Valsad : મધ્યપ્રદેશના કોંગ્રેસી MLA ફુલસિંગ બારીયાના નિવેદનથી સાંસદ ધવલ પટેલ થયા લાલઘૂમ, કોંગ્રેસ પર સાધ્યું નિશાન
આઝાદ રાઠોડ, વલસાડ/ વલસાડ જિલ્લાના નાનાપોંઢાં ખાતે આયોજિત આદિવાસી મહાસંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર આંકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંગ બારીયા દ્વારા આદિવાસી સમાજની મહિલાઓ અંગે આપવામાં આવેલા વિવાદિત નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. ધવલ પટેલે જણાવ્યું હતું કે ફુલસિંગ બારીયાએ આદિવાસી મહિલાઓ અંગે આપેલું “આદિવાસી મહિલાઓ પર રેપ કરશો તો સ્વર્ગ મળશે” જેવું નિવેદન અત્યંત શરમજનક અને માનવતા વિરુદ્ધ છે. આવા નિવેદનો કોંગ્રેસની સાચી માનસિકતા દર્શાવે છે, જે આદિવાસી સમાજ પ્રત્યે અપમાનજનક છે. વલસાડના નાનાપોંઢાં ખાતે આદિવાસી મહાસંમેલનમાં સાંસદ ધવલ પટેલનું નિવેદન મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંગ બારીયાને આપ્યો જવાબ ફુલસિંગ બારીયાએ આપેલા આદિવાસી સમાજની મહિલાઓ માટે આપેલ નિવેદનને ધવલ પટેલે વખોડ્યું.#Politics #Gujarat #Bindia…
અનંત પટેલ કોંગ્રેસ છોડી AAP માં જોડાશે? જાણો કોણે કર્યો દાવો
ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવે તેવા સંકેત સામે આવ્યા છે. વલસાડના સાંસદ ધવલ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને લઈ મોટો દાવો કર્યો છે. ધવલ પટેલે જાહેરમાં નિવેદન આપતા કહ્યું કે, અનંત પટેલ કોંગ્રેસનો સાથ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાશે. ધવલ પટેલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર આંકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે એક તરફ વાંસદાના ધારાસભ્ય એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરે છે અને એ કહે છે કે આમ આદમી પાર્ટી અને ભાજપમાંથી સભ્યો તોડશે. અને એક બાજુ ચૈતર વસાવા કોંગ્રેસના 200 જેટલા સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડે છે અને બીજી બાજુ બીજા જ…








