ફિલ્મ ‘ધુરંધર’ ના આ ગીતે મચાવી વિશ્વભરમાં ધૂમ, મેળવ્યું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

બહેરીનના પ્રખ્યાત રેપર ફ્લિપપરાચીએ સંગીત જગતમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જેનું દરેક કલાકાર સ્વપ્ન જુએ છે. ફિલ્મ “ધુરંધર” ના સુપરહિટ ગીત “Fa9la” એ સત્તાવાર રીતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો છે. બોલિવૂડ સ્ટાર રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ ” ધુરંધર ” માં દર્શાવવામાં આવેલા આ ગીતે બિલબોર્ડ અરેબિયા ચાર્ટમાં સૌથી લાંબા સમય સુધી ટોચ પર રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિએ ફ્લિપાર્ચીને રાતોરાત ભારતમાં એક મોટું નામ બનાવી દીધું છે. રેપરે એક વીડિયોમાં પોતાની ખુશી વ્યક્ત કરી છે. રેપર ફ્લિપરાચીએ શું કહ્યું? ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યા બાદ પ્રતિક્રિયા આપતા ફ્લિપરાચીએ કહ્યું, “ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ, હબીબી! આ લાગણી અદ્ભુત છે.” તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ ગીત એવી ભાષા (હિન્દી) માં લોકપ્રિય બન્યું જેમાં તે…

અરિજિત સિંહે સિંગિંગ માંથી નિવૃત્તિની જાહેરાત કરી, ચાહકોમાં આઘાત

બોલિવુડના જાણીતા ગાયક અરિજિત સિંહે આજે પોતાના સિંગિંગ કરિયરની નિવૃત્તિની જાહેરાત કરી, જે સમાચાર સાંભળીને તેના લાખો ચાહકો આશ્ચર્ય અને આઘાતમાં પડી ગયા. અરિજિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ સમાચાર જાહેર કર્યા. તેણે પહેલા ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને અત્યાર સુધી મળેલી અસીમ ચાહના બદલ આભાર વ્યક્ત કર્યો. નિવૃત્તિની વિગતો: અરિજિતે લખ્યું કે હવે તે પ્લેબેક સિંગર તરીકે નવા પ્રોજેક્ટ નહીં લે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંગીત સર્જવાનું ચાલુ રહેશે, પરંતુ નવા ગીતો માટે પ્લેબેક નથી. પેન્ડિંગ અસાઈનમેન્ટો હજુ બાકી છે, તેથી આ વર્ષે ચાહકોને તેમનાં કેટલાક નવા ગીતો સાંભળવા મળશે. ચાહકોનો પ્રતિસાદ: ચાહકો આ સમાચાર પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. કેટલાકે આ નિર્ણયને ક્રિકેટના ‘ટેસ્ટ સન્યાસ’ જેવી લાગણી આપતાં તુલના આપી. અનેક…

અરિજિત સિંહનો ચોંકાવનારો નિર્ણય, પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદા

પ્રખ્યાત ગાયક અરિજિત સિંહના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વર્ષો સુધી બોલીવુડને અનેક સુપરહિટ ગીતો આપ્યા બાદ અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે તેઓ પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારશે નહીં. અરિજિત સિંહે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને આ નિર્ણયની જાણ કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું, “નમસ્તે, સૌને નવા વર્ષની શુભકામનાઓ. વર્ષો સુધી એક શ્રોતા તરીકે મને અઢળક પ્રેમ આપવા બદલ હું આપ સૌનો આભાર માનું છું. હવેથી હું પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારવાનો નથી. અહીં હું આ સફરને વિરામ આપું છું. આ એક અદભૂત સફર રહી છે.” તેમણે આગળ જણાવ્યું કે, “ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે.…

પદ્મ પુરસ્કારનું નામ ‘પદ્મ’ રાખવાનો આધ્યાત્મિક અર્થ, જાણો વિગત

દર વર્ષે જ્યારે પદ્મ પુરસ્કારની સૂચિ જાહેર થાય છે, ત્યારે સમગ્ર દેશમાં ગૌરવનો મૌસમ વહી જાય છે. કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રોમાં પોતાનું જીવન નિર્ભયતાપૂર્વક સમર્પિત કરનારી વિભૂતિઓને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં આવે છે. પરંતુ આ પુરસ્કારો માત્ર મેડલ અને પ્રશસ્તિ પત્રથી સીમિત નથી; તેમા ભારતની હજારો વર્ષ જૂની આદ્યાત્મિક ચેતના છુપાયેલી છે. પદ્મ પુરસ્કારની સ્થાપના: – સ્થાપના: 2 જાન્યુઆરી 1954 – સત્તાવાર જાહેરખબરો: 8 જાન્યુઆરી 1955 – કેટેગરીઝ: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મશ્રી ‘પદ્મ’ નામની પાવનતા: ‘પદ્મ’ એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ છે કમળનું ફૂલ. ભારતીય સંસ્કૃતિમાં કમળ માત્ર એક ફૂલ નથી; તે જીવન દર્શનનું પ્રતિક છે. કમળ કીચડમાં ઉગે છે, પણ ક્યારેય દુષિત નથી થાય. આ રીતે, પદ્મ…

બોલિવૂડ મામલે પ્રકાશ રાજનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

પ્રકાશ રાજ ભારતના એવા થોડા કલાકારોમાંના એક છે જેમણે પાંચેય ભારતીય ફિલ્મ ઉદ્યોગો – તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી – માં 38 વર્ષ સુધી સતત કામ કર્યું છે. તેમને ત્રણેયમાં નોંધપાત્ર સફળતા મળી છે. જોકે, હવે તેઓ માને છે કે તમિલ અને મલયાલમ ફિલ્મો હિન્દી સિનેમા કરતાં ઘણી શ્રેષ્ઠ છે. તેમના મતે, 2000 ના દાયકાના મધ્યમાં મલ્ટિપ્લેક્સ યુગના આગમન પછી હિન્દી સિનેમા તેના મૂળથી દૂર થઈ ગયું છે. શનિવારે કોઝિકોડમાં કેરળ સાહિત્ય મહોત્સવમાં બોલતા પ્રકાશ રાજે કહ્યું, “આજકાલ, મને લાગે છે કે મલયાલમ અને તમિલ સિનેમા ખૂબ જ મજબૂત ફિલ્મો બનાવી રહ્યા છે. બીજી તરફ, હિન્દી સિનેમાએ તેના મૂળ ગુમાવી દીધા છે. બધું ખૂબ સુંદર અને ચમકતું દેખાય છે, પરંતુ તે પ્લાસ્ટિક જેવું લાગે છે,…

ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની પર આવી રહી છે ફિલ્મ, જાણો ક્યારે થશે રિલીઝ

અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ વ્હાઇટ હાઉસ ખાતે એક નવી ફિલ્મનું સ્ક્રીનિંગ યોજશે. આ ફિલ્મનું નામ ‘મેલાનિયા’ છે. આ ફિલ્મ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના ઉદ્ઘાટન પહેલાના તેમના જીવનના 20 દિવસો વિશેની એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ છે. તેમના સલાહકાર અને એજન્ટ માર્ક બેકમેને જણાવ્યું હતું કે આ સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ, તેમના પરિવાર અને નજીકના મિત્રો માટે હશે, જ્યાં તેઓ પહેલી વાર આખી ફિલ્મ જોશે. આ ફિલ્મ મેલાનિયા ટ્રમ્પના અંગત જીવન, ફેશન પસંદગીઓ, રાજદ્વારી પ્રવૃત્તિઓ અને ગુપ્ત સેવા સુરક્ષા વ્યવસ્થાની દુર્લભ ઝલક દર્શાવે છે. ટ્રેલરમાં ઉદ્ઘાટન દિવસે મેલાનિયાએ નેવી રંગની પહોળી ટોપી પહેરેલી ફૂટેજ અને રાષ્ટ્રપતિના ઉદ્ઘાટન ભાષણ દરમિયાન શાંતિ નિર્માતા સલાહ આપતી ક્ષણનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ 30 જાન્યુઆરીએ વૈશ્વિક સ્તરે રિલીઝ થશે. તે એમેઝોનના MGM…

સંજય લીલા ભણસાલી પ્રજાસત્તાક દિવસ પર રચશે ઇતિહાસ, જાણો વિગત

આ વર્ષે, પહેલી વાર, કોઈ ભારતીય ફિલ્મ નિર્દેશક પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરશે. એક મીડિયાના અહેવાલ મુજબ, ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી ભારતીય સિનેમાને સમર્પિત એક ખાસ ઝાંખી રજૂ કરશે. માહિતી અને પ્રસારણ મંત્રાલય સંજય લીલા ભણસાલીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું હોવાનું જાણવા મળે છે. સમાચાર અનુસાર, સોમવારે (26 જાન્યુઆરી)કર્તવ્ય પથ પર એક ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે. એક મીડિયાએ તેના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, “પ્રથમ વખત, ભારતીય સિનેમાના સાચા ધ્વજવાહક સંજય લીલા ભણસાલી, પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરશે. આ ઐતિહાસિક સન્માન ભારતીય સિનેમા માટે એક મહત્વપૂર્ણ પ્રકરણ છે અને રાષ્ટ્રીય સ્તરે મજબૂત ગતિ ઉત્પન્ન કરશે તેવી અપેક્ષા છે. આ પ્રસંગ માટે સંજય લીલા ભણસાલી કરતાં વધુ સારો કોઈ પ્રતિનિધિ…

બિગ બોસ સીઝન 4 નહીં જોવા મળે OTT પર, જાણો શું છે કારણ

બિગ બોસ OTT અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, બિગ બોસ OTTની ચોથી સીઝન હવે પ્રસારિત થશે નહીં. રિયાલિટી શોનું OTT વર્ઝન કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ અટકળો છેલ્લા કેટલાક સમયથી ફેલાઈ રહી હતી. જોકે, શોના નિર્માતા ઋષિ નેગીએ હવે તેની પુષ્ટિ કરી છે. આ મામલે શોના નિર્માતા ઋષિ નેગી કહ્યું, “અમે ગયા વર્ષે હિન્દી વર્ઝન સાથે ડિજિટલ બન્યા હતા. આ શો પહેલા Jio Hotstar પર રિલીઝ થયો હતો, પછી ટીવી પર આવ્યો. મને લાગે છે કે આપણે આ ચક્રને અનુસરવું પડશે. અમે અન્ય ભાષાઓમાં સિમ્યુલકાસ્ટ કરીએ છીએ. મને લાગે છે કે OTT અને ટીવી માટે એક વિશાળ બજાર છે. દર્શકો અલગ છે. તેઓ ટીવી પર શો જોવાનું પસંદ કરે…

અક્ષય કુમારની કારનો અકસ્માત: ઓટો ડ્રાઈવર ઈજાગ્રસ્ત, અભિનેતા સલામત

બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની કાર મંગળવારે રાત્રે જુહુ વિસ્તારના થિંક જીમ નજીક અકસ્માતમાં ફસાઈ ગઈ. કાફલાની એસ્કોર્ટ કાર, જેમાં તેમના સુરક્ષા સ્ટાફ સવાર હતા, ઓટો-રિક્ષા સાથે અથડાઈ, જેના કારણે કારને નુકસાન થયું છે. સદનસીબે, અક્ષય કુમાર અને તેમની પત્ની ટ્વિંકલ સલામત રહ્યા, જ્યારે ઓટો ડ્રાઈવરને ઈજા થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. એક મર્સિડીઝ કાર ઝડપથી આવી, પહેલા ઓટો-રિક્ષાને ટક્કર મારી, પછી કાબૂ ગુમાવીને અક્ષય કાફલાની ઇનોવા કાર સાથે અથડાઈ. અક્ષય અને ટ્વિંકલ કાફલાની આગળની બીજી કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જેને થોડાક હલકા નુકસાન થયાં, પરંતુ ગંભીર ઈજા કોઈને થઈ નથી. સોશિયલ મીડિયામાં અકસ્માતનો વિડિયો વાયરલ થયો છે, જેમાં ગાડી ઓટો-રિક્ષા પર પલટી જાય છે અને આસપાસની ભીડ ઘટના જોતી જોવા મળે છે. આ ઘટનાને…