ગુજરાત : 11 તાલુકાઓ વિકાસશીલ જાહેર, સરકાર દર વર્ષે ફાળવશે કુલ ₹3 કરોડની ગ્રાન્ટ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસને વેગ આપવા વધુ 11 તાલુકાઓને ‘વિકાસશીલ તાલુકા’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણયથી હવે આ તાલુકાઓને ખાસ ગ્રાન્ટ અને વિકાસ યોજનાઓનો લાભ મળશે. માનવ વિકાસ સૂચકાંકના આધારે પસંદગી રાજ્ય સરકાર માનવ વિકાસ સૂચકાંક (HDI) હેઠળના 44 સામાજિક અને આર્થિક નિર્દેશાંકોને ધ્યાનમાં રાખીને નવા વિકાસશીલ તાલુકા પસંદ કરે છે. આ તાલુકાઓમાં ટૂંકા અને લાંબા ગાળાની વિવિધ વિકાસ યોજનાઓ અમલમાં મૂકી સર્વોચ્ચ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દર વર્ષે કુલ ₹3 કરોડની ગ્રાન્ટ નવા વિકાસશીલ તાલુકાઓને નીચે મુજબની વાર્ષિક ગ્રાન્ટ ફાળવાશે: – ₹2 કરોડ — વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત – ₹1 કરોડ — ATVT (આપણો તાલુકો–વાઇબ્રન્ટ તાલુકો) યોજના હેઠળ – કુલ ગ્રાન્ટ: ₹3 કરોડ પ્રતિ તાલુકો પ્રતિ વર્ષ…

ગુજરાતના શહેરોમાં હવા પ્રદૂષણ પર કડક પગલાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાની તત્કાલ અસર

શિયાળાની શરૂઆત સાથે જ ગુજરાતના મહાનગરોમાં હવા પ્રદૂષણ વધવાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર કડક એક્શન મોડમાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને ધ્યાનમાં રાખી, શહેરી વિકાસ વિભાગ દ્વારા માત્ર ત્રણ જ દિવસમાં 17 મહાનગરપાલિકાની 2600થી વધુ બાંધકામ સાઈટોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું. આ દરમિયાન 541 સાઈટોને દંડ કરી કુલ રૂ. 123 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી છે. રાજ્ય પહેલેથી જ સાવચેત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે વિસ્તૃત એક્શન પ્લાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા સૂચના આપી કે હવા પ્રદૂષણના ભવિષ્યના ગંભીર અસરોને અટકાવવા માટે રાજ્યના તમામ વિભાગો સાથે સંકલિત પ્રયત્નો કરવાની જરૂર છે. શહેરી વિકાસ વિભાગ અને મહાનગરપાલિકાઓ એક્શન મોડમાં મુખ્યમંત્રીની સૂચનાને અનુરૂપ, શહેરી વિકાસ…

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઝડપી મદદ, અત્યાર સુધી રૂ. 1098 કરોડની સહાય જમા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી…

વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનો પ્રારંભ: મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વંદે ભારત દ્વારા પહોંચ્યા

ગુજરાત સરકારની વહીવટી ગંભીરતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ મનાતા “ચિંતન શિબિર”નું આયોજન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આજે વહેલી સવારે અમદાવાદથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસ કરીને વલસાડ માટે પ્રસ્થાન કર્યું. વંદે ભારત દ્વારા સામૂહિક મુસાફરી – સંદેશામાં સાદગી અને સંકલ્પ ચિંતન શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ એકસાથે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી પહોંચ્યા. આ પગલાથી સરકારનો એક સ્પષ્ટ સંદેશ આપવાનો હેતુ હતો. પરંપરાગત પ્રોટોકોલથી વધી ‘સાદગી, સમય અને સંસાધનોના યોગ્ય ઉપયોગ’ તરફ વળવું. ચિંતન શિબિર: વર્ષ 2003થી શરૂ થયેલી પરંપરાનો 12મો સંસ્કરણ વર્ષ 2003માં…

જામનગરઃ CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ, આજે થશે બ્રિજનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી 622.52 કરોડના કુલ 69 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ દિવસે મુખ્યમંત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી, અને 30 ગાડીઓના કાફલા સાથે રૂટનું રિહર્સલ પૂર્ણ કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત થનારા કામોની વિગતો જામનગર એરપોર્ટથી સાત રસ્તા બ્રિજ અને સભા સ્થળ સુધીના રૂટ પર 30 જેટલી ગાડીઓના કાફલા સાથે રિહર્સલ કરવામાં આવી. શહેરમાં મુખ્યમંત્રી દ્વારા કુલ 54 કામોના ખાતમુહૂર્ત અને 15 કામોના લોકાર્પણ કરવામાં આવશે. – જામનગર મનપા: 33.89 કરોડના કામો – પશુપાલન વિભાગ: 13 કામો – માર્ગ અને મકાન વિભાગ: 64.03 કરોડના 34 કામો – પોલીસ વિભાગ: 20.36 કરોડનું 1 કામ – જિલ્લા આયોજન કચેરી: 0.09 કરોડનું 1 કામ – જિલ્લા ગ્રામ…

હેક્ટર દીઠ ₹22,000ની સહાય માટે ખેડૂત આવતીકાલથી કરી શકશે અરજી, જાણો વિગત

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે ઇતિહાસ રચ્યો છે. પાક નુકસાની માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ₹10,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ અંતર્ગત ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય મળશે. અરજી ક્યારે અને ક્યાંથી કરવી? આ સહાય માટેનું ઓનલાઇન પોર્ટલ આવતીકાલે, 14 નવેમ્બર (શુક્રવાર) બપોરે 12 વાગ્યાથી શરૂ થશે, અને 15 દિવસ સુધી ખુલ્લું રહેશે. ખેડૂતો https://krp.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરી શકશે. અરજીમાં ગ્રામ પંચાયતના VCE અથવા VLE મદદરૂપ થશે. ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું ફી ચૂકવવાની નથી. સહાય પેકેજની મુખ્ય વિગતો મુદ્દો વિગત સહાય રકમ પ્રતિ હેક્ટર ₹22,000 મર્યાદા મહત્તમ 2 હેક્ટર સુધી લાભાર્થીઓની સંખ્યા આશરે 16,500 ગામોના ખેડૂતો કુલ પેકેજ રકમ ₹10,000 કરોડથી વધુ ચુકવણી પદ્ધતિ PFMS/RTGS મારફતે DBT દ્વારા સીધા…

ગુજરાતીઓને ધનતેરસે 7737 કરોડ રૂપિયાની ભેટ આપતા મુખ્યમંત્રી, દરેક રોડ બનશે ચકાચક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધનતેરસના પર્વે ગુજરાતની જનતાને 7737 કરોડ રૂપિયાનું ભેટ સ્વરૂપે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના અનેક કામોની જાહેરાત કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 124 નવા રોડ અને પુલનાં કામો માટે વિશાળ બજેટ ફાળવવામાં આવ્યું છે. 9 હાઈસ્પીડ કોરિડોર માટે 5576 કરોડ ગુજરાતને વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક ટ્રાન્સપોર્ટ આપે તેવા 809 કિલોમીટર લંબાઈના 9 હાઈસ્પીડ કોરિડોરના નિર્માણ માટે રૂ. 5576 કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્યના છેવાડા સુધી પહોંચશે પકકા રસ્તાઓ મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે રાજયના અંતિમ ગામડાઓ સુધી સારી કનેક્ટિવિટી આપતા મજબૂત અને ટકાઉ રસ્તાઓ બનાવવામાં આવે. ક્યાં ક્યાં બનેશે નવા રોડ? અહિં કેટલીક મુખ્ય રુટ્સ છે જ્યાં નવા રસ્તાઓ બનશે: – બગોદરા – બોટાદ (92.23 કિ.મી.) – ₹67.43 કરોડ –…

ગુજરાત કેબિનેટમાં નવા મંત્રીઓને ખાતાઓ ફાળવાયા, જાણો કોને ક્યું મંત્રાલય મળ્યું

ગુજરાતમાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ અને તેમાં મંત્રીઓને ખાતાઓ ફાળવણી કરવામાં આવી. આવતીકાલે (18 ઓક્ટોબર)થી નવા મંત્રીઓ પોતાના સંબંધિત વિભાગોનું પદભાર સંભાળશે. ક્રમ મંત્રીનું નામ હોદ્દો ફાળવાયેલા ખાતા 1 હર્ષ સંઘવી ઉપ મુખ્યમંત્રી ગૃહ, કાયદો અને ન્યાય; રમતગમત અને યુવા 2 કનુ દેસાઈ કેબિનેટ મંત્રી નાણા અને શહેરી વિકાસ 3 ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ 4 કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી શ્રમ અને રોજગાર 5 અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ; વિજ્ઞાન અને ટેક્નોલોજી 6 જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી કૃષિ અને સહકાર 7 રમણ સોલંકી કેબિનેટ મંત્રી અન્ન અને નાગરિક પુરવઠો; ગ્રાહક સુરક્ષા 8 પ્રદ્યુમન વાજા કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય; પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ 9 નરેશ પટેલ…

દશેરા પહેલા ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ: ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે કરી મુલાકાત, જાણો વિગત

ગુજરાતના રાજકારણમાં મોટી હલચલનું સંકેત મળ્યું છે. દશેરા તહેવાર પહેલા રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરફાર થવાની શકયતાઓ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગાંધીનગર રાજભવન ખાતે મહત્વની મુલાકાત કરી છે. મુલાકાત લગભગ 20 મિનિટ સુધી ચાલ્યો હતો અને તેને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. PM મોદીની મુલાકાત બાદ તાત્કાલિક રાજ્યપાલને મળ્યા CM મુખ્યમંત્રીએ તાજેતરમાં દિલ્લી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. અહેવાલો મુજબ, આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતના સંભવિત મંત્રીમંડળ વિસ્તરણ, નવા પ્રદેશ પ્રમુખની પસંદગી, તેમજ આગામી ચૂંટણી માટેની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. મંત્રીમંડળમાં ફેરફાર માટે લીલીઝંડી? સૂત્રો મુજબ, હવે મંત્રીમંડળના વિસ્તરણ માટે PM મોદીની મંજૂરી મળી ગઈ છે. જેમાં: – નોન-પરફોર્મિંગ મંત્રીઓને બદલી શકાય છે – તબીયત…

Banaskantha: ડીસા GIDCમાં મોતનું તાંડવ, ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં 19 લોકોએ ગુમાવ્યા જીવ

રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અ દરમિયાન બનાસકાંઠામાં આગની વધુ એક ઘટના સામે આવી છે. ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 19 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો ફેક્ટરીમાં કામ કરતા કામદારો હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે , બાજુમાં આવેલું ગોડાઉન ધરાસાશી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો.મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક વિસ્ફોટ થતાં મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી…