સંસદમાં અખિલેશ યાદવ અકળાયા : બોલવાની તક ન મળતા ઉઠાવ્યો સવાલ

અખિલેશ યાદવ નવી દિલ્હી: સંસદના ચાલી રહેલા સત્ર દરમિયાન ચર્ચા અને કાર્યવાહી વચ્ચે એક રસપ્રદ રાજકીય ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને લોકસભાના સાંસદ અખિલેશ યાદવે સંસદમાં બોલવાનો મોકો ન મળતા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યવાહી દરમિયાન તેમણે વ્યંગાત્મક અંદાજમાં “અમારું શું?” એવું કહેતાં વિરોધ નોંધાવ્યો. આ ઘટના બાદ સંસદમાં થોડો સમય રાજકીય ગરમાવો જોવા મળ્યો અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ. લોકસભામાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન અનેક પક્ષોના સાંસદો પોતાના મત રજૂ કરી રહ્યા હતા. અખિલેશ યાદવ પણ પોતાની પાર્ટી તરફથી મુદ્દો રજૂ કરવા ઇચ્છતા હતા, પરંતુ તેમને તરત બોલવાનો અવસર ન મળતાં તેમણે અસંતોષ વ્યક્ત કર્યો. શું બન્યું સંસદમાં? ચર્ચા…