T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો વધુ એક ઝટકો! આ ખેલાડી ન્યુઝીલેન્ડ સીરિઝમાંથી થઈ શકે છે બહાર
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં આવતા મહિને યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે તૈયારી કરી રહી છે. હાલમાં, ન્યુઝીલેન્ડ સામે વનડે સીરિઝ ચાલી રહી છે, પરંતુ તે પછી, પાંચ મેચની ટી20 સીરિઝ રમાશે. વર્લ્ડ કપ પહેલા આ ભારતીય ટીમની છેલ્લી સીરિઝ હશે. દરમિયાન, ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ ની પ્રથમ મેચ પછી એક મોટો ઝટકો લાગ્યો હોવાની વિગત સામે આવી છે. જોકે, BCCIએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝ શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમે ત્રણ મેચની સીરિઝ ની પહેલી મેચ સફળતાપૂર્વક જીતી લીધી છે. જોકે, એક ઝટકા સાથે, સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થયો છે. જ્યારે તે આગામી સીરિઝ માં રમશે કે નહીં તે હજુ સુધી નિશ્ચિત નથી, તે ચોક્કસપણે ચિંતાનું…
IND vs NZ: જીત સાથે શ્રીગણેશ! વડોદરામાં ભારતે ન્યૂઝીલેન્ડને પહેલી વનડેમાં 4 વિકેટથી હરાવ્યું
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન સાથે શ્રેણીની શરૂઆત જીત સાથે કરી છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી પરાજય આપ્યો અને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. ન્યૂઝીલેન્ડે મૂક્યો 301 રનનો પડકાર ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 300 રન બનાવ્યા. ઓપનર ડેવોન કોનવે (56) અને **હેનરી નિકોલ્સ (62)**એ પ્રથમ વિકેટ માટે 117 રનની મજબૂત ભાગીદારી કરી. ત્યારબાદ ડેરિલ મિશેલે 84 રનની શાનદાર ઇનિંગ રમીને કિવી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી. ભારત તરફથી બોલિંગમાં હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ મહત્વપૂર્ણ વિકેટો મેળવીને ન્યૂઝીલેન્ડની ગતિ રોકી. વિરાટ કોહલીની ઝળહળતી 93 રનની ઇનિંગ 301 રનના લક્ષ્યાંકના પીછા માટે ઉતરેલી…
ભારત-ન્યુઝીલેન્ડ T20 શ્રેણી પહેલા મોટો ફટકો, તિલક વર્મા ત્રણ મેચમાંથી બહાર
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. તિલક વર્મા પાંચ મેચની શ્રેણીનો પ્રથમ ત્રણ મેચમાંથી બહાર થઈ ગયો છે. તિલકની તબિયત અને ફિટનેસ અપડેટ: તિલકને ગુરૂવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. તેમની તબિયત સારી છે અને તેઓ હૈદરાબાદ પરત ફરશે. લક્ષણો ઓછા થતા અને ઘા રૂઝાતા, તેઓ ધીમે ધીમે શારીરિક તાલીમ અને કૌશલ્ય પ્રેક્ટિસમાં પાછા ફરશે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ T20 માટે તેઓ ઉપલબ્ધ નથી. અંતિમ બે T20 મેચ માટે ઉપલબ્ધતા પ્રગતિ પર આધારિત રહેશે. ઘાયલ થવાના કારણો: 23 વર્ષીય ડાબા હાથના બેટ્સમેન તિલક વર્મા રાજકોટમાં વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ તરફથી રમતા વખતે અચાનક ભારે દુખાવો અનુભવ્યો. તેમને તાત્કાલિક ગોકુલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ટેસ્ટિક્યુલર ટોર્સન હોવાનું જાણવા મળ્યું. ડોક્ટરોએ સર્જરીની…
IND vs SA U19: ભારતે ત્રીજી વનડેમાં સાઉથ આફ્રિકાને 233 રનથી હરાવી સિરીઝ ક્લીન સ્વીપ કરી
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા U19 ટીમને ત્રીજી અને અંતિમ વનડેમાં 233 રનથી હરાવી સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું. મેચ 7 જાન્યુઆરીના રોજ રમાઈ અને ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ત્રીજી જીત મેળવી. વૈભવ અને એરોનના શાનદાર ઈનિંગ ભારતના ઓપનર વૈભવ સૂર્યવંશીએ કેપ્ટન તરીકે 74 બોલમાં 127 રનની સદી ફટકારી, જેમાં 9 ચોગ્ગા અને 10 છગ્ગા શામેલ હતા. તેનો સાથી બેટ્સમેન એરોન જ્યોર્જે 106 બોલમાં 118 રન બનાવતા ટીમને મજબૂત સ્કોર તરફ દોરી ગયો. ટીમે પ્રથમ બેટિંગ કરીને 7 વિકેટ ગુમાવી 393 રન બનાવ્યા. એરોનની ઈનિંગમાં 16 ચોગ્ગા ફટકારાયા અને તેણે ટીમને સ્થિર અને ઝડપથી રન બનાવવામાં મદદ કરી. તેનો પરફોર્મન્સ તેને અંડર-19 ટીમ માટે સ્ટાર ખેલાડી તરીકે ઉભરતો બનાવે છે. સાઉથ આફ્રિકાની નિષ્ફળ બેટિંગ ટાર્ગેટ…
Bangladeshની ટીમ T20 વર્લ્ડકપ 2026માં ભારતમાં રમશે કે નહીં? ICC, BCCI અને BCB વચ્ચે બેઠક
T20 વર્લ્ડકપ 2026 માટે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હવે ભારતની મૈત્રીભરી મેહમાનીમાં રમવા તૈયાર છે. પહેલા સમાચાર અનુસાર, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) IPL 2026માંથી મુસ્તફિઝુર રહેમાનની બહાર થતા ગુસ્સે ભરી હતી અને ટીમ ભારતમાં મેચ રમવા ઇચ્છતી નહોતી. બાંગ્લાદેશ ટીમે ICCને વિનંતી કરી હતી કે તેમની મેચો શ્રીલંકામાં યોજવામાં આવે, પરંતુ હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ICC, BCCI અને BCB વચ્ચે યોજાયેલી બેઠકમાં BCBને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહેવામાં આવ્યું છે. પરિણામે શક્યતા છે કે બાંગ્લાદેશ ટીમ ભારતમાં પોતાની તમામ મેચો રમશે. BCBનું પરિસ્થિતિ વિશે નિવેદન BCBએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલામાં સરકારની મંજૂરી અનુસાર પગલાં લેશે. બોર્ડે પરિસ્થિતિ સુધારવા માટે પહેલ કરી છે અને કોઈ પણ સ્થિતિમાં BCCI સાથે ગડબડ કરવા…
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, BCB એ ICCને લખ્યો પત્ર
ICC T20 વર્લ્ડ કપ 2026 ને લઈને એક મોટો વિવાદ ઉભો થયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ તેના ખેલાડીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરીને ભારતમાં આયોજિત ટુર્નામેન્ટમાં પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કરી દીધો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બગડતા રાજકીય સંબંધો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટનાક્રમ અંગે BCB એ ICC ને પત્ર પણ લખ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના ડિરેક્ટર બોર્ડની એક કટોકટી બેઠક આજે બપોરે યોજાઈ હતી, જેમાં ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 સંબંધિત તાજેતરના વિકાસ પર ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડે છેલ્લા 24 કલાકના વિકાસને…
વિરાટ કોહલી ઇતિહાસ રચવાથી માત્ર 10 રન દૂર, તોડશે રિકી પોન્ટિંગનો રેકોર્ડ
વિરાટ કોહલી જ્યારે પણ મેદાન પર ઉતરે છે, ત્યારે તેની નજર હંમેશા એક રેકોર્ડ પર હોય છે. તે આગામી 11 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની વનડે સીરિઝમાં જોવા મળશે. આ ત્રણ મેચની સીરિઝ માં, વિરાટ કોહલી પાસે ફરી એકવાર એક મોટો રેકોર્ડ તોડવાની તક હશે. તે વનડેમાં ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે. તે હાલમાં આ યાદીમાં બીજા નંબર પર છે. હાલમાં રિકી પોન્ટિંગ વનડે ક્રિકેટમાં નંબર 3 પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. પોન્ટિંગે આ ફોર્મેટમાં નંબર 3 પર બેટિંગ કરતી વખતે 335 મેચોમાં 42.48 ની સરેરાશથી 12662 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 244 મેચોની 241 ઇનિંગ્સમાં 61.26…
મુસ્તફિઝુર રહેમાન વિવાદ બાદ BCCI સેક્રેટરીનું મોટું નિવેદન, KKRને આપી સૂચના
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) IPL 2026 માટે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ખરીદવા બદલ ટીકાઓનો સામનો કરી રહી છે. ચાહકો સહિત ઘણા રાજકારણીઓએ KKR ની ટીકા કરી છે. KKR એ તાજેતરમાં IPL ની 19મી સીઝન માટે મીની-ઓક્શનમાં મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડમાં ખરીદ્યો હતો. હરાજીમાં વેચાયેલા તે એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી હતા. 30 વર્ષીય બાંગ્લાદેશી બોલરને લઈને થયેલા હોબાળા બાદ, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ KKR ને મુસ્તફિઝુર રહેમાનને તેની ટીમમાંથી મુક્ત કરવા જણાવ્યું છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને, BCCIએ કેકેઆરને બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. BCCIએ એમ પણ કહ્યું હતું કે જો કેકેઆર વિનંતી કરશે તો તે રિપ્લેસમેન્ટ ખેલાડી પ્રદાન કરશે. BCB પ્રમુખે મુસ્તફિઝુર રહેમાન અંગે…
વિરાટ કોહલી 2026 માં હાંસલ કરશે મોટી સિદ્ધિ, કુમાર સંગાકારાને પણ છોડી શકે છે પાછળ
2026 માં, ભારતીય ક્રિકેટ ટીમ એક નવા મિશન પર આગળ વધી રહી છે. આ વર્ષે સૌથી મોટી ઇવેન્ટ T20 વર્લ્ડ કપ છે, જે ભારત અને શ્રીલંકા વચ્ચે ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન રમાશે, પરંતુ બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. કોહલીએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તેનું સંપૂર્ણ ધ્યાન ODI પર છે. વર્ષની શરૂઆતમાં, વિરાટ કોહલી એક એવા સીમાચિહ્ન સુધી પહોંચી શકે છે જે વિશ્વના ફક્ત બે અન્ય બેટ્સમેનોએ હાંસલ કર્યું છે. તે આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ખેલાડી બનવાની કગાર પર છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી 11 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. તે દિવસે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝ શરૂ થવાની છે. જ્યારે ભારતીય ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં…
ભારતીય મહિલા ટીમે પાંચમી T20માં શ્રીલંકાને હરાવી શ્રેણી 5-0થી જીતી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની પાંચમી અને અંતિમ ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કરી શ્રેણી 5-0થી જીતી. ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતની શરૂઆત શરૂઆતમાં ધીમા રહી. સ્મૃતિ મંધાનાને આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે શેફાલી વર્મા, હરલીન દેઓલ અને જી. કમલિની ઝડપી આઉટ થયા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 43 બોલમાં 68 રન બનાવી શાનદાર ફિફ્ટી ફટકારી, જેમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગો શામેલ હતો. અમનજોત કૌરે 21 રન અને અરુંધતી રેડ્ડીએ માત્ર 11 બોલમાં 27 રન બનાવ્યા. આ પ્રયાસોથી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 175 રન બનાવી. શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુ, કવિશા દિલહારી અને રશ્મિકા સેવાંડીએ બે-બે વિકેટ લીધી. લક્ષ્યનો પીછો કરતા હસિની પરેરાએ 42…
















