આગામી સપ્તાહે 4 દિવસ બેન્ક બંધ રહેશે, ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે બેન્કિંગ સેવા બંધ

જો તમારે ઓગસ્ટના અગામી સપ્તાહે બેન્કનું કોઈ મહત્વનું કામકાજ કરવાનું હોય તો આ સમાચાર તમારા માટે ખાસ મહત્વના છે. 24થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં તહેવારો અને સાપ્તાહિક રજાઓને કારણે બેન્ક શાખાઓ ચાર દિવસ બંધ રહેવાની છે. ખાસ કરીને ગુજરાતમાં 28 ઓગસ્ટે રક્ષાબંધન નિમિત્તે બેન્ક શાખાઓમાં કામકાજ બંધ રહેશે. તેથી રોકડ જમા કરાવવી, ચેક સંબંધિત કામ, બેન્ક એકાઉન્ટનું કામ કે અન્ય શાખા આધારિત સેવા લેવાની હોય તો ગ્રાહકોએ રજાઓને ધ્યાનમાં રાખીને કામ વહેલાસર પૂર્ણ કરી લેવું યોગ્ય રહેશે. બેન્કોની રજાઓ રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોય છે. એટલે કોઈ એક રાજ્યમાં બેન્ક બંધ હોય ત્યારે બીજા રાજ્યમાં બેન્કિંગ કામગીરી સામાન્ય રીતે ચાલુ રહી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના હોલિડે કેલેન્ડર મુજબ આગામી સપ્તાહમાં ઈદ-એ-મિલાદ,…

પાકિસ્તાનમાં ડિજિટલ પેમેન્ટ વધ્યું, છતાં રોકડનો જોરદાર વધારો: અર્થતંત્ર સામે નવો પડકાર

પાકિસ્તાનમાં કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધવાના સરકારી પ્રયાસોને છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર સફળતા મળી છે. મોબાઇલ બેંકિંગ, ડિજિટલ વોલેટ, QR કોડ અને ઓનલાઈન પેમેન્ટના ઉપયોગમાં મોટો વધારો થયો છે. જોકે, આ ડિજિટલ ક્રાંતિ વચ્ચે દેશની અર્થવ્યવસ્થામાં રોકડનો ઉપયોગ ઘટવાને બદલે હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના આંકડા દર્શાવે છે કે ડિજિટલ પેમેન્ટનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે, પરંતુ લોકો અને વ્યવસાયો માટે રોકડનું મહત્વ હજુ યથાવત છે. ડિજિટલ પેમેન્ટમાં મોટો ઉછાળો પાકિસ્તાન સરકારે જૂન 2025થી ‘Cashless Pakistan’ પહેલને વેગ આપ્યો છે. તેનો હેતુ લોકોને રોકડની જગ્યાએ ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. સરકારના જણાવ્યા અનુસાર જુલાઈ 2025થી જૂન 2026 દરમિયાન દેશમાં કુલ 11.9 અબજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. આ દરમિયાન ડિજિટલ પેમેન્ટ…

ભારતીયો પર સરેરાશ રૂ. 4.77 લાખનું દેવું! 28.3 કરોડ લોકોએ લીધી લોન, ગોલ્ડ લોનમાં 600%નો ઉછાળો

ભારતમાં સરળ હપ્તા, ડિજિટલ લોન અને ઝડપથી મળતી ક્રેડિટ સુવિધાઓના કારણે લોકોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાની રીતમાં મોટો બદલાવ આવ્યો છે. એક સમયે બચતને પ્રાથમિકતા આપતા પરિવારો હવે ઘર, વાહન, શિક્ષણ, રોજિંદા ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટે લોનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. સંસદમાં રજૂ કરાયેલા તાજેતરના આંકડાઓ દેશના વધતા વ્યક્તિગત દેવા તરફ ધ્યાન દોરે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં યુનિક બોરોઅર્સ એટલે કે સક્રિય લોન લેનારા ગ્રાહકોની સંખ્યા 28.3 કરોડથી વધુ થઈ ગઈ છે. ઉપલબ્ધ આંકડા મુજબ વ્યક્તિદીઠ સરેરાશ દેવું આશરે રૂ. 4,77,583 સુધી પહોંચી ગયું છે. ભારતમાં પર્સનલ ક્રેડિટ રૂ. 69.39 લાખ કરોડે પહોંચ્યું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને ક્રેડિટ બ્યુરો TransUnion CIBILના ડેટાના આધારે રજૂ કરવામાં…

ભારતમાં એપ્રિલ-મે 2027થી પોલિમર નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે, RBI ગવર્નરે આપ્યો સંકેત

ભારતીય ચલણ વ્યવસ્થામાં આગામી વર્ષે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક બેંકનોટ્સ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટીની (MPC) ત્રણ દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું કે જો તમામ તૈયારીઓ યોજના મુજબ પૂર્ણ થશે તો એપ્રિલ-મે 2027થી પ્લાસ્ટિક નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે છે. શરૂઆતમાં ઓછી કિંમતની નોટોને પોલિમર સ્વરૂપમાં બજારમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેના પરિણામોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. ભારતમાં ગવર્નરે જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ₹10, ₹20 અને ₹50 જેવી નાની મૂલ્યની નોટો ખૂબ ઝડપથી ગંદી થઈ જાય છે અથવા ફાટી જાય છે. આ નોટોને વારંવાર બદલવી પડતી હોવાથી દર વર્ષે મોટી…

10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટ આવશે બજારમાં, કેન્દ્ર સરકારે RBIના પ્રસ્તાવને આપી મંજૂરી

દેશમાં ટૂંક સમયમાં 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક એટલે કે પોલિમર (Polymer) નોટો જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના મહત્વના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ પ્રથમ તબક્કામાં પોલિમર નોટોનું ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવશે. જો આ પરીક્ષણ સફળ રહેશે તો ભવિષ્યમાં આ નોટોને નિયમિત ચલણમાં સામેલ કરવામાં આવશે. રાજ્ય નાણા પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. સરકારના આ નિર્ણય બાદ દેશની ચલણી નોટોની વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલિમર નોટો ઘણા દેશોમાં સફળતાપૂર્વક ઉપયોગમાં લેવામાં આવી રહી છે અને હવે ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. 100-100 કરોડ પોલિમર નોટોનું થશે ફિલ્ડ ટ્રાયલ રાજ્ય નાણા પ્રધાનના જણાવ્યા અનુસાર ભારતીય…

બેંકિંગ ક્ષેત્રમાં મોટો ફેરફાર: હવે બેંકોના જોખમ પ્રમાણે નક્કી થશે ડિપોઝિટ વીમો, જાણો વિગત

ભારતીય બેંકિંગ વ્યવસ્થાને વધુ મજબૂત, જવાબદાર અને પારદર્શક બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતો નિર્ણય લીધો છે. હૈદરાબાદમાં યોજાયેલી RBI સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 620મી બેઠકમાં બેંકો માટે જોખમ-આધારિત ડિપોઝિટ વીમા માળખા (Risk-based Deposit Insurance Framework) ને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ નવા માળખા હેઠળ હવે તમામ બેંકો માટે ડિપોઝિટ વીમાનું પ્રીમિયમ સમાન નહીં રહે, પરંતુ બેંકના જોખમના સ્તર અનુસાર નક્કી થશે. શું છે જોખમ-આધારિત ડિપોઝિટ વીમો? હાલ સુધી બેંકો તેમના જોખમની પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના સમાન દરે ડિપોઝિટ વીમાનું પ્રીમિયમ ચૂકવતી હતી. પરંતુ હવે જે બેંકનું વ્યવસાય મોડેલ વધુ જોખમી હશે, તેને વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે. જ્યારે મજબૂત નાણાકીય સ્થિતિ અને સારા જોખમ વ્યવસ્થાપન ધરાવતી બેંકો પર ઓછો…

જનધન ખાતાધારકો માટે ખુશખબર : આ સુવિધાઓ મળશે જીવનભર મફતમાં, જાણો અહીં

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે એક નવો ડ્રાફ્ટ પરિપત્ર બહાર પાડ્યો છે, જે નાની આવક ધરાવતા લોકો માટે બેંકિંગ વધુ સરળ, ડિજિટલ અને પારદર્શક બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ ખાતાઓ માટે હવે મીનીમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી અને તેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળના ખાતાઓનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં 56.6 મિલિયનથી વધુ આ પ્રકારના ખાતા સક્રિય છે, જેમાં ₹2.67 ટ્રિલિયન જેટલો જમા રકમ છે. મુખ્ય સુવિધાઓ: – અનલિમિટેડ કેશ ડિપોઝીટ: ખાતાધારકોને કેશ જમા કરાવામાં કોઈ મર્યાદા નહીં. – ફ્રી ATM અને ડેબિટ કાર્ડ: બિલકુલ મફતમાં ATM કાર્ડ અને ડેબિટ કાર્ડ આપવામાં આવશે. – 25 મફત ચેક પ્રત્યેક વર્ષે: વર્ષમાં 25 ચેક મફત આપવામાં આવશે. – ફ્રી પાસબુક અને…