ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ મામલે બાંગ્લાદેશનું મોટું નિવેદન, જાણો શું કહ્યું યુનુસે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલો તણાવ ઓછો થયો છે. બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે, પરંતુ તેમ છતાં, પાકિસ્તાને શનિવારે રાત્રે ભારતના અનેક શહેરો પર ડ્રોન હુમલા કર્યા, જેને હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા. જોકે, ત્યારથી નિયંત્રણ રેખા (LoC) અને સરહદી રાજ્યોમાં શાંતિ છે. બાંગ્લાદેશે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે. આ સાથે, તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ અને ભારત અને પાકિસ્તાન વચ્ચે કથિત મધ્યસ્થી બદલ પ્રશંસા કરી છે. યુનુસે X પર લખ્યું કે, “હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ માટે સંમતિ આપવા અને વાતચીતમાં જોડાવા બદલ હૃદયપૂર્વક પ્રશંસા કરું છું . હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સચિવ રુબિયોનો તેમની અસરકારક…