અંક જ્યોતિષ/05 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/04 ફેબ્રુઆરી 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસ માં બધા જોડે સારી રીતે વાત કરો નહીંતર તમારી નોકરી જયી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા. તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક…

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષા દળોની કાર્યવાહી સતત તેજ બની રહી છે. આ દરમિયાન જમ્મુ વિભાગના કિશ્તવાડ જિલ્લાના છત્રુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, સુરક્ષા દળોએ બે થી ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઘેરી લીધા છે અને તેમને પકડી પાડવા માટે વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થાનિક સ્તરે સુરક્ષાના કારણોસર કેટલાક વિસ્તારોમાં નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યા છે. સેનાના જવાનો નજીકથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઉધમપુર જિલ્લામાં બે આતંકવાદીઓ ઠાર આ પહેલાં ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી હતી. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે…

‘ફેમસ પ્રધાનમંત્રીએ મને પીંખી નાખી’ – એપસ્ટીન ટાપુની કાળી કરતૂતનો મહિલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

જેફરી એપસ્ટીનના મોતને સાત વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં તેની બનાવેલી અંધારી દુનિયા આજે પણ વૈશ્વિક સ્તરે હલચલ મચાવી રહી છે. ‘એપસ્ટીન ફાઇલ્સ’ના નામે સામે આવી રહેલા નવા ખુલાસાઓ ફરી એકવાર એ વાતને ઉજાગર કરે છે કે માનવ તસ્કરી, યૌન શોષણ અને સત્તાના દુરુપયોગનું જાળું કેટલું ઊંડું અને ખતરનાક હતું. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ફરી એકવાર વર્જિનિયા જ્યુફ્રેનું નામ ચર્ચામાં આવ્યું છે. મૃત્યુ પછી પ્રકાશિત આત્મકથાએ હચમચાવી દુનિયા વર્જિનિયા જ્યુફ્રે, જેમણે એપસ્ટીન અને તેના શક્તિશાળી નેટવર્ક સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો, તેમની આત્મકથા ‘Nobody’s Girl’ તેમના અવસાનના છ મહિના પછી પ્રકાશિત થઈ છે. પુસ્તક પ્રકાશિત થતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ આત્મકથા માત્ર એક વ્યક્તિની પીડાની કહાણી નથી,…

રજત શર્મા માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતાઓની મુશ્કેલી વધી, સાકેત કોર્ટે સમન્સ કર્યા જારી

ટીવી પત્રકાર અને ઇન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્મા દ્વારા દાખલ કરાયેલા ફોજદારી માનહાનિ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે કડક કાર્યવાહી કરી છે. કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને રાગિણી નાયકને 27 જુલાઈ, 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે. આ મામલો સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોથી સંબંધિત છે, જેમાં એવો આરોપ મૂકાયો હતો કે રજત શર્માએ લાઈવ ડિબેટ દરમિયાન અપશબ્દો વાપર્યા હતા. જોકે, કોર્ટની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો એડિટ કરાયેલો હતો. ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)ના રિપોર્ટ અનુસાર, વીડિયોમાં પાછળથી ટાઈટલ અને કેપ્શન ઉમેરવામાં આવ્યા હતા. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવાંશી જન્મેજાએ જણાવ્યું કે પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ત્રણેય નેતાઓએ પરસ્પર મિલીભગતથી પત્રકારની પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ કર્યો હોઈ…

ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, હવામાં ત્રણ ચક્કર બાદ સલામત લેન્ડિંગ

દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લેન્ડિંગ સમયે ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોમાં થોડીવાર માટે દહેશત ફેલાઈ ગઈ હતી. સાંજના 5:55 વાગ્યે ભુજ એરપોર્ટ પહોંચવાની હતી તે ફ્લાઈટે લેન્ડિંગ પહેલા આકાશમાં ત્રણ ચક્કર લગાવ્યા હતા. ટેક્નિકલ કારણોસર તરત લેન્ડ કરવાની મંજૂરી ન મળતા પાયલોટે પૂરતી સાવચેતી રાખી ચોથા પ્રયાસમાં વિમાનને સફળ અને સલામત રીતે ઉતાર્યું હતું. આ ઘટનાને કારણે ફ્લાઈટ અંદાજે 35 મિનિટ મોડી પહોંચી હતી. ભુજના આકાશમાં લાંબા સમય સુધી વિમાન ફરતું રહેતાં મુસાફરો ગભરાઈ ગયા હતા, જોકે અંતે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ આ સ્થિતિ રૂટિન પ્રક્રિયાનો જ ભાગ હતી અને કોઈ ગંભીર જોખમ નહોતું. ઘટનાની તકનિકી તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે…

અલાસ્કાના આકાશમાં એકસાથે દેખાયા ચાર સૂર્ય, વાયરલ વીડિયોએ લોકોમાં ઉત્સુકતા જગાવી

સામાન્ય રીતે આકાશમાં એક જ સૂર્ય જોવા મળતો હોય છે, પરંતુ અમેરિકાના અલાસ્કા રાજ્યમાં એક અદ્ભૂત કુદરતી દ્રશ્ય જોવા મળ્યું છે. અહીં સૂર્યાસ્ત સમયે લોકો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા, જ્યારે તેમને આકાશમાં એક સાથે ચાર સૂર્ય લાઇનમાં દેખાયા. આ અદભૂત નજારો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દુનિયાભરના લોકો ચકિત થઈ ગયા છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કેસરી રંગના આકાશમાં ક્ષિતિજને સમાંતર ચાર તેજસ્વી સૂર્ય જેવા પ્રકાશ બિંદુઓ ઝળહળતા નજરે પડે છે. ઘણા નેટીઝન્સે આ દ્રશ્યને કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મનો સીન ગણાવ્યો છે. શું છે ‘ચાર સૂર્ય’ પાછળનું વિજ્ઞાન? વિજ્ઞાનીઓ આ ઘટનાને ‘ક્વાડ્રુપલ પારહેલિયન’ (Quadruple Parhelion) અથવા ‘કોમ્પ્લેક્સ સનડોગ’ કહે છે. આ કોઈ અલૌકિક ઘટના નથી, પરંતુ પ્રકાશના વક્રીભવન (Refraction)ને કારણે થતી કુદરતી પ્રક્રિયા છે. જ્યારે…

કોલકાત્તામાં ભૂકંપનો ઝટકો: મ્યાનમારના ભૂકંપની અસર પૂર્વ ભારતમાં અનુભવાઈ

મંગળવાર રાત્રે કોલકાત્તાના અનેક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 માપી गई હતી. લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા અને શહેરમાં થોડું અફરાતફરીનું માહોલ સર્જાયું. અધિકારીઓની માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં, જમીનની અંદર 10 કિલોમીટર ઊંડાઈ પર હતું. ભૂકંપના ઝટકા લગભગ 10-15 સેકન્ડ સુધી અનુભવે આવ્યા. જ્યાં મ્યાંમાર ભૂકંપ માટે પ્રખ્યાત સિસ્મિક ઝોનમાં આવે છે, ત્યાં આ ભૂકંપના ઝટકા કોલકાતા અને પૂર્વ ભારતના વિસ્તારોમાં સ્પષ્ટ અનુભવે આવ્યા. કોલકાત્તાના લોકો રાત્રે લગભગ 9:05 વાગ્યે ઝટકાની અનુભૂતિ કરી અને સુરક્ષિત સ્થળે ફરવાની કાર્યવાહી શરૂ કરી. હાલ સુધી કોઈ ગંભીર નુકસાન અથવા ઘાયલાની જાણકારી નથી. તંત્રએ લોકોને શાંતિ જાળવવા અને ભૂકંપના સમયની સલામતીના નિયમો અનુસરવા માટે સૂચના આપી છે. વિશ્વસનીય તત્વો મુજબ, મ્યાનમારમાં ભૂતપૂર્વમાં પણ મર્યાદિત…

ચાંદીમાં રૂ.32 હજારની ઉથલ-પાથલ, સોનામાં પણ ભારે હલચલ – જાણો લેટેસ્ટ ભાવ

સ્થાનિક તેમજ વૈશ્વિક બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં દિવસ દરમિયાન મોટી ઉથલ-પાથલ નોંધાઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક જ દિવસે રૂ.32 હજારથી વધુનો ફેરફાર જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં રૂ.32,289ની મોટી ઉથલ-પાથલ MCX ફ્યુચર માર્કેટમાં આજે ચાંદીના ભાવમાં શરૂઆતમાં તીવ્ર તેજી જોવા મળી હતી, પરંતુ બાદમાં ભાવમાં ઘટાડો નોંધાયો. ગઈકાલે ચાંદી રૂ.2,68,015 પર બંધ થઈ હતી, જ્યારે આજે (3 ફેબ્રુઆરી) માર્કેટના અંતે ભાવ રૂ.2,67,000 પર બંધ થયા છે. આ રીતે એક જ દિવસમાં ચાંદીના ભાવમાં રૂ.1,015 (0.38%) નો ઘટાડો નોંધાયો છે. દિવસ દરમિયાન ચાંદીનો ભાવ રૂ.2,78,000ની ઊંચી સપાટી સુધી પહોંચ્યો હતો, જ્યારે નીચામાં રૂ.2,45,711 સુધી લપસ્યો હતો. આ પ્રમાણે આજે ચાંદીમાં…

અરબ સાગરમાં તણાવ: US નેવીએ ઈરાનના ડ્રોનને તોડી પાડ્યું

અરબ સાગરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતો જાય છે. મળી રહેલી માહિતી અનુસાર અમેરિકી નેવીએ એક એરક્રાફ્ટ કેરિયરના નજીક પહોંચેલા ઈરાનના ડ્રોનને તોડી પાડ્યું છે. રિપોર્ટ મુજબ, તોડી પાડેલો ડ્રોન ઈરાનનો શહીદ-139 ડ્રોન હતો, જેને F-35 ફાઈટર જેટે હવામાં જ નિશાન બનાવીને તોડી નાખ્યો. આ ઘટનાને તાજેતરમાં વધતા અમેરિકા-ઈરાન તણાવ સાથે જોડવામાં આવી રહ્યું છે. હાલમાં સુધી ઈરાન તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ઈરાનની બોટ પર યુએસ ટેન્કરના પ્રયાસ મંગળવારે સ્ટ્રેટ ઓફ હોર્મુજમાં ઈરાનની હથિયારબંધ બોટોએ એક યુએસ-ફ્લેગ્ડ ઓઈલ ટેન્કરને રોકવાનો પ્રયત્ન કર્યો. ટેન્કર પર દબાણ વધારવાનો પ્રયાસ થયો, અને અમેરિકી દરિયાઈ સુરક્ષા એજન્સી દ્વારા 50 કેલિબર મશીન ગનથી સજ્જ 6 ગનબોટસ ટેન્કર પાસે આવી, બોર્ડિંગ માટે તૈયાર થવાનો આદેશ આપ્યો. ટેન્કરે…