વધુ એક રાઉન્ડમાં વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા નોંધાઈ છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને…
બુલિયન બજારમાં ‘બ્લેક ફ્રાઈડે’ : સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ જેવો ઐતિહાસિક કડાકો
બુલિયન માર્કેટમાં શુક્રવારની રાત્રે સોના અને ચાંદીના ભાવમાં અચાનક અને ભારે ગાબડું જોવા મળ્યું છે. એમસીએક્સ (MCX) પર રાત્રે 10:00 વાગ્યા પછી અચાનક વેચવાલી થતાં બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ અને જ્વેલર્સ તેમજ ટ્રેડરો પણ આશ્ચર્યમાં પડી ગયા. ચાંદીમાં મહાકડાકો: ચાંદીના ભાવમાં સૌથી વધુ અસર જોવા મળી. થોડા દિવસો પહેલા ₹4.20 લાખ પ્રતિ કિલો પહોંચેલી ચાંદી, અચાનક ઘટાડા પછી ₹3,28,000 થી ₹3,40,000 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. બજારમાં ગભરાટ એટલો વ્યાપક હતો કે ચાંદીમાં લોઅર સર્કિટ પણ લાગવી પડી. સોનું પણ ધરમાર તૂટ્યું: સોનાના ભાવમાં પણ રાત્રે 10:30 વાગ્યા સુધી મોટું ગાબડું જોવા મળ્યું. રેકોર્ડ હાઈ ₹1.80 લાખની સપાટી વટાવ્યા બાદ સોનાનું ભાવ હવે ₹1,54,000 થી ₹1,56,000 ની આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે, લગભગ ₹20,000 ની…
ટેક જગતે ટ્રમ્પ સામે અવાજ ઉઠાવવો જોઈએ: લિંક્ડઈનના રીડ હૉફમેની અપીલ
સિલિકોન વેલી: લિંક્ડઈનના સહ-સ્થાપક રીડ હૉફમેને ટેક ઉદ્યોગના આગેવાનોને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઈમિગ્રેશન નીતિઓ અને મિનેસોટામાં થયેલી નાગરિકોની હત્યા સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવવા અપીલ કરી છે. હૉફમે સ્પષ્ટપણે જણાવ્યું છે કે “ટેક જગત ટ્રમ્પ સામે ઘૂંટણિયા ટેકવી નહી શકે.” ગૂગલના ચીફ સાઈન્ટિસ્ટ જેફ ડીન અને વેન્ચર કેપિટાલિસ્ટ વિનોદ ખોસલા જેવા મોટા ટેક આગેવાનો પણ ટ્રમ્પના આ અભિયાનની ટીકા કરી ચૂક્યા છે. હૉફમેનો દાવો છે કે સિલિકોન વેલીના ટેક લીડર્સોએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં વધુ ખુલ્લેઆમ અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. મિનિયાપોલિસમાં ઘટેલી ઘટનાઓ હૉફમેનું કહેવું છે કે મિનિયાપોલિસમાં ફેડરલ એજન્ટ્સ દ્વારા રેની ગુડ અને એલેક્સ પ્રીટીની હત્યાઓ પછી ટેક લીડર્સ માટે ખુલ્લેઆમ બોલવાની જવાબદારી વધુ ગંભીર બની ગઈ છે. આ ઘટનાએ ટ્રમ્પ પ્રશાસન…
અમેરિકી અર્થતંત્રમાં ‘ટ્રમ્પ કાર્ડ’: કેવિન વોર્શ ફેડરલ રિઝર્વના નવા ચેરમેન, જાણી શું છે મામલો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના નવા ચેરમેન તરીકે કેવિન વોર્શના નામની સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ વૈશ્વિક બજારોમાં તીવ્ર ક્રિયાપ્રતિક્રિયા જોવા મળી છે. ટ્રમ્પે કેવિન વોર્શને “આગામી સમયના શ્રેષ્ઠ ફેડ ચેરમેન” તરીકે ઓળખાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેવિન વોર્શનું નામ જાહેર થતાં જ સોના અને ચાંદીના ભાવમાં ઝડપી વેચવાલી જોવા મળી હતી. નાણાકીય નિષ્ણાતો માને છે કે વોર્શ કડક નાણાકીય નીતિ તરફ ઝુકાવ ધરાવતા છે, જેના કારણે અમેરિકી ડોલર મજબૂત બનવાનો સંકેત છે. કેવિન વોર્શની મુખ્ય સિદ્ધિઓ: – માત્ર 35 વર્ષની વયે ફેડરલ રિઝર્વના ગવર્નર બન્યા, જે એક રેકોર્ડ છે. – 2006 થી 2011 સુધી આ પદ સંભાળ્યો. – ફેડમાં જોડાતા પહેલા ન્યુયોર્કની મોર્ગન સ્ટેનલીમાં મર્જર અને એક્વિઝિશન વિભાગમાં વાઇસ પ્રેસિડેન્ટ રહ્યા.…
દિલ્હીમાં ભારત-લિબિયા સંબંધોમાં નવી ગતિ: વિદેશ મંત્રી જયશંકરે યોજી લિબિયન સમકક્ષ સાથે મહત્વપૂર્ણ મંત્રણા
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં લિબિયાના વિદેશ મંત્રી એલ્તાહર એલ્બાૌર (Eltahir S M Elbaour) સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ લિબિયન વિદેશ મંત્રીની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે અને આવનારી 31 જાન્યુઆરીની ‘ભારત-આરબ વિદેશ મંત્રી બેઠક’ (IAFMM) ના ભાગરૂપે થઈ રહી છે. મુલાકાત દરમિયાન ચર્ચિત મુખ્ય મુદ્દાઓ: – ઉર્જા ક્ષેત્ર (Energy): લિબિયાના તેલ અને કુદરતી ગેસ પ્રોજેક્ટમાં ભારતની જાહેર ક્ષેત્રની કંપનીઓ (ONGC Videsh, BHEL, Oil India) દ્વારા નવી પ્રવૃત્તિઓ શરૂ કરવાના પ્રશ્નો ચર્ચાયા. – માળખાગત સુવિધાઓ (Infrastructure): લિબિયાના પુનઃનિર્માણ કાર્યોમાં ભારતની કૌશલ્ય અને ટેકનોલોજી ઉપયોગ કરવા માટે સહમતિ. – વ્યાપાર અને વ્યવસાય: દ્વિપક્ષીય વેપાર વધારવા અને ભારતીય ઉદ્યોગસાહસિકોને લિબિયામાં નવી તકો પ્રદાન કરવા માટે ચર્ચા. શાંતિ અને સ્થિરતા માટે ભારતની પ્રતિબદ્ધતા: બેઠક બાદ ડૉ.…
પોલીસ ભરતી: અમદાવાદમાં RFID-CCTV મોનીટરીંગ વ્યવસ્થાનું ડૉ. કે.એલ.એન. રાવે કર્યું અવલોકન
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી PSI અને લોકરક્ષક સંવર્ગની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે, આજે વહેલી સવારે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા અમદાવાદ ખાતે સૈજપુરબોઘા ગ્રાઉન્ડની સીધી મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન રાજ્યના પોલીસ વડા દ્વારા ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ ચકાસવા માટે કેટલીક મહત્વની બાબતો પર વ્યક્તિગત અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોના કોલલેટરની ચકાસણી, ચેસ્ટ નંબર અને RFID ટેગ ફાળવવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત રનિંગ ટ્રેક પર ટેકનોલોજીના માધ્યમથી દરેક ઉમેદવારના લેપ-વાઈઝ રેકોર્ડિંગ અને વ્યક્તિગત ટાઈમિંગની ગણતરી કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કરવામાં હતું. એટલું જ નહીં, કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક થાય તે માટે લગાવવામાં આવેલા CCTV કેમેરા અને ટેકનિકલ સ્ટાફની કામગીરીનું…
પ્રજાસત્તાક પર્વ પરેડમાં ગુજરાતનો ડંકો: સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ’માં પ્રથમ સ્થાન, એવોર્ડ કરાયો એનાયત
77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આજરોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ સ્વીકાર કર્યો હતો. આ સાથે જ ટેબ્લો નિર્માણની પ્રક્રિયા સમયે રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યોની સ્પર્ધામાં ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી…
















