77મા પ્રજાસત્તાક પર્વ પર PM મોદીએ પહેલી ખાસ પાઘડી, શું છે વિશેષતા ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રથમ કાર્યકાળથી જ પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર પોતાના પોશાકને કારણે હેડલાઇન્સમાં છવાયેલા રહ્યા છે. પીએમ મોદીના પોશાકમાં ભારતીય સંસ્કૃતિની ઝલક સ્પષ્ટપણે જોઈ શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી. તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી અને દેશના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રજાસત્તાક દિવસે પીએમ મોદીએ મરૂન રંગની પાઘડી પહેરી હતી. નોંધનીય છે કે 2016 થી 2026 સુધી, પીએમ મોદીનો લુક પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જાણો શું છે પાઘડીમાં ખાસ પ્રધાનમંત્રીએ 2026ના પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પહોંચ્યા ત્યારે લીલા અને પીળા રંગો સાથે મરૂન પાઘડી પહેરી હતી . પાઘડીમાં સોનાની ભરતકામ હતું. પાઘડીના પાછળના ભાગમાં લીલા રંગ પર ઉત્કૃષ્ટ સોનાની ભરતકામ…