આવતી કાલે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો સંભવિત મંત્રીઓનું લિસ્ટ

છેલ્લા ઘણા સમયથી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સવારે 11.30 કલાકે મહાત્મા મંદિર ખાતે પદમાનિત મંત્રીઓની શપથ વિધિ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે. આ સાથે જ નવા મંત્રીઓના નામને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ અનેક વર્તમાન મંત્રીઓના પત્તા કપાઇ શકે છે આ સાથે જ અમુક રાજ્યકક્ષાના મંત્રીઓનું પ્રમોશન પણ થશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. મંત્રીઓને ગાંધીનગર ન છોડવા સૂચના ! આજે રેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે 9 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળશે. આ સાથે…

રાજ્ય સરકારે કર્મચારીઓને આપી દિપાવલી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જુલાઈ,2025થી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવેલ છે.આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે. એરિયર્સ પેટે કુલ મળીને રૂ.483.24 કરોડની થશે ચુકવણી આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.69 લાખ કર્મયોગીઓ…

Ahmedabad : SGVP સંસ્થાન દ્વારા ઉજવાયો શરદોત્સવ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત

અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલ SGVP સંસ્થાન દ્વારા ભવ્ય રીતે આયોજિત શરદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. SGVP સંસ્થાન ઉજવામાં આવેલ શરદોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ તથા રાજ્યના મંત્રીજગદીશભાઈ વિશ્વકર્મા, SGVPના સંત સમુદાયના આગેવાનો, તેમજ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, કૌશિકભાઈ વેકરીયા સહિત અનેક મહાનુભાવો અને શ્રદ્ધાળુઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.   જોવા મળ્યું સાંસ્કૃતિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય શરદોત્સવ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો, ભક્તિ સંગીત અને સંસ્કૃતિક રજૂઆતો દ્વારા સાંસ્કૃતિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. SGVP સંસ્થાન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમને ભવ્યતા અને આધ્યાત્મિકતા સાથે ઉજવાયો હતો. Follow us On Social…

નાગરિકોની વહીવટી સરળતા માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, 17 નવા તાલુકાની થશે રચના

ગુજરાતમાં રાજ્ય સરકારે વહીવટી સરળતા અને વિકાસને વેગ મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં એક સાથે નવા 17 તાલુકાની નવી રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં નવા 17 તાલુકાની રચના સાથે જ કુલ તાલુકાઓની સંખ્યા 265 એ પહોંચશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે નાગરિકોની સરળતાને ધ્યાને રાખીને એક સાથે નવા 17 તાલુકાની રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. નવા 17 તાલુકાઓ બનવાથી વહીવટી તંત્ર નાગરિકોની વધુ નજીક આવશે અને વિકાસ કાર્યોને વેગ મળી શકે છે. રાજ્યમાં આ તાલુકાની રચના કરવામાં આવી વલસાડ જિલ્લાના વાપી તાલુકામાંથી નાનાપોંઢા તાલુકો બનશે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો બનશે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી ઓગડ તાલુકો બનશે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી હડાદ તાલુકો બનશે. બનાસકાંઠા…

રાજ્યની મહાનગરપાલિકાઓ ફરતે બનશે નવા રિંગ રોડ, જાણો રાજ્ય સરકારનો શું છે પ્લાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન દ્વારા સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOPને મંજૂરી આપી છે. રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિકસાવવાના થતા આવા ગ્રીન રીંગ રોડ માટે રૂ.200 કરોડનું બજેટ પ્રાવધાન કરેલું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના મુખ્ય ભાગમાં પ્રવેશ્યા વિના શહેરના વિવિધ ભાગો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવા અને શહેરોના કેન્દ્રથી ટ્રાફિકને દૂર વાળવા શહેરની ફરતે રિંગ રોડ વિકાસથી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. એટલું જ નહિં, શહેરી વિસ્તારોમાં વધતા જતા ટ્રાફિક ભારણનું અદ્યતન અને સ્માર્ટ ટેકનોલોજીથી ડાયવર્ઝન, નિયંત્રણ અને વ્યવસ્થાપન કરવાની બાબતો પણ આવરી લેવામાં આવી છે. તજજ્ઞોની એડવાઈઝરી કમિટી રચવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના…

ગોષ્ઠિ ગુજરાતની

કોવિડ વખતે ચમકેલાં જયંતી રવિ ફરીવાર માધ્યમોમાં દેખાયાં, પણ સંબોધન ન કર્યું કોરોનાકાળ વખતે દરરોજ ગુજરાતનાં તત્કાલીન આરોગ્ય સચિવ જયંતી રવિ દિવસમાં લગભગ ત્રણથી ચાર વખત મીડિયા બ્રીફિંગ માટે આવતાં હતાં. કોરોનાને લઈને સરકારે લીધેલાં પગલાંની માહિતી તેઓ નિયમિત સમાચાર માધ્યમો સમક્ષ રજૂ કરતાં હતાં. તે વખતે ગુજરાત સરકારનાં આ આઈએએસ અધિકારી ઘર ઘરમાં ખૂબ જાણીતાં થઈ ગયાં હતાં. પરંતુ કોરોના કાળ પૂરો થતાં જ સરકારે તેમની બદલી કરી ગેમને પુરુચેરીના અરવિંદ આશ્રમમાં સચિવ તરીકે મુક્યાં હતાં. તે પછી તેઓ ગત ઓગસ્ટ માસમાં ગુજરાત સરકારમાં એટલે કે તરીકે ફરજ બજાવે છે. જો કે તે અંગે જાહેર જનતાને ખાસ ખ્યાલ ન હતો. પરંતુ પાછલા સપ્તાહે જયંતી રવિ ફરીથી સમાચાર માધ્યમોમાં જોવા મળ્યાં. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં…

ગોષ્ઠિ ગુજરાતની

પંકજ મકવાણા,અમદાવાદ/ સંવેદનશીલ સમયે હાર્દિકનો અવિચારી પ્રયોગ ભાજપના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલે રવિવારે એક એવા સંવેદનશીલ સમયે કોંગ્રેસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી, જયારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંજોગો ચાલી રહ્યાં છે. મોટા ભાગના નેતાઓ સંયમ પાળીને શાંતિ જાળવી રહ્યા છે ત્યારે હાર્દિકે તત્કાલ ભૂતકાળના આતંકવાદી હુમલાઓ કોંગ્રેસના શાસનકાળ સાથે જોડીને એક જુનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમની આ પોસ્ટને જનતાએ ઉત્તર આપ્યો નહિ. વળી, ઘણી જાતની ટીકા અને મિમ બનાવવામાં આવ્યા. કેટલાક લોકોએ 1971ના યુદ્ધ સમયે ઇન્દિરા ગાંધીની સખત નેતાગીરી યાદ અપાવી, જેના જવાબમાં હાર્દિકે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમ છતાં, તેમના આ વલણથી ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ અસંતોષમાં આવ્યા છે. આ ઘટના દર્શાવે છે કે દુર્ઘટનાઓ અને તણાવભર્યા મુદ્દાઓ પર રાજકારણ…

યુવા પ્રોબેશનરી IAS અધિકારીઓને B india તરફથી સંકલિત સંદેશ

પંકજ મકવાણા, અમદાવાદ/ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જવાબદારી સંભાળતા 2024 બેચના યુવા અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ. ગુજરાત જે દેશના વિકાસનો રોલ મોડલ ગણાય છે, ત્યાં ફરજ બજાવવી એ તમારા માટે માત્ર તક નહીં પણ એક જનવિશ્વાસની જવાબદારી છે. આજે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં – ગ્રામ્ય વિકાસથી લઈને શહેરી સુશાસન સુધી, આરોગ્ય અને પોષણથી લઈ શિક્ષણ સુધારણા સુધી, પારદર્શી વહીવટથી લઈને પબ્લિક ગ્રિવન્સ રેડ્રેસલ સુધી, દરેક ક્ષેત્રમાં જનસેવાનો વ્યાપ વિસ્તરતો જઈ રહ્યો છે. મહિલા અને બાળ કલ્યાણ, કાયદો અને વ્યવસ્થા, ડિજિટલ ગવર્નન્સ, યુવાનોના સશક્તિકરણ, જળસંગ્રહ અને પર્યાવરણ જાગૃતિ, તેમજ ગ્રામ પંચાયતોના સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં તમે નવા વિચાર, નવી કાર્યશૈલી અને જનસંપર્કની નવી ભાષા લઈને આવો – તેવી આશા છે. તમારું નિર્મળ…

ગામતળની બહાર તથા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારો માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત

રાજ્ય સરકાર દ્વારા ગામતળની બહાર વસવાટ કરતા નાગરિકોના હિતમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. આવા પરિવારો ગામતળની બહાર પણ 24 કલાક પૂરતી વીજળી મેળવી શકે તે માટે ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણો આપવાની સર્વગ્રાહી નીતિના નિયમોમાં કેટલાક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ નિર્ણયો અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર ગામતળની બહારના કોઈપણ વિસ્તારમાં આવેલા રહેણાક હેતુના મકાનમાં નવીન સિંગલ ફેજ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી ફકત 03 કિલોવોટ (KW)ના વીજ ભારની મર્યાદામાં રહીને વીજ જોડાણ આપવામાં આવે છે. આ માટે થતા કુલ વાસ્તવિક ખર્ચ અથવા રૂ. 1 લાખ,…

રાજ્ય સરકારના કર્મચારીઓ અંગે કેબીનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં કર્યો આટલો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જાન્યુઆરી, 2025 થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ સાથે જ આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના…