‘ફેમસ પ્રધાનમંત્રીએ મને પીંખી નાખી’ – એપસ્ટીન ટાપુની કાળી કરતૂતનો મહિલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

જેફરી એપસ્ટીનના મોતને સાત વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં તેની બનાવેલી અંધારી દુનિયા આજે પણ વૈશ્વિક સ્તરે હલચલ મચાવી રહી છે. ‘એપસ્ટીન ફાઇલ્સ’ના નામે સામે આવી રહેલા નવા ખુલાસાઓ ફરી એકવાર એ વાતને ઉજાગર કરે છે કે માનવ તસ્કરી, યૌન શોષણ અને સત્તાના દુરુપયોગનું જાળું કેટલું ઊંડું અને ખતરનાક હતું. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ફરી એકવાર વર્જિનિયા જ્યુફ્રેનું નામ ચર્ચામાં આવ્યું છે.

મૃત્યુ પછી પ્રકાશિત આત્મકથાએ હચમચાવી દુનિયા
વર્જિનિયા જ્યુફ્રે, જેમણે એપસ્ટીન અને તેના શક્તિશાળી નેટવર્ક સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો, તેમની આત્મકથા ‘Nobody’s Girl’ તેમના અવસાનના છ મહિના પછી પ્રકાશિત થઈ છે. પુસ્તક પ્રકાશિત થતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ આત્મકથા માત્ર એક વ્યક્તિની પીડાની કહાણી નથી, પરંતુ એ સમગ્ર સિસ્ટમ પર ગંભીર આરોપ છે, જેમાં ધન, પ્રભાવ અને સત્તાએ એકબીજાને બચાવ્યા.

‘ફેમસ પીએમ’ દ્વારા અત્યાચારનો દાવો
પુસ્તકમાં સૌથી વધુ ચોંકાવનારો દાવો એ છે કે જ્યુફ્રેએ એક ‘ફેમસ પ્રધાનમંત્રી’ દ્વારા પોતાના પર અત્યાચાર થયાનો ઉલ્લેખ કર્યો છે. અમેરિકન સંસ્કરણમાં આ વ્યક્તિને ‘ફેમસ પીએમ’ તરીકે ઓળખાવવામાં આવ્યો છે, જ્યારે બ્રિટિશ સંસ્કરણમાં તેમને ‘પૂર્વ મંત્રી’ તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. નામ જાહેર ન થતાં રહસ્ય વધુ ગાઢ બન્યું છે, પરંતુ આ દાવાએ વૈશ્વિક રાજકીય અને મીડિયા વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે.

એપસ્ટીનના નેટવર્કની નિર્દયતા
જ્યુફ્રેએ લખ્યું છે કે એપસ્ટીન અને તેના નજીકના સાથીઓ તેમને વારંવાર અમીર અને પ્રભાવશાળી લોકો પાસે ‘ઉધાર’ મોકલતા. ત્યાં તેમને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે તોડી નાખવામાં આવતી. મારપીટ, ગળું દબાવવું અને ગંભીર હિંસા તેમના જીવનનો નિયમ બની ગઈ હતી.

એપસ્ટીન આઇલેન્ડની ભયાનક ઘટના
એપસ્ટીન આઇલેન્ડ પર થયેલી એક ઘટના તેમની આત્મકથાનો સૌથી ડરાવનારો અધ્યાય ગણાય છે. જ્યુફ્રેએ લખ્યું છે કે ત્યાં તેમને એક એવા વ્યક્તિ પાસે મોકલવામાં આવ્યા હતા, જેણે અત્યંત બર્બર રીતે તેમનું શોષણ કર્યું. તે વ્યક્તિ વારંવાર તેમનું ગળું દબાવતો, બેહોશ કરી દેતો અને મોતના ડર પર હસતો. દયા માટેની વિનંતી પણ તેને વધુ હિંસક બનાવતી હતી.

આ ઘટનાના બાદ જ્યુફ્રેએ રડીને એપસ્ટીનને વિનંતી કરી હતી કે તેમને ફરી ક્યારેય તે વ્યક્તિ પાસે ન મોકલવામાં આવે. પરંતુ એપસ્ટીનનો જવાબ નિર્દય હતો—“આવું તો ક્યારેક થઈ જ જાય છે.”

પ્રિન્સ એન્ડ્ર્યૂ પર ફરી દબાણ
પુસ્તકના પ્રકાશન બાદ બ્રિટનની રાજશાહી સાથે જોડાયેલો વિવાદ પણ ફરી ગરમાયો છે. જ્યુફ્રેએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે એપસ્ટીને તેમને ત્રણ વખત પ્રિન્સ એન્ડ્ર્યૂ સાથે શારીરિક સંબંધ માટે મજબૂર કર્યા હતા. પ્રિન્સ એન્ડ્ર્યૂએ આ આરોપો હંમેશા નકાર્યા છે, પરંતુ 2022માં તેમણે કોર્ટ બહાર કરોડો ડોલરમાં સમાધાન કર્યું હતું. હવે આત્મકથા બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો છે.

સવાલો આજે પણ અકબંધ
આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, આ આત્મકથાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે એપસ્ટીનના નેટવર્કમાં સામેલ મોટા અને પ્રભાવશાળી નામો આજે પણ જવાબદારીથી કેમ બચી રહ્યા છે. એપસ્ટીન મરી ગયો, પરંતુ તેની બનાવેલી કાળી વ્યવસ્થા હજુ જીવંત છે અને સત્ય બહાર આવવા માટે સંઘર્ષ કરી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…