Amreli : અમરેલી બાદ બનાસકાંઠામાં બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા, કાપા મારવાનું કારણ અકબંધ

અમરેલીના મુંજિયાસર જેવી ઘટના બનાસકાંઠાના ડીસામાં બની હતી. જેમાં સાત થી આઠ બાળકોએ બ્લેડ વડે હાથ પર કાપા માર્યા છે,જેના કારણે બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે કેમ કાપા માર્યા તેનું કારણ સામે આવ્યું નથી. જો કે, મોબાઇલ ગેમ્સના પ્રભાવથી કાપા માર્યાની આશંકા શાળાના સંચાલકો સેવી રહ્યાં છે,તો શાળાના શિક્ષકોએ મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે. હાથ પર બ્લેડ મારતા બાળકોનું શાળામાં કાઉન્સેલિંગ કરાયું હતુ,તો બાળ સુરક્ષા અધિકારીની હાજરીમાં બાળકોનું કાઉન્સેલિંગ કરાયું છે.ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ હાથધરી છે અને શાળા પાસે રીપોર્ટ પણ માંગ્યો છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં 30 માર્ચે હીરા ઉધોગ બંધનું એલાન, રત્નકલાકારોની હડતાળના લાગ્યા બેનર અમરેલીમાં પણ બની હતી આવી ઘટના :- અમરેલીના મોટામુંજિયાસરની શાળામાં 40 વિદ્યાર્થીઓએ હાથ…

Mehsana : મહેસાણામાં RTO અને પોલીસની કડક કાર્યવાહી, સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ સામે બોલાવી તવાઈ

મહેસાણામાં પોલીસ અને RTO દ્વારા સંયુક્તપણે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ અત્યારે કાયદાના સંકજામાં આવ્યા છે. 11 વાલીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વાલીઓએ કાયદાનું પાલન ના કરતા તેમના સગીર બાળકોને વાહન ચલાવવા આપ્યું હોવાનું સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી પોલીસ અને RTO દ્વારા વાલીઓ પર તવાઈ :- પોલીસ અને RTO દ્વારા સંયુક્તપણે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવમાં શાળાઓ પાસે ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં સગીર વયના બાળકો વાહન ચલાવતા હોવાનું સામે આવ્યું. જેના બાદ પોલીસે આ સગીરના વાલીઓને બોલાવ્યા. અને તેમને સવાલ…

Gandhinagar : ગાંધીનગરમાં ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું- ‘આરોગ્ય કર્મીઓની હડતાળ ગેરવ્યાજબી’

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ‘હડતાળ કરીને તંત્રને બાનમા લેવું યોગ્ય નથી’. આરોગ્ય કર્મચારીઓ પોતાની હડતાળ નહીં સમેટે તો સરકાર દ્વારા પગલા લેવામાં આવશે. ગાંધીનગર ખાતે વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માર,વેપારીઓના 100 કરોડથી વધારે રૂપિયા અટવાયા હડતાળ ગેરવ્યાજબી :- વધુમાં તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગે કર્મચારીઓ સાથે બેઠક હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા. આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા તૈયાર જ ના હોવાનું લાગ્યું. અને એટલે જ કડક પગલાં લેતા આરોગ્ય કર્મીઓની મનમાની નહીં ચલાવતા સરકાર એકશનમાં આવી છે.…

Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે

ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો વિધાનસભામાં જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં એક શાંત અને પ્રગતિશીલ રાજ્ય તરીકેનું બહુમાન મેળવતું રહ્યું છે. ગુજરાત અને ગુજરાતની પ્રજાએ સમગ્ર વિશ્વમાં વિકાસના પાયા પર રચાયેલી આર્થિક સદ્ધરતા અને શાંત-સુખી જનજીવનનો આદર્શ ઉદાહરણ પૂરૂ પાડયું છે, તેનો સૌથી મોટો શ્રેય ગુજરાતમાં રહેલા કાયદો અને વ્યવસ્થાની સુગમ, સુરક્ષીત અને શાંતિપૂર્ણ પરિસ્થિતિ છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાતના ગલી-રસ્તાઓને અસામાજિક તત્વો બાનમાં લે ત્યારે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી તેવા આક્ષેપો કરવા લાગતા વિપક્ષના સભ્યો, જ્યારે ગુજરાત પોલીસ દ્વારા આવા તત્વોને પકડીને વરઘોડા નિકાળવામાં આવે…

Surat : સુરત પોલીસ એક્શન મોડમાં, ઉધનામાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર ફર્યુ બુલડોઝર

સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઉધના વિસ્તારમાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર હથોડા ઝીંકીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી રાહુના ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલા ત્રણ મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે.મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં રાહુલ દીપડે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હતા. આ પણ વાંચો :- Vadodara : વડોદરાની પોદાર સ્કૂલમાં સંચાલકોની મનમાની, છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફી ઉઘરાવતા વાલીમાં રોષ જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો. પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રિય હેડક્વાર્ટર તરીકે કામ કરતાં હતા. જ્યાંથી તે અવૈધ ધંધા…

Ahmedabad : અમદાવાદમાં ફરી તંત્રની કાર્યવાહી, ગંદકી- પ્રતિબંધિત પ્લાસ્ટિકને ઉપયોગમાં લેતી 307 દુકાનોને નોટિસ, 8 એકમો કરાયા સીલ

અમદાવાદમાં ફરી તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી કરતાં એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કામગીરી દરમિયાન 1.7 કિ.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેના સાથે ડેબ્રીજ અને ગંદકી કરવા બદલ 8 એકમોને સીલ કરવામાં આવ્યા છે. તેમજ ઉત્તર ઝોનમાં ગંજદકી કરતાં 307 એકમોને નોટિસ ફટકારીને કુલ રૂ.80,054 જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી!, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા આ ઉપરાંત તંત્ર દ્વારા આરોગ્ય સાથે ચેડા કરતાં એકમો સામે હજી પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. તેમજ તહેવાર બાદ પણ વિવિધ વિસ્તારોમાં હજી પણ ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.…

Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુંડાતત્વોને ચેતવણી આપી છે કે, કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો. ગૃહમંત્રીએ ખૂંખાર ગુંડાઓને ઉદેશીને ચીમકી ઉચ્ચારી છે કે સુધરી જાઓ નહીંતર.. વધુ કડક કાયદાનો સામનો કરવો તૈયારી રહેજો. અમદાવાદની ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં આવ્યા છે. આજે સાંજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળશે. આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના લો એન્ડ ઓર્ડરને લઇને મહત્વની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાય હાજર રહેશે. આ ઉપરાંત તમામ જિલ્લાના IG, પોલીસ કમિશ્નર અને SP પણ બેઠકમાં પણ હાજર રહેશે. એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર જોવા…

Ahmedabad : અમદાવાદનાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી, ગુંડાઓએ ઉભુ કરેલુ ગેરકાયદેસર-બાંધકામ તોડી પડાયું

અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ છે. આરોપીઓએ ગેરકાયદેસર બાંધકામ ઉભુ કર્યુ છે તે આરોપીઓના મકાનો એએમસી તોડી પાડશે અને લુખ્ખાઓને રોડ પર લાવી દેશે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખાઓ સામે પોલીસે લાલઆંખ કરી છે,અને તંત્રએ પણ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે પોલીસને અને સ્થાનિકોને સાથ આપ્યો છે. આ પણ વાંચો :- gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ ઉત્તરપ્રદેશના સીએમ યોગીની જેમ અમદાવાદમાં પણ AMCનું બુલડોઝર ફર્યુ છે,ત્યારે ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા આરોપીઓનું મકાન તોડી પડાયું છે. અમરાઈવાડીમાં લવજી દરજીની ચાલીમાં આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે. આ પણ વાંચો :- Gandhinagar :…

Valsad : વલસાડમાં યુવતીએ નંદીમાં ઝંપલાવીને કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસે તપાસ હાથ ધરી

વલસાડનાં પારડીમાં નદીમાં એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતી દ્વારા પુલ પર થોડો સમય ઉભા રહ્યા બાદ અચાનક જ નદીમાં છલાંગ લગાવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક તરવૈયાઓને થતા તેઓ તાત્કાલીક દોડી આવ્યા હતા. અને યુવતીને બચાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. મહામહેનતે તરવૈયાઓ દ્વારા યુવતીને બહાર કાઢવામાં આવી હતી. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે ચંદ્રપુરનાં તરવૈયાઓએ સાડીની મદદથી યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવતી દ્વારા સાડીનો છેડો પકડી લીધો હતો. જે બાદ મહા મહેનતે યુવતીને નદીમાંથી બહાર કાઢી તેનાં ઘરે સલામત રીતે મોકલવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો કોઈએ વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ વીડિયો બે દિવસ બાદ…

Morbi : મોરબીમાં ડિમોલિશનની કામગીરી યથાવત, ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું

મોરબીમાં સત્તત બીજા દિવસે ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસનું બુલડોઝ ફેરવવામાં આવ્યું છે. SP રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે રીઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. માળીયા મિયાણામાં ફારુક હબીબ જામ નામના હિસ્ટ્રી શીટરની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું છે. આ પણ વાંચો :- Sabarkantha : સાબરકાંઠામાં લાંચિયો ઉપ સરપંચ ઝડપાયો, ધરોદ ગ્રામ પંચાયતના ઉપ સરપંચે 16 હજારની માગી હતી લાંચ મહત્વનું છે કે, ફારુક હબીબ જામ વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગેરકાયદેસર કબજો કરી ખડકી દેવાયેલી 12 જેટલી દુકાનો તોડી પડવામાં આવી છે. મોરબી પોલીસની બુલડોઝર કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. ડિમોલિશનની કામગીરીને લઇ માળીયાના મામલતદાર, રેવન્યુ વિભાગની ટીમ સહિતના પોલીસ અધિકારીઓની ટીમને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે…