ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત
ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના શિક્ષકોને પાછળ છોડી ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીત્યો છે અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. દુબઈમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં રૂબલ નાગીને 10 લાખ ડોલર (લગભગ 9 કરોડ રૂપિયા) ની પ્રાઇઝ મની સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વંચિત અને ગરીબ બાળકોને અલગ અને સર્જનાત્મક રીતે શિક્ષણ આપીને તેઓ ગ્લોબલ સેન્સેશન બની ગયા છે. પોતાની પ્રેરણાદાયક સફર વિશે રૂબલ નાગીએ કહ્યું કે, “મારી આ યાત્રાની શરૂઆત આજથી 27 વર્ષ પહેલા થઈ હતી, જ્યારે એક આર્ટ વર્કશોપ દરમિયાન મારી મુલાકાત એવા બાળક સાથે…
FASTag બ્લોક થઈ ગયો? જાણો કેવી રીતે તરત સમાધાન કરવું
જેઓ વારંવાર એક્સપ્રેસવે અથવા હાઇવે પર મુસાફરી કરે છે, તેમના માટે FASTag બ્લોક થવું એક ચિંતાજનક સ્થિતિ બની શકે છે. ટોલ ગેટ પર FASTag કામ ન કરવાથી ટોલ પૈસા ડબલ ચૂકવવા પડે છે. પરંતુ આ સમસ્યા સરળ રીતે ઉકેલી શકાય છે. FASTag બ્લોક છે કે કેમ, તે કેવી રીતે તપાસવું? ટોલ પર જ્યારે સ્કેનર “બ્લેકલિસ્ટેડ” બતાવે, ગેટ ખુલતું નથી. તમારી બેંક અથવા NHAI તમારા નંબર પર મેસેજ મોકલે છે, જેમમાં લખેલું હોય: “તમારું FASTag બ્લેકલિસ્ટ થયું છે કારણ કે…” FASTagની સ્થિતિ બેંક એપ (HDFC, ICICI, SBI, Paytm) અથવા My FASTag App પર ચેક કરી શકો છો. ટેગ બાજુમાં લાલ રંગમાં “બ્લેકલિસ્ટ” લખેલું હોય તો તે નિષ્ક્રિય છે. FASTag બ્લેકલિસ્ટ થવાના મુખ્ય 3 કારણો: – ઓછું બેલેન્સ:…
T20 વર્લ્ડ કપ 2026: ટીમ ઈન્ડિયાએ USAને 29 રનથી હરાવી, સૂર્યકુમાર યાદવની ધમાકેદાર અડધી સદી
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026ની ગ્રુપ Aની પોતાની પહેલી મેચમાં યુએસએ ટીમને 29 રનથી હરાવી. આ જીત ભારતીય ટીમ માટે ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત સાબિત થઈ છે. ભારતને ટોસ હારીને પહેલા બેટિંગ કરવાની તક મળી, જેમાં 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવની 84 રનની અણનમ ઈનિંગે ટીમને સારા પોઝિશનમાં મુકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. યુએસએનો પીછો નિષ્ફળ ટાર્ગેટનો પીછો કરતી વખતે યુએસએ ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 132 રન બનાવી શકી. ભારતીય બોલર્સે શાનદાર દેખાવ કર્યું. મોહમ્મદ સિરાજે 3 વિકેટ, જ્યારે અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. વરુણ ચક્રવર્તીએ 1 વિકેટ મેળવી યુએસએના બેટ્સમેનને હેરાન કરી દીધા. યુએસએની શરૂઆત ખરાબ રહી. એન્ડ્રિસ…
ભારત-પાક મેચ પર સંકટ: ICC એ પાકિસ્તાન બોર્ડની ‘ચાલબાજી’ પકડી, પૂછ્યા અણીયારા સવાલ
આગામી T20 વર્લ્ડ કપ 2026 પહેલા ક્રિકેટના મેદાન પર રાજકીય અને કાનૂની વિવાદ તેજ થયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 15 ફેબ્રુઆરીની ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચના બહિષ્કાર અંગે ICC ને લેખિતમાં જાણ કરી છે. PCB એ ‘ફોર્સ મેજ્યુર’ (અસાધારણ પરિસ્થિતિ) કલમનો હવાલો આપી પોતાની સરકારના આદેશને બહાનું બનાવ્યું હતું. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ દલીલને ફગાડી પાકિસ્તાને જવાબ આપવા માટે દબાણ વધારી દીધું છે. ICC એ સ્પષ્ટ પૂછ્યું છે કે, જો પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટની અન્ય તમામ મેચો રમવા તૈયાર છે, તો માત્ર ભારત સામેની એક મેચ માટે જ કટોકટી કે સરકારી આદેશ કેવી રીતે લાગુ પડી શકે? PCB એ દાવો કર્યો હતો કે તેઓ બાંગ્લાદેશની સમર્થનમાં ભારત સામે નહીં રમે, કારણ કે સુરક્ષાના…
BCCI એ વાર્ષિક પ્લેયર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત,વિરાટ કોહલી અને રોહિત શર્મા A+ કેટેગરીમાં યથાવત્
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્ષ 2024–25 માટેની વાર્ષિક પ્લેયર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 30 ભારતીય ખેલાડીઓને ચાર અલગ-અલગ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કોન્ટ્રાક્ટ યાદીથી સ્પષ્ટ થાય છે કે BCCI હવે માત્ર પ્રદર્શન જ નહીં, પરંતુ શિસ્ત અને ઘરેલું ક્રિકેટને પણ સમાન મહત્વ આપી રહ્યું છે. A+ કેટેગરીમાં સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને યથાવત્ રાખવામાં આવ્યા છે. તેમની સાથે જ ભારતીય ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ A+ ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. આ ચારેય ખેલાડીઓ ભારતીય ક્રિકેટની રીડ તરીકે ગણાય છે અને તેમનું સ્થાન બોર્ડના વિશ્વાસને દર્શાવે છે. આ યાદીમાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ ફેરફાર ઈશાન કિશન અને…
ચાંદીના ભાવમાં કડાકો: નફાખોરી કે મંદીની શરૂઆત? ડેટા સામે ખુલ્યું રોકાણકારોની વ્યૂહરચનાનું રહસ્ય
વિશ્લેષકો અને ડેટા અનુસાર, 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે ભંડોળ પ્રવાહનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે આ કોઈ લાંબા ગાળાની મંદીનો સંકેત નથી, પરંતુ માત્ર ટેકનિકલ કરેકશન (સુધારો) છે. રોકાણકારોએ બજાર છોડવાની બદલે, માત્ર નફો બુક કરીને પોતાની પોઝિશન એડજસ્ટ કરી છે. ભંડોળ પ્રવાહમાં ફેરફાર ત્રણ અઠવાડિયામાં ચાંદીના ભંડોળમાંથી આશરે $2.9 બિલિયન નીચેથી ઉડી ગયા હતા, પરંતુ હાલમાં $1.5 બિલિયનનો નવો પ્રવાહ જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચાંદીના ભાવ ટૂંકા ગાળામાં ખૂબ વધી ગયા હતા, તેથી દબાણ આવતા જ ભાવમાં ઘટાડો થવો સામાન્ય છે. રોકાણકારોની વ્યૂહરચના જ્યારે ચાંદી અને સોનામાં નફાખોરી થઈ રહી છે, ત્યારે એનર્જી સેક્ટરમાં રોકાણકારોનો આશાવાદ ઊંચો છે. એનર્જી ઈક્વિટી ફંડ્સમાં $4 બિલિયનનું રોકાણ આવ્યું છે, જે સપ્ટેમ્બર 2008 પછીનો…
ભારત છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન, ઇંગ્લેન્ડને 100 રને હરાવ્યું
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલા ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ના ફાઇનલ મુકાબલામાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી પરાજય આપી છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અજેય રહેલી ભારતીય ટીમે ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કરી દેશભરના ક્રિકેટપ્રેમીઓને ગર્વની ક્ષણ આપી. ટોસ જીત્યો, બેટિંગમાં તોફાન ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ભારત માટે સંપૂર્ણ રીતે સફળ સાબિત થયો. શરૂઆતમાં એક વિકેટ વહેલી પડ્યા બાદ વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેએ ઇનિંગ્સને સંભાળી લીધી અને ત્યારબાદ ઇંગ્લેન્ડના બોલરો પર હાવી થઈ ગયા. 14 વર્ષના વૈભવનો વિસ્ફોટ માત્ર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ જેવા દબાણભર્યા મુકાબલામાં ઐતિહાસિક વિસ્ફોટક બેટિંગ કરી. તેણે 80 બોલમાં 175…
પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો મોટો દાવો, વૈશ્વિક રાજનીતિમાં ફરી ગરમાઈ ચર્ચા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક રાજનીતિમાં ચર્ચા જગાવતો મોટો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પર કરેલી પોતાની પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું છે કે તેમના નેતૃત્વ અને અમેરિકાની શક્તિશાળી ભૂમિકાના કારણે વિશ્વભરમાં અનેક સંભવિત પરમાણુ યુદ્ધો અટકાવવામાં આવ્યા છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં અમેરિકા ને દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ ગણાવ્યો છે. તેમના કહેવા મુજબ, અમેરિકાની કડક નીતિઓ, રાજનૈતિક દબાણ અને સમયસર હસ્તક્ષેપના કારણે અનેક દેશો વચ્ચે થનારા ભયંકર સંઘર્ષ ટળી શક્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા હતી, પરંતુ અમેરિકાની દખલગીરીથી આ તણાવને યુદ્ધમાં ફેરવાતું રોકવામાં આવ્યું. આ ઉપરાંત, ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને પણ અમેરિકા દ્વારા અપનાવેલી કડક નીતિઓ…
ફિલ્મ ઘૂસખોર પંડિત વિવાદમાં,મનોજ બાજપેયીનું પ્રતિભાવ-જનભાવનાનું સન્માન જરૂરી
મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’ને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક સંગઠનોમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફિલ્મના શીર્ષક અને કથાવસ્તુને કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. વધતા વિવાદ વચ્ચે અભિનેતા મનોજ બાજપેયીએ આ મુદ્દે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. મનોજ બાજપેયીએ કહ્યું, “હું લોકોની લાગણીઓને સમજી શકું છું. કોઈની આસ્થા કે વિશ્વાસને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ ક્યારેય રહ્યો નથી. આ ફિલ્મ કોઈ ધર્મ કે સમુદાય વિરુદ્ધ નથી, પરંતુ સમાજમાં વ્યાપેલી એક બુરાઈ પર આધારિત કહાણી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે કળાનો હેતુ સમાજની હકીકતો સામે લાવવાનો હોય છે, કોઈને નિશાન બનાવવાનો નહીં.અભિનેતાએ આગળ કહ્યું કે જો કોઈને ફિલ્મ સામે વાંધો હોય તો સંવાદ અને સમજદારીથી તેનો ઉકેલ લાવવામાં આવવો જોઈએ. બીજી…
















