અમદાવાદમાં સુભાષ બ્રિજ અચાનક બંધ, વાહનચાલકો માટે વિકલ્પ માર્ગ સૂચવાયા

અમદાવાદના વ્યસ્ત સુભાષ બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અચાનક બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામી સ્થિતિ સર્જાઈ છે. બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ જોવા મળતા, AMCની ટીમે સુરક્ષાને પગલે તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો. તાત્કાલિક પગલાં અને ટ્રાફિક પર અસર – બ્રિજ બંધ થતાં નારણઘાટ, સુભાષબ્રિજ સર્કલ અને આસપાસના વિસ્તારોમાં વાહનોની લાઈનો કિલોમીટર્સ સુધી લાગી ગઈ. – ટ્રાફિક પોલીસ અને AMCના સ્ટાફ તાત્કાલિક માર્ગ પર ઉતરીને વાહનચાલકોને માર્ગદર્શન આપી રહ્યા છે. – ઘણા વાહનચાલકોને રસ્તા ફેરવવા અને વિકલ્પ માર્ગો અપનાવવા માટે મંજુર થવું પડ્યું. AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે જણાવ્યું કે તિરાડની પ્રાથમિક તપાસમાં બ્રિજના મધ્ય ભાગમાં સ્પાન નીચે સરકવાનો ખતરનાક સંકેત જોવા મળ્યો. આ સ્થિતિને કારણે સાંજે છ વાગ્યે બ્રિજ સંપૂર્ણપણે…

Ahmedabad : “બેદરકારીનો ફરી એક નવો અધ્યાય શરૂ?”, GPCBની કાર્યવાહી પર લોકોની નજર !

અમદાવાદ: સિકંદર માર્કેટના ક્રિસ્ચિયન કબ્રસ્તાન વિસ્તારમાં વર્ષ 2024માં ચાલતા એક ડેનીમ વોશિંગ યુનિટમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. જે ઘટનામાં ત્રણ શ્રમજીવીઓના મોત થયા હતા, અને પ્રાથમિક તપાસમાં સેફ્ટી સાધનોની અછત, તેમજ GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ની કોઈ માન્ય પરમિશન ન હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. જે ફરીથી ડેનીમ વોશિંગનું ગેરકાયદેસર યુનિટ શરૂ કર્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. વર્ષે 2024ની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું આ સાથે જ ગટર લાઈન સીલ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે. માહિતીઓ પ્રમાણે, તે જ વ્યક્તિ—નવસાદ નામનો વ્યક્તિ—એ હવે નવું સ્થળ શોધીને, ફરીથી ડેનીમ વોશિંગનું ગેરકાયદેસર યુનિટ શરૂ કર્યું હોવાની…

ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ: અમદાવાદ 2030 Commonwealth Gamesનું યજમાન બન્યું

2030માં અમદાવાદને Commonwealth Games (CWG) ના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આગામી આઇએફ (International Federation) અને Commonwealth Games Federation (CGF) ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા મતદાનમાં અમદાવાદને વિજેતા જાહેર કરવામાં આવ્યું. આ ગેમ્સ માત્ર રમત મહોત્સવ નહીં, પરંતુ Commonwealth Gamesના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે Centenary Edition તરીકે પણ ઉજવાશે. હર્ષ સંઘવીની પ્રતિભાવ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું,”આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થતા આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં, પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.” અમદાવાદમાં તૈયારીઓ આ યજમાનીની તૈયારી માટે શહેરમાં તમામ…

કોમનવેલ્થ ગેમ્સ 2030: અમદાવાદ મજબૂત દાવેદાર, હર્શ સંઘવી ગ્લાસગોમાં કરશે પ્રેઝન્ટેશન

અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ–2030ની યજમાની અપાવવા માટે રાજ્ય સરકારે સત્તાવાર કવાયત શરૂ કરી છે. આ માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના નેતૃત્વમાં ચાર સભ્યોનું પ્રતિનિધિમંડળ સ્કોટલેન્ડના ગ્લાસગો જશે, જ્યાં ગેમ્સ માટેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી – 24 થી 27 નવેમ્બર દરમિયાન યોજાનારી આ એસેમ્બલીમાં અમદાવાદ 2030 ગેમ્સ માટેનું હોસ્ટિંગ પ્રપોઝલ રજૂ કરશે. – પ્રેઝન્ટેશન બાદ સભ્યો દ્વારા મતદાન થશે. – મતદાનમાં મંજૂરી મળે તો આગળ **‘હોસ્ટ કોલેબરેશન એગ્રીમેન્ટ’**ની પ્રક્રિયા શરૂ થશે. – એગ્રીમેન્ટ થયા બાદ અમદાવાદને સત્તાવાર યજમાન શહેર તરીકે માન્યતા મળવાની શક્યતા છે. પ્રતિનિધિમંડળમાં કોણ–કોણ? – ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી – આમસી કમિશનર બંછાનિધી પાની – અન્ય રાજ્યના ઉચ્ચ અધિકારીઓ – ગુજરાત માટે ઐતિહાસિક તક જો આ પ્રેઝન્ટેશન સફળ રહેશે તો ગુજરાત…

અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકી અહમદ સૈયદ પર કેદીઓનો હુમલો, જાણો વિગત

અડાલજમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓને રિમાન્ડ પૂરા થતા ગઈકાલે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતાં. આજે જેલમાં દિલદહોળી દે તેવી ઘટના બની હતી. ત્રણ પૈકીના આતંકી અહમદ સૈયદ પર કેટલાક કેદીઓ ભેગા થઈને હુમલો કરી દીધો હતો. આ હુમલામાં અહમદ સૈયદને મ્હોં અને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત એટીએસ અને રાણીપ પોલીસે તાત્કાલિક સેન્ટ્રલ જેલનો દોટ્યો કર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત આતંકી અહમદ સૈયદને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેનું સારવાર કાર્ય પૂર્ણ કર્યું હતું. સારવાર બાદ તેને ફરી સેન્ટ્રલ જેલમાં પરત મોકલવામાં આવ્યો છે. હુમલો કોણે અને કેમ કર્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન અહમદ સૈયદે પણ હુમલાખોરો અંગે કોઈ માહિતી…

ઇસ્કોન બ્રિજ દુર્ઘટના કેસ : આરોપી તથ્ય પટેલ સામે આજે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ

અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલી ભયાનક દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે આજે, મંગળવારે, અંતે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ થવાના છે. આ અકસ્માતમાં નવ નિર્દોષ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં શોક અને આક્રોશ ફેલાયો હતો. લાંબા સમયથી કેસ ચાલી રહ્યો હોવા છતાં, દસથી વધુ વખત ચાર્જફ્રેમની કાર્યવાહી મુલતવી રહી હતી. મૃતકોના પરિવારો તથા વકીલોએ વારંવાર વિનંતી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો હતો અને ટ્રાયલ કોર્ટને ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવાની સુચના આપી હતી. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે કાર્યવાહી ઝડપી બની રહી છે. આજે તથ્ય પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ અંતર્ગત સત્તાવાર રીતે ચાર્જફ્રેમ કરવામાં આવશે. ચાર્જફ્રેમ થવાની પ્રક્રિયા બાદ કેસની ટ્રાયલ શરુ થશે અને…

અમદાવાદ : ભુવલડી પાસે બેફામ રફ્તારનો કહેર, સગીર નબીરાની બેદરકારીથી ગર્ભવતી શ્રમિકાનું મોત

અમદાવાદ શહેરના ભુવલડી નજીક આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભુવલડીથી ઝાણુ ગામ તરફ જતા રસ્તા પર કામ કરી રહેલા શ્રમિકોને સગીર નબીરાની બેફામ કાર રફ્તારે કુચડી નાખ્યા હતા. પ્રત્યક્ષ દર્શી અનુસાર, પૂર્વ સરપંચના પુત્ર એવા આ નાબાલિકે હ્યુન્ડાઈ વર્ના કાર ઝડપથી હંકારતા નિયંત્રણ ગુમાવ્યું હતું. આ અકસ્માતમાં રસ્તાની બાજુએ કામ કરતી એક ગર્ભવતી શ્રમિક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ચાર શ્રમિકોને ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો હતો અને સ્થાનિક લોકોએ દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ ઘટનાની વધુ તપાસ શરૂ કરી ચુકી છે…

અમદાવાદ: નિરમા યુનિવર્સિટીના કર્મચારી પર 5 કરોડની ઉચાપતનો આરોપ

અમદાવાદની નિરમા યુનિવર્સિટીના એક કર્મચારીએ 5 કરોડ રૂપિયાનું ઉચાપત કર્યાનું ખુલાસો થયો છે. કર્મચારે યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને અન્ય સંબંધીના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. યુનિવર્સિટીના પ્રોફેસરે આ ગેરરીતિનો ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. સૌરાષ્ટ્રમાં કોમર્સ એજ્યુકેશન અને કોર્સના બુક્સ માટે એડવાન્સ પૈસા ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરાવવામાં આવતા હતા. યુનિવર્સિટીની ઓડિટ દરમિયાન ગેરરીતિ સામે આવી, અને કર્મચારી ઓડિટમાં હાજર ન રહ્યો. પૂછપરછમાં તેણે સ્વીકાર કર્યો કે વિદ્યાર્થી એક્ટિવિટીના નાણાં અંગત ઉપયોગમાં લીધાં. આ મામલે કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: 20 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો વિગત

ગુજરાતમાં શિયાળાની ઠંડી ધીમે ધીમે પકડ જમાવી રહી છે. હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે. તેમાં અમરેલીમાં સૌથી ઓછું 13.2°C, જ્યારે અમદાવાદમાં 15.5°C અને ગાંધીનગરમાં 14.5°C તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા હોવાથી આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે. રાજકોટ, મહુવા, કેશોદ, કંડલા અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. ઉત્તર ભારતમાં પણ ઠંડીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડી અને શીતલહેરની ચેતવણી IMD દ્વારા જારી કરવામાં આવી છે. રાજસ્થાનના સીકરમાં તો તાપમાન 7°C સુધી નીચે ઉતર્યું છે, જ્યારે મધ્યપ્રદેશના રાજગઢમાં પણ 7°C નોંધાયું છે.…

T20 વર્લ્ડ કપ 2026: અમદાવાદમાં ઓપનિંગ અને ફાઇનલ, મેચ શેડ્યૂલ અંગે મોટી અપડેટ

ભારત અને શ્રીલંકા 2026 T20 વર્લ્ડ કપનું સહ-યજમાન કરશે. આ વખતે વર્લ્ડ કપની પ્રથમ અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે એક સેમિફાઇનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. ICC દ્વારા ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ 2026 વચ્ચે રમાવવાનો આયોજન છે. અહેવાલો અનુસાર, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ રમાશે તો તે કોલંબો ખાતે યોજાશે, જ્યારે બીજી સેમિફાઇનલ મુંબઈમાં રહેશે. ભારતના અન્ય શહેરોમાં ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા અને અમદાવાદમાં મેચો યોજાઈ શકે છે, જ્યારે શ્રીલંકામાં દામ્બુલા, હંબનટોટા અને પલ્લેકેલે સહિત ત્રણ સ્થળોને અંતિમ સ્વરૂપ આપવામાં આવવાની શક્યતા છે. વોર્મ-અપ મેચો માટે બૅંગલુરુ એક સંભાવિત સ્થળ બની શકે છે. આ વખતે અગાઉના ODI વર્લ્ડ કપની તુલનામાં ઓછા સંખ્યામાં મેચો યોજાશે, જેમાં દરેક સ્થળે અંદાજે છ મેચો રમાશે. BCCI…