બાંગ્લાદેશ ચૂંટણી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BNP ચીફ તારિક રહેમાનને ફોન કરી પાઠવ્યા અભિનંદન
બાંગ્લાદેશમાં યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં Bangladesh Nationalist Party (BNP) એ ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરીએ BNP ચીફ તારિક રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા અને બાંગ્લાદેશની જનતાની આશાઓ પૂર્ણ કરવામાં ભારત તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. વડાપ્રધાન મોદીની શુભેચ્છા વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, તારિક રહેમાન સાથે વાતચીત કરીને તેમને આનંદ થયો અને બાંગ્લાદેશની જનતાના વિશ્વાસ માટે તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશ ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોથી જોડાયેલા છે અને બંને દેશો વચ્ચેની ભાગીદારી શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા અધ્યાય લખશે. મોદીએ વધુમાં ઉમેર્યું કે ભારત લોકશાહી, સર્વસમાવેશક અને વિકાસમુખી બાંગ્લાદેશના સમર્થનમાં અડગ રહેશે.…
બાંગ્લાદેશની શેખ હસીનાની પ્રત્યાર્પણ માગણી, ICTના ફાંસીના ચુકાદા બાદ રાજકીય તોફાન
બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ (ICT) દ્વારા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અને પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ફાંસીની સજા સંભળાવ્યા બાદ દક્ષિણ એશિયાઈ રાજકારણમાં ભારે હલચલ મચી છે. ચુકાદાના થોડા કલાકોમાં જ ડૉ. મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને ઔપચારિક રીતે પ્રત્યાર્પણ માટે પત્ર મોકલીને બંને નેતાઓને “તાત્કાલિક સોંપી દેવા”ની માંગણી કરી છે. ભારતને બાંગ્લાદેશી સરકારનો પત્ર બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે “ICTએ માનવતા વિરુદ્ધના અપરાધોમાં દોષિત ઠેરવાયેલા શેખ હસીના અને અસદુઝમાન ખાન કમાલને ફાંસીની સજા સંભળાવી છે. જો કોઈ દેશ આવા ફરાર આરોપીઓને આશરો આપે છે, તો તે ન્યાયની અવગણના અને દ્વિપક્ષીય મિત્રતાની ભાવનાના વિરુદ્ધ ગણાશે.” પત્રમાં 2013ની દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધીનો ઉલ્લેખ કરતા બાંગ્લાદેશે કહ્યું કે, તે…









