એર માર્શલ એકે ભારતીએ સેનાની પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનને આપી ‘રામચરિત માનસ’ માંથી ચેતવણી, જાણો શું કહ્યું
પહેલગામ હુમલા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. સોમવારે, ભારતીય સેનાના ત્રણેય વડાઓએ ‘ઓપરેશન સિંદૂર’ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપવા માટે પ્રેસ બ્રીફિંગ યોજી હતી. આ દરમિયાન તેમણે ભારતીય સેનાની કાર્યવાહીની સંપૂર્ણ વિગતો આપી અને ઘણી ખાસ વાતો શેર કરી. આ સમય દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાનને એક કડક સંદેશ આપ્યો કે ‘ભય બીના પ્રીત નહિ’. એનો અર્થ એ કે ભય વિના પ્રેમ હોઈ શકતો નથી. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. પડોશી દેશે પણ જવાબી હવાઈ હુમલા કર્યા, જેને ભારતે નિષ્ફળ બનાવ્યા. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે…







