મ્યુઝિક પ્રેમીઓ માટે ખુશખબર: અરિજીત સિંહે ‘આવારાપન 2’ માટે ગાયું ખાસ ગીત

મુંબઈ: બોલિવૂડના સૌથી લોકપ્રિય અને દિલને સ્પર્શી જાય એવા અવાજના માલિક અરિજીત સિંહ ફરી એકવાર પોતાના મધુર અવાજથી સંગીતપ્રેમીઓનું દિલ જીતવા તૈયાર છે. લાંબા સમય બાદ તેઓ ફિલ્મ ‘આવારાપન 2’ સાથે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર વાપસી કરી રહ્યા હોવાની ચર્ચાએ સોશિયલ મીડિયા પર ભારે ઉત્સાહ જગાવ્યો છે. ફિલ્મના ગીતોને લઈને ચાહકોમાં અત્યારથી જ જબરદસ્ત આતુરતા જોવા મળી રહી છે. અરિજીત સિંહનું નામ બોલિવૂડમાં એવી ઓળખ ધરાવે છે કે તેમની દરેક નવી રચના રિલીઝ થતાં જ લાખો લોકોની પ્લેલિસ્ટમાં સામેલ થઈ જાય છે. હવે ‘આવારાપન 2’ સાથે તેમની વાપસીના સમાચાર સંગીતપ્રેમીઓ માટે મોટી ખુશખબર માનવામાં આવી રહ્યા છે. ફરી એકવાર મળશે દિલને સ્પર્શી જાય તેવી મેલોડી અરિજીત સિંહની સૌથી મોટી ઓળખ તેમની ભાવનાત્મક ગાયકી છે. પ્રેમ, વિરહ, લાગણી…