સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, DA હવે 60%
રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA)માં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી લાખો કર્મચારીઓ અને નિવૃત્તજનોને સીધો ફાયદો મળશે. નાણા વિભાગ દ્વારા લેવાયેલા તાજેતરના ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થું હાલના 58 ટકાથી વધીને હવે 60 ટકા કરવામાં આવ્યું છે. આ વધારો 1 જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં માન્ય રહેશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં વધારો થશે અને પેન્શનરોને પણ વધારાની રકમ મળશે. આ નિર્ણયની ખાસ વાત એ છે કે જાન્યુઆરીથી લાગુ થયેલા વધારાનો તફાવત (એરિયર) જૂન મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે. એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોને એકમૂષ્ટ રકમ મળવાની હોવાથી તેમની ખુશીમાં વધારો થયો છે. રાજ્ય સરકારનો આ નિર્ણય વધતી મોંઘવારી સામે આર્થિક રાહત…
સુરતમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ: મુખ્યમંત્રીએ એક્ઝીબિશનનું કર્યું ઉદ્ઘાટન
સુરત: ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબિશનનું વિધિવત ઉદ્ઘાટન કરીને પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. વિકાસનું પ્રતિબિંબ: પ્રદર્શનના મુખ્ય આકર્ષણો આ પ્રદર્શન રાજ્યના સર્વાંગી વિકાસના ચાર મુખ્ય સ્તંભો – ઔદ્યોગિક વિકાસ, ગ્રીન એનર્જી, કૃષિ અને સેવા ક્ષેત્ર પર આધારિત છે. મુખ્યમંત્રીએ વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈ ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ગ્રીન એનર્જી: સોલાર અને વિન્ડ એનર્જી સંબંધિત પ્રોજેક્ટ્સ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. કૃષિ અને મેન્ગો ફેસ્ટિવલ: દક્ષિણ ગુજરાતની ઓળખ સમાન વિવિધ કેરીની જાતો પ્રદર્શિત કરતો ‘મેન્ગો ફેસ્ટિવલ’ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સેક્ટરલ વિભાજન:…
ટેક ઉદ્યોગમાં છટણી!: 2026ના પ્રથમ ચાર મહિનામાં 80,000થી વધુ નોકરીઓ ખતમ, AI બન્યું મુખ્ય કારણ
વૈશ્વિક ટેક ક્ષેત્રમાં રોજગાર સંકટ ઘેરું બનતું જઈ રહ્યું છે. વર્ષ 2026ના માત્ર ચાર મહિનામાં જ વિશ્વભરના ટેક ઉદ્યોગમાં અંદાજે 80,000 કર્મચારીઓની છટણી નોંધાઈ છે. તાજા અહેવાલો મુજબ આ ઘટાડાનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશન તરફ કંપનીઓનો ઝડપી વળાંક છે. અમેરિકામાં સૌથી વધુ અસર રિપોર્ટ મુજબ છટણીનો સૌથી મોટો હિસ્સો United States માં જોવા મળ્યો છે, જ્યાં કુલ છટણીના લગભગ 76%થી વધુ કેસ નોંધાયા છે. અનેક મોટી ટેક કંપનીઓ પુનર્ગઠન અને ખર્ચ ઘટાડાના નામે કર્મચારીઓમાં ઘટાડો કરી રહી છે. AI અને ઓટોમેશનનો વધતો પ્રભાવ Amazon, Oracle, Meta અને Dell જેવી કંપનીઓએ આ છટણીને “વ્યૂહાત્મક ફેરફાર” ગણાવ્યો છે, પરંતુ અહેવાલો મુજબ લગભગ અડધી છટણી સીધી રીતે AI અપનાવવાની પ્રક્રિયા સાથે જોડાયેલી છે. વિશ્લેષકોના મતે કંપનીઓ…
પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે ચીનની મજબૂત ઉર્જા નીતિ: વૈશ્વિક સંકટમાં સ્થિરતા તરફ એક પગલું
પશ્ચિમ એશિયામાં વધતા તણાવના કારણે અનેક દેશો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છે. તેલના ભાવમાં વધારાની સાથે વૈશ્વિક સપ્લાય ચેઇન પણ અસરગ્રસ્ત થઈ છે. છતાં, આ પરિસ્થિતિમાં ચીન પર તેની અસર તુલનાત્મક રીતે ઓછી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ છે ચીનની લાંબા ગાળાની વ્યૂહાત્મક તૈયારી અને ઉર્જા ક્ષેત્રમાં કરવામાં આવેલા પરિવર્તનો. ચીન વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ આયાતકાર દેશ છે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં તેને સૌથી વધુ નુકસાન થવાનું હોય, પરંતુ ચીને પહેલેથી જ વિશાળ પ્રમાણમાં ઓઈલનો સ્ટ્રેટેજિક સંગ્રહ (Strategic Petroleum Reserve) તૈયાર કરી રાખ્યો છે. આ સંગ્રહ ચીનને વૈશ્વિક પુરવઠામાં આવેલા આંચકાઓ સામે મજબૂત બનાવે છે. આ ઉપરાંત, ચીને તેની ઉર્જા નીતિમાં મોટા ફેરફારો કર્યા છે. પરંપરાગત ફોસિલ ફ્યુઅલ પર નિર્ભર રહેવાના બદલે,…
RBI ગવર્નર સંજય મલ્હોત્રાનો ચેતાવણી સંદેશ,નિકાસ 0.2% ઘટી, વેપારી આયાતમાં 22%થી વધુનો વધારો
RBI (Reserve Bank of India) ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, ભારતની વેપારી નિકાસ આ વર્ષના પ્રથમ બે મહિનામાં વાર્ષિક ધોરણે 0.2% ઘટી છે જે મુખ્ય બજારોમાં નિકાસ સંકોચનનું પરિણામ છે બીજી તરફ, વેપારી આયાતમાં 22%થી વધુનો બે-અંકનો વધારો નોંધાયો છે, ખાસ કરીને સોનાની આયાત વધવાથી. પરિણામે, વેપાર ખાધમાં વધારો થયો છે.ગયા વર્ષે ચોથા ક્વાર્ટરમાં સેવાઓ નિકાસ અને આવક મજબૂત રહેવાના કારણે ભારતની ચાલુ ખાતાની ખાધ સ્થિર રહી શકે છે. જોકે, વૈશ્વિક અનિશ્ચિતતા અને ઊર્જા ચીજવસ્તુઓના ઊંચા ભાવ આ વર્ષમાં ચાલુ ખાતાની ખાધ માટે જોખમ ઊભું કરે છે RBI ગવર્નરે જણાવ્યું કે, તાજેતરના દ્વિપક્ષીય અને પ્રાદેશિક વેપાર કરારો ભારતના વેપાર અને રોકાણ માટે નવા તકો પ્રદાન કરશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/…
B-India કૃષિ રત્ન એવોર્ડ 2026: ખેડૂત ગૌરવનો મહોત્સવ,“જ્યાં મહેનત બને છે ગૌરવ” Live
ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” – “મારી ખેતી મારૂ ગર્વ” ની સાર્થકતા કટ્ટીબંધીત છે કૃષિ ક્ષેત્રની નવીનતા અને સિદ્ધિઓને સાકાર કરનારા ખેડૂતોને વિલક્ષણ મંચ આપવા… ચાલો ઉજવીએ ગુજરાતની કૃષિ સન્નમુખ નેતાગીરી અને B India News સાથે ખેડૂતની સફળતા… ખેડૂતોએ મહેનતથી ધરતીને સોનું બનાવ્યું છે તેવા જગતના તાતને કરાશે સન્માનિત.. કૃષિ રત્ન એવોર્ડ 2026…. ખેડૂતોની સફળતાની વાર્તા દુનિયાને બતાવવાનો આ જ યોગ્ય સમય છે. આ સન્માન છે ખેડૂતોની મહેનતનું, આ સન્માન છે જગતના તાતનું.મળીએ છીએ Youtube Live 25 માર્ચે. સીધા એવોર્ડ ફંકશનમાં… Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website…
RBI 6-8 એપ્રિલે MPC બેઠકમાં વ્યાજ દરમાં કરી શકશે ફેરફાર, જાણો વિગત
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ નાણાકીય વર્ષ 2026-27 માટેની દ્વિ-માસિક મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકનું કેલેન્ડર જાહેર કર્યું છે. પ્રથમ રેટ-સેટિંગ મીટિંગ 6 થી 8 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં RBI ગવર્નરની અધ્યક્ષતામાં 6 સભ્યોની સમિતિ વ્યાજ દર (Repo Rate) પર ચર્ચા કરશે. MPC કેવી રીતે કામ કરે છે? ભારતની મોનેટરી પોલિસી કમિટી (MPC) 6 સભ્યોની સંસ્થા છે, જેમાં 3 RBI અધિકારી અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત 3 બાહ્ય સભ્યો હોય છે. MPC સ્થાનિક અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ફુગાવાના દર અને બજાર સ્થિતિને ધ્યાનમાં રાખીને બે-માસિક નાણાકીય નીતિ ઘોષણા કરે છે. સમિતિના સભ્યો ત્રીજા દિવસે દરખાસ્ત પર મતદાન કરે છે અને RBI ગવર્નર નિર્ણય જાહેર કરે છે. ફેબ્રુઆરી 2026માં MPCએ રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો હતો.…
ચાંદીમાં ₹15000નો ધડાકો, સોનામાં ₹8000ની ગિરાવટ ,શું છે કારણ?
વૈશ્વિક બજારમાં હાલ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ઈરાન સાથે વધતા યુદ્ધના તણાવ વચ્ચે સોનું અને ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો નોંધાયો છે. 23 માર્ચ 2026 ના રોજ સોનાના ભાવમાં લગભગ ₹8000 સુધીનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદી ₹15000 જેટલી સસ્તી થઈ ગઈ છે. સોમવારે એમસીએક્સ પર ટ્રેડિંગ શરૂ થતાં જ 5 મેની એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ ગયા શુક્રવારના બંધ 2,26,772 રૂપિયા પ્રતિ કિલોની સરખામણીએ ઘટીને 2,11,729 રૂપિયા પર આવી ગયો. એટલે કે એક કિલો ચાંદી 15,043 રૂપિયા સસ્તી થઈ ગઈ. તે જ રીતે, 29 જાન્યુઆરીના તેના હાઈ લેવલ 4,20,048 રૂપિયા પ્રતિ કિલોથી હવે ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 2,08,319 રૂપિયા પ્રતિ કિલો સુધી આવી ગયો છે. તાજી રિપોર્ટ અનુસાર,…
Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી
વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ 196.65 પોઈન્ટના વધારા સાથે 23777.80 પર બંધ થયો. FMCG અને મેટલ સેક્ટર સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો વધારા સાથે બંધ થયા. રિયલ્ટી, IT, ઓટો, મીડિયા, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ અને ઇન્ફ્રા સેક્ટરમાં 1 થી 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 2 ટકા વધ્યો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 1.6 ટકા વધ્યો. ટોચના નિફ્ટી ગેઇનર્સમાં જિયો ફાઇનાન્શિયલ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ઇટરનલ અને એમ એન્ડ એમનો સમાવેશ થાય છે. દરમિયાન, કોલ ઇન્ડિયા, એનટીપીસી, એચયુએલ, સિપ્લા અને સન ફાર્મા ઘટ્યા હતા. ભારતીય રૂપિયો 23 પૈસા ઘટ્યો બુધવારે…
લાલ નિશાનમાં ખુલ્યું શેરબજાર: સેન્સેક્સ 569 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ભારે ઘટાડો
વૈશ્વિક બજારોમાંથી મળતા નકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે ખુલ્યું છે. શુક્રવારે સવારે બજાર ખુલતા જ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જોવા મળ્યા, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. સવારે 9:30 વાગ્યે બીએસઈ સેન્સેક્સ 569.59 પોઈન્ટના ઘટાડા સાથે 75,469.82 અંકે ખુલ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી 186.40 પોઈન્ટ તૂટીને 23,452.75 અંકે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ગિફ્ટ નિફ્ટીમાં પણ ઘટાડો બજાર ખુલતા પહેલાં જ ગિફ્ટ નિફ્ટીમાં નબળાઈના સંકેત મળી રહ્યા હતા. સવારે લગભગ 8 વાગ્યે ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સ 207 પોઈન્ટ ઘટીને 23,510 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જેના કારણે બજાર ઘટાડા સાથે ખુલવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. વૈશ્વિક પરિસ્થિતિનો બજાર પર પ્રભાવ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે…
















