ગુજરાતમાં ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ’નો પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સરપંચોને જવાબદારીપૂર્વક કાર્ય કરવા આહ્વાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતોના સરપંચોને ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષનું કેન્દ્ર સરકારનું બજેટ પણ કર્તવ્યને મુખ્ય આધાર લઈને બનાવવામાં આવ્યું છે એટલું જ નહિ, આ બજેટમાં ગ્રામ વિકાસ પર વિશેષ ઝોંક આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં તેમણે દેશના વિકાસમાં ગામડાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેમ જણાવતા સરપંચોને પણ ગામના વડા તરીકેનું કર્તવ્ય જવાબદારી પૂર્વક અદા કરીને વિકસિત ભારતના નિર્માણમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જનશક્તિને જોડવાનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો વિધાનસભા…

રાશિફળ/04 ફેબ્રુઆરી 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ ગુસ્સાની લહેર આજે વાદ-વિવાદ તથા ઘર્ષણ ભણી દોરી જશે. આજે પાર્ટી માં તમારી મુલાકાત કોઈ એવા માણસ થી થયી શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો. તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં…

અંક જ્યોતિષ/04 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

વિંગ્સ ઇન્ડિયા 2026: ગુજરાતને સિવિલ એવિએશન ક્ષેત્રમાં ‘બેસ્ટ સ્ટેટ’ પુરસ્કાર

ગુજરાતે અન્ય ક્ષેત્રોની જેમ સિવિલ એવિએશન ક્ષેત્રે પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તાજેતરમાં હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે તા. 29 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાયેલ ‘વિંગ્સ ઇન્ડિયા-2026’માં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુના હસ્તે ગુજરાતને ‘બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ’ના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે, તેમ ગુજરાતના સિવિલ એવિએશન કમિશનર કે.એલ. બચાણીએ જણાવ્યું હતું. સિવિલ એવિએશન કમિશનર બચાણીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીના હસ્તે એનાયત કરવામાં આવેલ આ પુરસ્કાર ગુજરાતની ઉડ્ડયન ક્ષેત્રની મેન્ટેનન્સ, રીપેર અને સમારકામ સહિતની માળખાકીય સુવિધાઓ તેમજ એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવે છે. ગુજરાતની સાથે-સાથે તેલંગાણા અને ઉત્તરાખંડ પણ આ શ્રેણીમાં સંયુક્ત વિજેતા રહ્યા છે. વધુમાં, આ સિદ્ધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના એવિએશન…

મુંબઈ એરપોર્ટ પર મોટો અકસ્માત ટળ્યો, એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાનોના પાંખિયા ટકરાયા

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ગંભીર હવાનિવેશની ઘટના ટળી ગઈ છે. એર ઇન્ડિયાનો વિમાન મુંબઈથી કોમ્બતૂર માટે રવાના થતો હતો ત્યારે ટેક્સીઈંગ દરમિયાન ઇન્ડિગો વિમાન સાથે તેના પાંખિયાના છેડા ઘસાયા અને જોરદાર અવાજ થયો. સદનસીબે, આ ટક્કરમાં કોઈ મુસાફરની જીવને ખતરો નથી આવ્યો. બંને વિમાનોમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા. DGCA દ્વારા કાર્યવાહી DGCAએ બંને એરલાઇન્સને ઘટનાની વિગતવાર રિપોર્ટ મોકલવાનો આદેશ આપ્યો છે અને શરૂઆતમાં ગ્રાઉન્ડ કંટ્રોલ અથવા પાઇલટની ભૂલને આ અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે. બંને વિમાનોને રન-વે પરથી હટાવી ટેકનિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા મહત્વની આ ઘટના હવાનિવેશ સલામતી માટે સાવચેત રહેવાની જરૂરિયાત દર્શાવે છે અને DGCAની તપાસ આ પ્રકારની…

રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ જાહેર

રાજ્યમાં એક તરફ ઠંડીનો માહોલ યથાવત રહ્યો છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ ચિંતા વધારી છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે અને યલો અલર્ટ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આજે વડોદરા, ભરૂચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના આ ઉપરાંત આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વધુ સતર્કતા રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે. વીજળીના કડાકા સાથે છૂટાછવાયા ઝાપટાં હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ કમોસમી વરસાદ ખેડૂતો…

રોહિત શેટ્ટી પર હુમલાનો ‘ક્રાઈમ માસ્ટરમાઇન્ડ’ ઝડપાયો, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સીધું કનેક્શન

બોલિવૂડની એક્શન ફિલ્મોના જાણીતા ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાન પર ૩૧ જાન્યુઆરી રાત્રે થયેલા ગોળીબારના હુમલામાં અત્યાર સુધી ચાર આરોપીઓ પકડાયા છે. મુંબઈ પોલીસના એન્ટી-એક્સટોર્શન સેલ દ્વારા કરાયેલ તપાસમાં ખુલ્યું કે આ હુમલાના મુખ્ય સૂત્રધાર ગેંગસ્ટર શુભમ લોંકર છે, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. શુભમ લોંકર અગાઉ એક સામાન્ય ખેડૂત અને ગોવાળ હતો, પરંતુ હથિયારોના વેપારમાં જોડાયા બાદ ગુનાખોરી તરફ આગળ વધ્યો. ઓક્ટોબર ૨૦૨૪માં થયેલી બાબા સિદ્દીકી હત્યા અને સલમાન ખાનના ઘરે ફાયરિંગમાં પણ તેનો નામ નોંધાયેલું હતું. હાલ પકડાયેલા આરોપીઓમાં આદિત્ય ગાયકી, સિદ્ધાર્થ યેનપુરે, સમર્થ પોમાજી અને સ્વપ્નિલ સકટનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલાનો હેતુ બોલિવૂડમાં ભયનો માહોલ ઊભો કરવો અને ખંડણી વસૂલ કરવી હતો. દરેક…

અમેરિકા : સાન ફ્રાન્સિસ્કો સહીત બે જગ્યા પર ભૂકંપના જોરદાર આંચકા, સાન રામોનમાં 14 આંચકા નોંધાયા

અમેરિકાના કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. યુ.એસ. જીઓલોજિકલ સર્વે (USGS) ના ડેટા અનુસાર, સાન રામોન અને આસપાસના વિસ્તારોમાં ટૂંકા ગાળામાં એકસાથે 14 જેટલા ભૂકંપના આંચકા નોંધાયા, જેના કારણે લોકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો. તીવ્ર ભૂકંપનું કેન્દ્ર સોમવારે સવારે 7 વાગ્યે સૌથી શક્તિશાળી આંચકો 4.2 તીવ્રતાનો નોંધાયો, જે સાન રામોનના દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું. આ અસર ઓકલેન્ડ, રિચમંડ, સાન લેઆન્દ્રો અને હેવર્ડ સુધી અનુભવાઈ. સાન ફ્રાન્સિસ્કોના ગ્લેન પાર્ક અને નોપા વિસ્તારમાં રહેનાર લોકોએ બારીઓ ધ્રૂજતી હોવાનું જણાવ્યું. બીજાં આંચકાઓની તીવ્રતા 2.5 થી 3.9 વચ્ચે નોંધાઈ, અને તમામનું કેન્દ્ર સાન રામોનના અલ્કોસ્ટા બુલેવાર્ડની આસપાસ હતું. આ વિસ્તાર છેલ્લા એક મહિનાથી ભૂકંપના આંચકા અનુભવતો રહ્યો છે. ગત નવેમ્બર-ડિસેમ્બરમાં અહીં 87 જેટલા આંચકા નોંધાયા…

જેફરી એપ્સ્ટીન લિસ્ટ મામલે સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિકનો ચોંકાવનારો દાવો, જાણો શું કહ્યું

સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિકે એક સનસનીખેજ નિવેદનમાં દાવો કર્યો છે કે જેફરી એપ્સ્ટીન સંબંધિત દસ્તાવેજો જાહેર થવાથી ઊભા થયેલા રાજકીય વિવાદમાંથી લોકોનું ધ્યાન હટાવવા માટે અમેરિકા આગામી 36 થી 48 કલાકમાં ઈરાન પર લશ્કરી હુમલો કરી શકે છે. તાજેતરમાં સર્બિયન ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વુસિકે જણાવ્યું હતું કે અમેરિકાના ઈતિહાસમાં અગાઉ પણ આવાં પ્રસંગો બન્યા છે, જ્યાં ઘરેલુ કૌભાંડોથી ધ્યાન હટાવવા માટે વિદેશી સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી. ક્લિન્ટન-લેવિન્સ્કી કાંડનું ઉદાહરણ પોતાના દાવાને સમર્થન આપવા માટે વુસિકે 1998ના બિલ ક્લિન્ટન અને મોનિકા લેવિન્સ્કી કાંડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે તે સમયે રાષ્ટ્રપતિ ક્લિન્ટન પર મહાભિયોગનું દબાણ વધી રહ્યું હતું, ત્યારે જ અમેરિકા દ્વારા અફઘાનિસ્તાન અને સુદાન પર ‘ઓપરેશન ઇન્ફિનિટ રીચ’ અંતર્ગત મિસાઇલ હુમલા કરવામાં…

ચાંદીના ભાવમાં 2 લાખ રૂપિયાનો ઘટાડો, 1980 પછીનો મોટો ઝટકો

ચાંદીના ભાવમાં જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 30 જાન્યુઆરીએ વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં 1980 બાદનો સૌથી મોટો એક દિવસનો ઘટાડો નોંધાયો હતો. આ અસર ભારતના બજારમાં પણ જોવા મળી હતી અને 1 ફેબ્રુઆરીએ MCX પર ચાંદીના ભાવમાં લગભગ 9 ટકાનો ઘટાડો થયો હતો. કેન્દ્રીય બજેટ રજૂ થવાને કારણે 1 ફેબ્રુઆરીએ કોમોડિટી એક્સચેન્જ ખુલ્લી હતી, જેના કારણે ભારતીય બજારમાં પણ આ ઘટાડો વધુ સ્પષ્ટ બન્યો. રોકાણકારોને કેટલું નુકસાન? મીડિયા અહેવાલો મુજબ, સોનું અને ચાંદી બંનેમાં બે ટ્રેડિંગ સેશન દરમિયાન થયેલા ઘટાડાથી રોકાણકારોને કુલ મળીને અંદાજે 5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે. આમાંથી સોનાના રોકાણકારોને લગભગ 3.5 ટ્રિલિયન ડોલર અને ચાંદીના રોકાણકારોને 1.5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. અત્યાર સુધી…