‘મહાભારત’ ના કર્ણનું 68 વર્ષની વયે અવસાન, કેન્સર સામે હાર્યા જંગ

ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ટેલિવિઝન સીરિઝ “મહાભારત” માં કર્ણની યાદગાર ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા બનેલ અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમના સહ-કલાકાર અને “મહાભારત” માં અર્જુન તરીકે કામ કરતા ફિરોઝ ખાને ઇન્સ્ટાગ્રામ પર આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. અભિનેતાનું અવસાન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકજને કેન્સર હતું, અને તે આ જંગ જીતી ગયો હતો. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં તેનું કેન્સર પાછું આવ્યું. અભિનેતાની હાલત ખૂબ જ નાજુક હતી. આ રોગને કારણે તેની મોટી સર્જરી પણ થઈ હતી, પરંતુ અભિનેતાને બચાવી શકાયા નહીં. સોશિયલ મીડિયા પર પંકજના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ચાહકો પણ દુઃખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ આંસુભરી આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા…